SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક એમને હાથે 250 થી વધુ મુનિઓએ અને પ૦૦થી વધુ સાધ્વીજીઓએ દીક્ષા ગ્રહણ કરી છે. આ ઘટના જૈનશાસનના ઇતિહાસમાં ઘણી મોટી ગણાશે. શતાધિક શિષ્ય-પ્રશિષ્ય સાથે વિચરતા આચાર્ય ભગવંત તરીકે એમનું પુણ્યક નામ સુદીર્ધકાળ સુધી ગુજતું રહેશે. પૂ. આચાર્ય. ભગવંત પિતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત હતા. જરા સરખી શિથિલતાને પણ ચલાવી લેતા નહિ. પરંતુ પિતાના દીક્ષિત સાધુઓને પિતાની પ્રેરક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તે આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુઓ સાંસારિક પ્રલોભને કે લોકેષણાથી ચલિત થતા નહિ. એકંદરે ફોટા પાડવાપડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. ( અજાણાં કઈ પડી છે તે જુદી વાત છે. વિવિધ જનાઓ માટે ટ્રસ્ટે કરાવી, ધન એકત્રિત કરવાનું લક્ષ્ય પણ એમના સમુદાયમાં ખાયું નથી. પૂજ્યશ્રી શાસનનાં કાર્યો માટે કે અનુકંપા જેવા વિષયે માટે પોતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે વ્યક્તિગત દબાણ કક્યારેય કરતા કે કરાવતા નહીં. પરંતુ તેઓશ્રીના વ્યક્તિત્વની અસર જ એવી થતી કે લેકે સામેથી દાન આપવા માટે હંમેશાં તત્પર રહેતા. પરિણામે, એમની કઈ પણ વાત ઉપર ધનની રેલમછેલ થઈ જતી. પૂજ્યશ્રીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. પૂજ્યશ્રીના કાળધર્મ પ્રસંગે એક કરોડ કરતાં અધિક રકમ ઉછામણીમાં બેલાઈ તે તેઓશ્રીને પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે. સંસાર ભૂ છે. દુઃખમય અને છોડવા જે છે, લેવા જેવો સંયમ અને મેળવવા જે મેક્ષ છે એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને કેટિ કોટિ ભાવભરી વંદના ! લેખક: ડો. રમણલાલ ચી. શાહ, તા. ૧૬૯“પ્રબુદ્ધ જીવનમાંથી સાભાર ઉદ્ઘ.) ક્ષમાશીલ અને ભદ્રપરિણામી શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ ભારતવર્ષની વિશાળ ભૂમિ રત્નગર્ભા તરીકે પ્રખ્યાત છે. યુગે યુગે અનેક નરત્નની જનની બનીને આ ભોમકાએ ધર્મના સંદેશને દિગદિગંતમાં રેલાવ્યું છે. સંત-મહંતોની મહાનતા, પિનાં આ વચને, મહષિઓનું આત્મધર્મ અને વીતરાગદેવોની વીતરાગતા આ ભૂમિની ગૌરવપૂર્ણ યશગાથાઓ છે. મુખ્ય કાશ્મીરની મનહર અને મનભર કુદરતના ખેળે જમ્મુમાં જન્મેલા એક નરરત્ન પૂર્વભવની આરાધનાના બળે ધર્મશ્રદ્ધાની મશાલ પિટાવી આત્માને વ્યાપી વળેલા અંધકારને ઉલેચવાને નિર્ણય કર્યો. આત્મા અને પરમાત્માની માન્યતા ધરાવતા આ દેશમાં પરદેશીઓએ પગપેસારો કરીને ધર્મશ્રદ્ધાનાં મૂળને હચમચાવવાના પ્રયત્ન આદરી દીધા હતા, પરંતુ સામે પક્ષે ધર્મવીરેએ ધર્મોતને જલતી રાખવાના પ્રયનો આરંભી દીધા હતા. આ સમયગાળામાં સં. ૧૯૫૮ના માગશર સુદ ૧ને શુભ દિને જન્મેલા આ નરે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249135
Book TitleVijay Ramchandrasuriji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Story
File Size292 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy