SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ * ! દર્શન અને ચિંતન આવતાં. આવાવાં ગમતાં હોય તો એ સમાજે ગુલામીનાં બંધન તોડવામાં ઈચ્છા અને મુદ્ધિપૂર્ણાંક, ધમ સમજીને જ, ફાળા આપવા જોઈ એ. તેથી હુ ચોક્કસ માનું છું કે, જૈન યુવકે પાતાનું વનતંત્ર નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિવાળુ વિવેકપૂર્વક પોતાની જ મેળે ગેાડવવું, એમાં પ્રાચીન વારસાની રક્ષા અને નવીન પરિસ્થિતિને બંધ બેસે એવાં તત્ત્વોનું સંમિશ્રણ છે. નિવૃત્તિને સાચી નિવૃત્તિરૂપે ટકાવી રાખવાના સાદો એક જ નિયમ છે અને તે એ કે જો નિવૃત્તિ સ્વીકારવી તે જીવનના ધારણ પોષણને અંગે અનિવાર્ય આવશ્યક એવી બધી પ્રત્તિના ભાર પોતાના ઉપર જ રાખવા; ખીજાએ કરેલ પ્રવૃત્તિનાં ફળે આસ્વાદાના સદંતર ત્યાગ કરવા. એ જ રીતે જો પ્રવૃત્તિ સ્વીકારવી હેય, અને તેમ છતાં જીવનની વિશુદ્ધિ સાચવવી હોય, તો સ્વીકારેલ પ્રવ્રુત્તનાં ક્લેટને માત્ર આત્મગામી ન રાખતાં તેને સમૂહગામી બનાવવા તરફ લક્ષ રાખવું. આમ થાય તે પ્રાપ્ત થયેલ સાધન-સગવડે! માત્ર વૈયક્તિક ભાગ જ નિરક ભાગમાં ન પરિણમતાં તેને સમૂહગાની સુંદર ઉપયાગ થાય અને પ્રવૃત્તિ કરનાર એટલે અંશે વૈયક્તિક તૃષ્ણાથી મુક્ત થઈ નિવૃત્તિનું તત્ત્વ સાધી શકે. ૨. નિર્માણુ ક યાગ ખીજું લક્ષણ એ વસ્તુતઃ પ્રથમ લક્ષણનું જ નામ છે. અહિક અને પારલૌકિક ઇચ્છાઓની તૃપ્તિ અર્થે યજ્ઞયાગાદિ કર્મો બહુ થતાં. ધર્મ તરીકે ગણાતાં આ કર્માં વસ્તુતઃ તૃષ્ણાજનિત હેાઈ સાથેા ધર્મ જ નથી, એવી બીજા પક્ષની સાચી પ્રબળ માન્યતા હતી. ગીતાધમ પ્રવક જેવા દી દર્શા વિચારકાએ જોયું કે કમ અર્થાત્ પ્રવૃત્તિ વિના જીવનતત્ર, પછી તે વ્યક્તિનું હા કે સમૂહનુ', શકય જ નથી. અને એમણે એ પણ જોયું કે કમ પ્રવૃત્તિની પ્રેરક તૃષ્ણા જ અધી વિડંબનાનુ` મૂળ છે. આ બન્ને દોષોથી મુક્ત થવા તેમણે અનાસક્ત કયાગ સ્પષ્ટપણે ઉપદેશ્યો. જોકે જૈન પરંપરાનું લક્ષ્ય નિર્માહત્વ છે, પણ આખા સમાજ તરીકે આપણે કમ પ્રવૃત્તિ વિના રહી કે વી શકવાના જ નથી. એવી સ્થિતિમાં આપણા વિચારક વગૅ નિર્માહ કે અનાસક્ત, ભાવે કમ યાગને જ માગ સ્વીકારવા ધટે છે. અન્ય પરપરાને જો આપણે કાંઈ આપ્યું હોય તો તેમની પાસેથી કાંઈ મેળવવું એમાં આપણી હીણપત નથી. વળી અનાસક્ત કચેગના વિચારનું મૂળ આપણાં શાસ્રો કે આપણી પરંપરામાં નથી એમ પણ નથી. તેથી હું માનુ છુ કે આ ક્ષણે દરેક વિચારક જૈન એ માર્ગનું સ્વરૂપ સમજવા અને તેને જીવનમાં ઉતારા નિશ્ચયવાન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249164
Book TitleYuvakone
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Society
File Size209 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy