SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ * ] દન અને ચિંતન એવા ધમ તત્ત્વમાં મુખ્ય એ અશો આવે છે: એક વર્તનને અને ખીજો વિચારતા. જ્યાં લગી વતનના શિક્ષણના સમ્ધ છે ત્યાં લગી નિરપવાદ એક જ વિધાનસભવે છે કે જો કાઈને સનનું શિક્ષણ આપવું હોય તે તે સન જીવીને જ શીખવી શકાય; એ કદી વાણીથી શીખવી ન શકાય. સન વસ્તુ જ એવી છે કે તે વાણીમાં ઊતરતાં ફીકી પડી જાય છે અને જો તે ક્રાઈના વનમાં અંદરથી ઊગેલી હોય તા તે બીજાને આહેવત્તે અંશે વળગ્યા વિના રહેતી જ નથી. આને અર્થ એ થયો કે માનવતા ડનાર તે પોષનાર જે જે જાતનુ સન સમાજમાં કે સંસ્થામાં દાખલ કરવું હોય તે તે જાતનુ સન ગાળનાર કાઈ પણ સાચી વ્યક્તિ જ ન હોય ત્યાં લગી તે સમાજ કે તે સંસ્થામાં સનના શિક્ષણના પ્રશ્ન હાથ ધરવા એ નરી માલિશતા છે. માબાપ કે બીજા વડીલે બાળકાને કે નાનેરાંને ઘડવા માગતા હોય, તો તેમણે પાતાના વનમાં તેનું ઘડતર સચોટપણે દાખલ કરવું જોઈ એ અને એમ તેઓ ન કરે તે પોતાની સતતિના જીવનમાં સન ઊતરે એ આશાને નમપણે સેવવી પણ ન જોઈ એ. સસ્થા કાઈ ભાડૂતી × નકલી શિક્ષકને રોકી વિદ્યાર્થીઓમાં સત નવું વાતાવરણ જમાવી જ ન શકે. એ વ્યવહારના વિષય છે અને વ્યવહાર સાચી કે ખોટી દેખાદેખીમાંથી ઉત્પન્ન થઈ પછી જ વિચારના ને સંસ્કારના ઊંડા પ્રદેશ સુધી મૂળ ધાલે છે. ધર્માશિક્ષણના આન્દ્રે અશ વિચાર છે–જ્ઞાન છે. કાઈ પણ સંસ્થા પોતાના વિદ્યાર્થીઓમાં વિચાર અને જ્ઞાનના અા સાચી અને પોષી શકે. દરેક સંસ્થાને વાસ્તે રાજમાર્ગ તરીકે—-ધાર્મિક શિક્ષણના વિષય તરીકે એક જ વિષય આ રહે છે અને તે જ્ઞાન તેમ જ વિચારને. આ વાસ્તે સસ્થાએ જેટલા ઉદાત્ત પ્રબંધ કર્યો હોય તેટલી સફળતા મળે જ છે. વિદ્યાર્થીને જાણવાની ઓછીવત્તી ભૂખ હોય જ છે. તેની ભૂખની નાડી કીક પારખવામાં આવે તે એ વધારે સહેજ પણ કરી શકાય છે. તેથી અનેક વિદ્યાર્થી એમાં તત્ત્વની જિજ્ઞાસા પેદા કરવાનું આયાજન કરવું એ સંસ્થાનું પ્રથમ કર્તવ્ય છે. આ આયોજનમાં સમૃદ્ધ પુસ્તકાલય અને વિવિધ વિષયા ઉપર વિચારક વિદ્વાનોનાં વ્યાખ્યાતા આપવાનો પ્રબન્ધ તે આવે જ છે, પણ આખા આયેાજનમાં કેન્દ્રસ્થાને જ્ઞાન અને વિચારમૂર્તિ શિક્ષક તથા તેની સગ્રાહિણી, પ્રતિક્ષણે નવીનતા અનુભવતી પ્રતિભાસ પન્ન દૃષ્ટિ છે. જે સંસ્થા આવે. શિક્ષક મેળવવા ભાગ્યશાળી થાય, તે સંસ્થામાં વિચાર પૂરતું ધર્મ-શિક્ષણ તે અનિવાય રીતે પ્રસરવાનું અને વધવાનું જ. કરવાપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249161
Book TitleDharmik Shikshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Education
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy