SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે-૨ ૩૩૭ પૂજ્યશ્રીને સંકેત મળી ગયું. તરત જ “બમાવું છું” બોલીને સૌને ખમાવ્યા. સાધુઓએ સઘળું વોસિરાવડાવ્યું. પૂજ્યશ્રીએ હાથ જોડીને બધું સ્વીકારી આત્મગહ કરી સંથારા પિસિની ગાથાઓ સાંભળી અને વીર વીરની રટણ કરતાં ૧૦-૪૦ મિનિટે પરલેક સિધાવ્યા. પટ્ટધર આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી અને અન્ય ઘણા શિષ્યો કાનમાં નવકાર સંભળાવતા હતા અને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ભાવ સૂર્યને અસ્ત થયા – જૈનશાસનને તંભ તૂટી પડ્યો. સંઘ ગમગીન બને. ચોતરફ સમાચાર પહોંચી ગયા. ગામેગામથી લેકે ઊભરાયા. મુનિ ભગવતે પ્રબળ શેકમાં ગરકાવ થઈ ગયા. કોણ કોને આશ્વાસન આપે ? કેણ કેને છાનું રાખે ? સહુએ સખત આઘાત અનુભવ્યું. બીજા દિવસે સારાયે નગરમાં પાખી પાળવામાં આવી. બજારે સ્વયં બંધ રહ્યા. પૂજ્યશ્રીની ભવ્ય પાલખી નીકળી. પોલીસેએ ભાવાંજલિ આપી. હજારની ઉછામણથી અંતિમ ક્રિયા થઈ. અગ્નિસંસ્કારના સ્થળે સમાધિમંદિર બનાવી સંઘે પૂજ્યશ્રીની ચરણપાદુકાને પ્રતિષ્ઠિત કરી. જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજા પછી ત્રણ સાધુઓનું સર્જન કરનાર આ મહાન શિલ્પીના ચરણમાં કેટ કેટિ વંદના !! * જૈનશાસનના તિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ, સિદ્ધાંતનિષ્ઠ, સુવિશાળ ગચ્છાધિપતિ, સમર્થ વ્યાખ્યાનવાચસ્પતિ પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ * જન્મ : વિ. સં. ૧૯૫ર ફાગણ વદ ૪, દહેવાણ * વતન : પાદરા (જિ. વડેદરા). * દક્ષા : સં. ૧૯૯૯ પિષ વદ ૧૩, ગંધારતીર્થ. * ગણિ-પંન્યાસપદ : સં. ૧૯૮૭ કારતક વદ ૩, ભાયખલા (મુંબઈ). * ઉપાધ્યાયપદ : સં. ૧૯૯૬ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. * આચાર્યપદ : સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૬, મુંબઈ * સ્વર્ગવાસ : સં. ૨૦૪૭ અષાઢ વદ ૧૪, અમદાવાદ. * દક્ષા પર્યાય : ૭૭ વર્ષ અને ૬ મહિના. સુવિશાળ ગચ્છાધિપતિ, જૈનશાસનના મહાન તિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષને દીઘપર્યાય પાળી, ૯૬ વર્ષની ઉંમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. ૯-૮-૧૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી * Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249135
Book TitleVijay Ramchandrasuriji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Story
File Size292 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy