________________
મંગળપ્રવચન
૧૧.
જોતાં એમ કહેવું પડે છે કે ઉંમરે પહોંચ્યા પછી પણ આપણે વિદ્યાર્થીવર્ગને મોટો ભાગ જીવનદ્રોહ જ કરે છે.
ખાસ કરી અભ્યાસની ખરી રીત એ છે કે વર્ગમાં ગયા પહેલાં શીખવાનું પહેલેથી જ વાંચી રાખવું, જેથી અધ્યાપક કહે તે પૂરું સમજાય અને અધ્યાપકને અનેક પ્રશ્નો કરી તેની પાસેથી અનેકગણું નવું મેળવી શકાય. જે આમ નથી થતું તે વર્ગમાં અધ્યાપક કહે તે બહુ ઓછું સમજાય છે ને મહત્ત્વના પ્રશ્નો કરવાનું તો બાજુએ જ રહી જાય છે. પરિણામે અધ્યાપક પણ વધારે મહેનત કરવાનું બાજુએ મૂકે છે અને સમજે છે કે. ગાડું એમ જ ચાલવાનું. એને લીધે સમગ્ર ઉચ્ચ અભ્યાસનું ક્ષેત્ર છીછરું બની જાય છે. આજે મોટે ભાગે આપણે ત્યાં આ જ વસ્તુ દેખાય છે. વિદ્યાર્થીઓએ માત્ર પ્રથમથી વાંચીને જ વર્ગમાં જવું એટલું બસ નથી, પણ તેમણે વર્ગમાંથી આવ્યા બાદ અધીત અને ચાલતા વિષયોનું મનન પણ કરવું જોઈએ. એમ કરે તે જ વિદ્યાપ ફળ અને અધ્યાપકેને પિતાના વિષયમાં વધારે તૈયારી કરવી પડે. જે વિદ્યાર્થીવર્ગ ખરેખર જાગરૂક હોય તે અધ્યાકેને પણ વધારે સચેત રહેવું પડે અને તેમને એવા વિદ્યાર્થીઓ પ્રત્યે વધારે ભાન પણ થાય, તેમ જ મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય પાછળને રાષ્ટ્રિય હેતુ બર આવે.
અમદાવાદ એ ઉદ્યોગપ્રધાન શહેર છે. ઉદ્યોગમાં પડેલાઓની નિષ્ઠાથી. આપણે પરિચિત છીએ. જ્યારે દેખે ત્યારે અને જ્યાં ઉદ્યોગનાં ક્ષેત્રમાં જુઓ ત્યાં, એમાં પડેલા ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગ સિવાય બીજા વિચારો ભાગ્યે જ કરે છે. આ એમની ધંધા પ્રત્યેની નિષ્ઠા છે. આવા નિકાવાળા વાતાવરણમાં રહી અભ્યાસ કરનારને પોતાના વિષય પરત્વે નિકા કેળવવાનું કામ એક રીતે સહેલું છે. પણ મોટે ભાગે એવું દેખાય છે કે ભણનાર ધ કરી શકતો નથી અને ભણવામાં ચિત્ત પૂરું પાવી શકતો નથી. તેથી ભણનાર ઘરનો કે ઘાટને નથી રહેતો. આ જ કારણે હું નિશા કેળવવાનું કહું છું. શાસ્ત્રમાં આદિ, મધ્ય અને અન્ત મંગળની વાત કહેવામાં આવી. છે, પણ વિદ્યાભ્યાસ એ તો અખંડ અને સતત મંગળમય છે, જે એમાં પૂરી નિષ્ઠા સાધીએ તો જ.
- આજકાલ અભ્યાસમાં –- ખાસ કરી ઉચ્ચ અભ્યાસમાં – માધ્યમનો પ્રશ્ન ઉગ્રતાથી ચર્ચાઈ રહ્યો છે. માતૃભાષા જ શિક્ષણ સામાન્યનું ખરું વાહન હોઈ શકે, એ વસ્તુ આખી દુનિયાને દીવા જેવી હોવા છતાં આપણા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org