SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ 120 ] દર્શન અને ચિંતન એટલી મોટી પત્ની સંખ્યા પુણ્યની દલીલના આધારે જ સમર્થન પામી છે, અને બીજી રીતે આજ લગી પોષાતી પણ આવી છે. પુણ્યના ફળ તરીક નારી પરિવાર લેખાય, તે એ જ દલીલથી એમ પણ કેમ ન કલ્પવું જોઈએ કે વધારે પુણ્યશાળી નારી તે જ હોઈ શકે કે જેણે ઈચ્છાથી વધારે પતિઓ ક્રમે કે એકસાથે ધરાવ્યા હોય ? સામાન્ય નારી કરતાં પાંચ પતિવાળી દ્રૌપદી, ઉપરની દલીલ પ્રમાણે, વધારે પુણ્યશાળી ગણવી જોઈએ. પણ અહીં જ પુણ્યની વ્યાખ્યા લેકે જુદી કરે છે. એ એ વાતનું સૂચન છે કે જે કાળે જે સમાજમાં જે વસ્તુ પ્રતિષ્ઠા પામતી હોય તે કાળે તે સમાજમાં તે જ વસ્તુ સાધારણ લેકે પુણ્યનું ફળ માની લે છે. વ્યાવહારિક અને તાત્વિક ધર્મ– અધર્મને ભેદ જેટલા અંશે વધારે સ્પષ્ટ સમજાય તેટલા અંશે લોકમાનસને વિકાસ છે, એમ સમજવું જોઈએ. ભાઈ મેવાણીનું લખાણ આ વિકાસ સાધવાની દૃષ્ટિએ લખાયું છે. –પ્રબુદ્ધ જૈન, 15-3-47 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249169
Book TitlePunya ane Pap Ek Samiksha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Nine Tattvas
File Size39 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy