SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંતો-૨ ૩૧ વખતે ઊજમશી માસ્તર સાથે વારંવાર દરાપરા જવાને લીધે પૂ. શ્રી દાનવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્ય પૂ. પ્રેમવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્ક થયો. પોતાની દાદીમાની હયાતી સુધી દક્ષા ન લેવાનો વિચાર જ્યારે એણે પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજ પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું કે, “ત્રિભુવન ! કાળની કેને ખબર છે? કોને ખબર છે કે તું પહેલાં જઈશ કે દાદીમા પહેલાં જશે ?' પૂ. પ્રેમવિજયજી મહારાજનું આ વાકય ત્રિભુવનના હૃદયમાં સંસરવું ઊતરી ગયું અને વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે જઈ પિતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. પરંતુ એ માટે સમય એ છે હતે. (એ છે હોય એ જરૂરી પણ હતું.) દીક્ષા ચૂપચાપ લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની હદની બહાર આપવામાં આવે તે તાત્કાલિક કાયદાને કેઈ પ્રશ્ન ઊભું ન થાય. એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં આવેલા જબુસર ગામે પહોંચવાનું કહ્યું. માસર રોડ પહોંચી, ત્યાંથી પગે ચાલીને જંબુસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠે. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડઊતરમાં પિતાના ગામના કેઈ માણસ પોતાને જોઈ ન જાય તે માટે પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈને સંતાઈ ગયે. સાંજના માસર રેડ ઊતરીને, પગપાળા ચાલીને તે જંબુસર રાતના સાડા અગિયાર વાગે પહોંચ્યા. ઉપાશ્રયમાં જઈને એણે મોટા મહારાજને બધી વાત જણાવી. બીજે દિવસે આમેદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનનાં દરનાં એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં. એટલે આમેદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું અને જેની વસતી વગરના તીર્થધામ ગધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નવિજ્યજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઈલને વિહાર કરી ધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષાના મુહૂર્તને સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી તે ત્યાં સુધીમાં મુનિ મંગળવિજયજીએ પોતે કેશલેચ ચાલુ કરી દીધું હતું. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણ વચ્ચે ત્રિભુવનને દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયે અને નામ મુનિશ્રી રામવિજયજી રાખવામાં આવ્યું. દીક્ષા પછી મુનિશ્રી મંગળવિજયજી મહારાજ નવદીક્ષિત સાધુ સાથે વિહાર કરીને ભરૂચ પહોંચી ગયા. આ બાજુ પાદરામાં દીક્ષાના સમાચાર પહેાંચતાં ત્યાં બહુ ખળભળાટ મચી ગયો. સગાસંબંધીઓમાં આ અંગે તુરત કાયદેસર પગલાં લેવાની વાત થઈ. બીજી બાજુ દીક્ષિત ત્રિભુવનને બળજબરીથી ઉઠાવીને ઘરે લઈ આવવાની વાત પણ વિચારાઈ. અલબત્ત, દક્ષિાના સમાચાર સાંભળ્યા પછી દાદીમા રતનબાનું હૈયું કંઈક ઢીલું પડયું. તેમણે ત્રિભુવનને પાછો લઈ આવવા માટે જનારા સગાઓને આ બાબતમાં કંઈ ઉગ્ર બોલાચાલી કે ઝપાઝપી ન થાય તેવી રીતે વર્તવા વિનંતિ કરી. સગાઓ ભરૂચ પહોંચ્યા, પણ નવદીક્ષિત રામવિજયજી મહારાજ તો પિતાના નિર્ણયમાં મક્કમ હતા એટલે સગાઓનું બહુ ચાલ્યું નહીં. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249135
Book TitleVijay Ramchandrasuriji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Story
File Size292 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy