SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના મંગળ વારસા [ ૨૮૩ અને. એ જ આ ચોથા વારસાની વિશિષ્ટતા છે, જે માંગલિક વારસે મહાવીરે આપ્યા કે સાંપ્યા એમ હું કહું છું તે વારસા આપણતે માબાપથી કે અન્ય વડીલાથી કે સામાન્ય સમાજમાંથી મળેજ એવે નિયમ નથી અને છતાંય તે કાઈ જુદા પ્રવાહમાંથી મળે તો છે જ. શારીરિક, સાંપત્તિક અને સાંસ્કારિક એ ત્રણે ય વારસા સ્થૂળ ઇંદ્રિયોથી ગમ્ય છે, જ્યારે ચોથા પ્રકારના વારસા વિશે એમ નથી. જે માણસને પ્રજ્ઞા-દ્રિય પ્રાપ્ત હાય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય તે જ આ વારસાને સમજી કે ગ્રહણ કરી શકે છે. ખીજા વારસા જીવન દરમિયાન કે મૃત્યુ સમયે નાશ પામે છે, જ્યારે આ માંગલિક વાસે કદી નાશ પામતા નથી. એક વાર તે ચેતનમાં પ્રવેશ્યા એટલે તે જન્મજન્માંતર ચાલવાન, એના ઉત્તરાત્તર વિકાસ થવાના અને તે અનેક જણને સપ્લાવિત——તરખાળ પણ કરવાના. આપણે એવી કાઇ આય પરપરામાં જન્મ્યા છીએ કે જન્મતાંવેત આવા માંગલિક વારસાનાં આંદોલને આપણને જાણે-અજાણે સ્પર્શે છે. આપણે તેને ગ્રહણ કરી ન શકીએ, યથાર્થ રૂપમાં સમજી પણ ન શકીએ એમ ને, પણ આ માંગલિક વારસાનાં આંદલને આર્યભૂમિમાં બહુ સહજ છે. શ્રી અરવિંદ, શ્રી રાધાકૃષ્ણન વગેરે ભારતભૂમિને અધ્યાત્મભૂમિ તરીકે ઓળખાવે છે તે એજ અમાં. ભગવાન મહાવીરે જે માંગલિક વારસા આપણને આપ્યા કે સોંપ્યા છે તે કયા છે એ આજે આપણે વિચારવાનુ છે. એક બાબત સ્પષ્ટ સમ લઈએ કે આ સ્થળે સિદ્દાનંદન કે ત્રિશલાપુત્ર સ્થૂળ દેહધારી મહાવીર વિશે આપણે મુખ્યપણે વિચાર નથી કરતા. એમનું ઐતિહાસિક કે ગ્રધભદ્ સ્થૂળ જીવન તે હમેશાં આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. આજે જે મહાવીરના હું નિર્દેશ કરું છું. તે શુષુદ્ધ અને વાસનામુક્ત ચેતનસ્વરૂપ મહાન વીરને ધ્યાનમાં રાખી નિર્દેશ કરું છું. આવા મહાવીર્માં સિદ્ધાનદનને તે સમાવેશ થઈ જ જાય છે, પણ વધારામાં તેમના જેવા બધા જ શુદ્ધબુદ્ધ ચેતનને પણ સમાવેશ થઈ જાય છે. આ મહાવીરમાં કાઈ નાતજાત કે દેશકાળના ભેદ નથી. તે વીતરાગા ્તરૂપે એક જ છે. આ મુદ્દા ધ્યાનમાં રાખીને જ અનેક સ્તુતિકારાએ સ્તુતિ કરી છે. જ્યારે માનતુંગ આચાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249188
Book TitleMahavir no Mangal Varso
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Society
File Size172 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy