________________
શ્રમણભગવ તા-૨
૫૭
બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ સ પ્રાન્તોમાં વિહાર કરીને વીરપ્રભુના અહિંસાદિના ઉપદેશ આપ્યા હતા. હિંસકને અહિંસક, દુરાચારીને સદાચારી, સ્વચ્છંદીને સયમી અનાવવાના ભગીરથ પ્રયત્નો કર્યા હતા. પૂજ્યશ્રી આ કાર્યમાં અવિરત ઉત્સાહ દર્શાવતા. પ્રજાજીવનમાં અહિંસા, સયમ, ત્યાગ, નીતિ, તપશ્ચર્યાં અને સદાચારના ગુણા પ્રગટે વિકસે તેની કાળજી રાખતા હતા.
પૂજ્યશ્રી ખ્યાતનામ કવિ હતા. તેઓશ્રીની અગણિત કાવ્યકૃતિઓ સરળ અને સુંદર હોવાને લીધે એટલી લેાકપ્રિય નીવડી કે આજે પણ મહાનગરેનાં મહાન જિનાલયેાથી માંડીને નાનાં ગામડાંનાં આબાલવૃદ્ધ નરનારીઓના કઠે ગવાતી સ‘ભળાય છે. આ રચનાઓને તેઓશ્રીના ભક્તા દ્વારા એક લાખ પુસ્તકે દ્વારા પ્રસારવામાં આવી છે. અને છતાં આ પુસ્તકોની માંગ સતત ચાલુ જ હાય છે ! આવા અસાધારણ પ્રભાવને લીધે તેઓશ્રી ‘ કવિકુલલકરીટ ’ના નામે ઓળખાય છે. પૂજ્યશ્રીએ રચેલાં સસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાંનાં ગીતેની સંખ્યા ત્રણ હજાર ઉપર થવા જાય છે. આ ભક્તિગીતામાંના ભાવ અને હૃદયસ્પર્શી લય એટલા તે સુદર હાય છે કે આ ભક્તિગીતાના પ્રભાવથી કેટલાક પુણ્યાત્માઓએ સયમજીવન સ્વીકારવાનો નિર્ણય કર્યાનાં દૃષ્ટાંતા અન્યાં ! ૫૮ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ અનેક નાનામેટા, ગદ્યપદ્યના, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં, લોકપયોગી તથા વિદ્વદ્ભાગ્ય ગ્રંથાનુ નિર્માણ, સંકલન અને સપાદન કરીને સાહિત્યની અજોડ સેવા કરી છે. તેઓશ્રીને અનેક વાર અન્ય દાનિકા સાથે વાદ-વિવાદ કરવાના પ્રસંગે ઉપસ્થિત થયા હતા. તેમાં પણ પૂજ્યશ્રીએ દરેક વખતે વિજય પ્રાપ્ત કર્યાં હતા. કુશાગ્ર બુદ્ધિ, તીક્ષ્ણ તક શક્તિ અને અદ્ભુત વાક્ચાતુર્યથી તેઓશ્રી પ્રતિસ્પર્ધી ને પરારત કરતા. નરસંડામાં આર્યસમાજી સાથે વિવાદમાં મૂર્તિ પૂજાની સાકતા સિદ્ધ કરી હતી. ખંભાત પાસેના વટાદરા ગામમાં મુકુન્દ્રાશ્રમ નામના સંન્યાસીએ સનાતનીઓ સાથે વેદ વિષયક શાસ્ત્રાર્થ ચલાવ્યેા ત્યારે પૂજ્યશ્રીએ વેદ હિંસાવાદી છે, અને જૈનધમ યામય છે' એમ પ્રતિપાદિત કરી આપ્યુ હતું. પંજાબમાં તે અનેક સ્થળેાએ વાદવિવાદના પ્રસંગે ઉપસ્થિત થયા હતા. અને દરેક વખતે પૂજ્યશ્રીએ વિજય મેળવ્યેા હતેા ! જેમ કવિત્વપણાથી તેમ વાદવજયમાં પણ આ પ્રભાવકામાં ગણના થાય છે, એ પૂજ્યશ્રીને વરેલી સિદ્ધિ પણ અવિસ્મરણીય છે.
<
જૈનશાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રીએ ઠેર ઠેર જૈનમ દાની પ્રતિષ્ઠા, ઉદ્યાપના, ઉપધાન, છરી પાળતા સ`ઘા, દીક્ષાએ, પદપ્રદાનો, સાર્મિક વાત્સલ્ય તથા અન્ય મ‘ગલકારી મહાત્સવે મેટી સખ્યામાં કરાવ્યા હતા. ઘણીવાર વિપરીત સ્થિતિમાં અડગ રહીને, સિંહગર્જના કરીને, વિજય પ્રાપ્ત કરીને આચાર્ય પદ શાભાવ્યું હતું. સતત સ્વાધ્યાય અને તપશ્ચર્યા પૂજ્યશ્રીના ઉત્તમ ગુણ હતા. તેથી જ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયમાં વિદ્વાન, કવિ, વક્તાઓ મેટી સખ્યામાં છે. પૂજ્યશ્રીની પાટે આઠ-આઠ આચાર્યા વિચરી રહ્યા છે, જેમાં દક્ષિણદેશેાદ્ધારક શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ માખરે છે. પૂજ્યશ્રીનુ
૧. ૩
Jain Education International 2010-04
For Private & Personal Use Only
www.jainelibrary.org