SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારકણિકા [ ૨૦૩ પ્રત્યેક સ્વકર્માંધીન છે અને દરેકના કર્મ વિષમ અને ધણીવાર વિરુદ્ધ હોઈ તે પ્રમાણે જ જીવની સ્થિતિ અને તેને વિકાસ હાઈ શકે. આવી માન્યતાને લીધે બ્રાહ્મણુકાળના જન્મસિદ્ધ ધમ્મ અને સંસ્કારા નક્કી થયેલા છે, એમાં કાઈ એક વર્ગોના અધિકારી પાતાની કક્ષામાં રહીને જ વિકાસ કરી શકે, પણ તે કક્ષા બહાર જઈ વર્ણાશ્રમધર્મનું આચરણ કરી ન શકે. ઇન્દ્રપદ કે રાજ્યપદ મેળવવા માટે અમુક ધમ આચ જોઈ એ, પણ તે ધમ હરકા આચરી ન શકે અને હરકાઈ તેને આચરાવી પણ ન શકે. આનો અર્થ એ જ થયા કે કકૃત વૈષમ્ય સ્વાભાવિક છે અને વગત સમાનતા હાય તાય તે વ્યવહાં તે નથી જ. આત્મસમાનતાના ખીજા સિદ્ધાન્ત પ્રમાણે ધડાયેલા આચાર આયી સાવ ઊલટા છે. એમાં ગમે તે અધિકારી અને જિજ્ઞાસુને ગમે તેવા કર્માંસસ્કાર દ્વારા વિકાસ કરવાની છૂટ છે. એમાં આત્મૌપમ્યમૂલક અહિંસાપ્રધાન યમનિયમોના આચરણ ઉપર જ ભાર અપાય છે. એમાં કકૃત વૈષમ્યની અવગણના નથી, પણ સમાનતાસિદ્ધિના પ્રયત્નથી તેને નિવારવા ઉપર જ ભાર અપાય છે. આત્માદ્વૈતના સિદ્ધાન્ત તે સમાનતાના સિદ્ધાન્તથી પણ આગળ જાય છે, તેમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કાઈ વાસ્તવિક ભેદ છે જ નહિ. તે અદ્વૈતમાં તે સમાનતાના વ્યક્તિભેદ પણ ગળી જાય છે. એટલે તે સિદ્ધાન્તમાં ક્રમ્સ'સ્કારજન્ય વૈષમ્ય માત્ર નિવારવા યોગ્ય જ નથી મનાતું, પણ તે તદ્દન કાલ્પનિક મનાય છે. પણ આપણે જોઈ એ છીએ કે આત્મસમાનતા અને આત્માદ્વૈતના સિદ્ધાન્તને કટ્ટરપણે માનનારા સુધ્ધાં જીવનમાં ફર્મવેધમ્યને જ સાહજિક અને અનિવાય માની વતે છે. તેથી જ તો આત્મસમાનતાના અનન્ય પક્ષપાત ધરાવનાર જૈન કે તેવા બીજા પંચા જાતિગત ઊંચનીચભાવને જાણે શાશ્ર્વત માનીને જ વતા હોય એમ લાગે છે. તેને લીધે સ્પર્શોપનું ભરણાન્તક ઝેર સમાજમાં ભ્રમથી મુક્ત નથી થતા. તેમને સિદ્ધાન્ત એક દિશામાં છે જીવનવ્યવહારનું ગાડુ ખીજી દિશામાં છે. એ જ સ્થિતિ અદ્વૈત સિદ્ધાન્તને માનનારની છે. તે દૂતને જરા પણ નમતું આપ્યા સિવાય વાતે અદ્વૈતની કરે અને આચરણ તા સન્યાસી સુધ્ધાં પણુ દ્વૈત તેમ જ કર્મ વૈષમ્ય પ્રમાણે કરે છે. પરિણામે આપણે જોઈ એ છીએ કે તત્ત્વજ્ઞાનનો અદ્ભૂત સુધી વિકાસ થયા છતાં તેનાથી ભારતીય જીવનને કશા લાભ થયેા નથી. ઊલટ્ટુ તે આચરણની દુનિયામાં કસાઈ છિન્નભિન્ન થઈ ગયું છે. આ એક જ દાખલો તત્ત્વજ્ઞાન અને ધની દિશા એક હાવાની જરૂરિયાત સિદ્ધ કરવા માટે પૂરતો છે. Jain Education International For Private & Personal Use Only વ્યાપ્યા છતાં તે અને મ www.jainelibrary.org
SR No.249181
Book TitleVicharkanika
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Society
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy