SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૨ 183 આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યસિદ્ધિસૂરિજી મહારાજને પૂ. પં. શ્રી મેઘવિજ્યજી ગણિવર્યને આચાર્ય પદવી અર્પવા વિનંતિ કરી. અનેક લબ્ધિવંત પૂ. બાપજી મહારાજે શ્રીસંઘની વિનંતિને સ્વીકાર કર્યો, અને સં. ૧૯૮૧માં માગશર સુદ પાંચમને શુભ દિને શ્રી ચતુવિધ સંધ સમક્ષ, મહોત્સવ સહિત, અમદાવાદ-દોશીવાડાની પિળ સ્થિત જૈન વિદ્યાશાળામાં સૂરિપદ આરેપણ કર્યું. પૂ. આચાર્યદેવ શ્રી વિમેધસૂરિજી મહારાજ અથાગ પરિશ્રમ ઉઠાવીને મન, વચન, કાયાથી શાસનની સેવા બજાવી રહ્યા હતા. પરંતુ એકાએક અસ્વસ્થ થતાં, રાજનગરમાં સં. ૧૯૯૯ના આ સુદ ૧ને દિવસે, શ્રીસંઘ સમક્ષ, વિશાળ શિષ્ય-પ્રશિષ્યાદિની ઉપસ્થિતિ વચ્ચે, શુભધ્યાનારૂઢ થતાં થતાં, 67 વર્ષની વયે પરલોકવાસી વાસી થયા. શાસનના આ મહાન અને માનવંતા સૂરિવરને અનંતાનંત વંદન હો! ચહેરા પર નિરંતર વહી રહેલી પ્રાંતવાહિતા; નવકારવાળી અને આંગળીઓના નર્તન દ્વારા પ્રકટ થઈ રહેલી જપલીનતા નિરવધિ હાર્દિક ઉદારતાના ત્રણે ગુણેના સુભગ સમન્વય રૂપ યુગમહર્ષિ ભદ્ર પરિણામી-દીર્થસંયમી–આમસાધનાનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. દાદાજી શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજે શાસનપ્રભાવનાના અનેકવિધ કાર્યો કર્યા હતાં. તેઓશ્રીનું જીવન આત્મજ્ઞાનના પ્રસાર માટે અપ્રતિબદ્ધ વહ્યું છે. પૂજ્યશ્રીના પરિવારમાં પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિષ્કારસૂરિજી મહારાજ આદિ અનેક શાસનપ્રભાવક શ્રમણભગવંતે થયા છે. તેમાં પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ દાદાજીના પ્રશિષ્ય થાય અને પૂ. શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય થાય. તેમને જન્મ સં. ૧૯૩૦માં વૈશાખ સુદ ૬ને દિવસે રાધનપુરમાં થયો હતા. તેમનું સંસારી નામ ભેગીલાલ હતું. ભેગીલાલ ત્રણ છેરણ સુધી અભ્યાસ કરીને સં. ૧૯૪રમાં દુકાને બેઠા. પૂર્વ ભવના પુણ્યબળે ધર્મના સંસ્કારે એવા પ્રબળ કે પૂ. મુનિરાજની પધરામણું થાય ત્યારે દુકાન ભૂલી જાય. અભ્યાસ કરતાં કરતાં પંચપ્રતિકમણ, નવ સ્મરણ-પ્રકરણ અને સંસ્કૃતના 18 પાડ સુધી પહોંચી ગયા હતા. માતા સૂરજબેન પણ ધર્મનિષ્ઠ હતાં. માતાપિતાએ મોહવશ ભેગીલાલના લગ્ન કરાવ્યા. સં. ૧૯૫૨માં પૂ. દાદાજીના શિષ્ય પૂ. વિનયવિજયજી મહારાજનું રાધનપુરમાં ચાતુર્માસ થયું. ભેગીલાલ આમાં રંગાઈ ગયા. ભક્તિ-ભાવના માટે જૈન નૃત્ય-ગાયનની મંડળીની સ્થાપના કરી, જે આજેય ચાલે છે. દીક્ષાની ભાવના ઉત્કટ બની. ઘઉ', ચિખા અને ઘીની બનેલી કઈ વસ્તુ દીક્ષા ન લેવાય ત્યાં સુધી ન વાપરવી એ અભિગ્રહ કર્યો. ભેગીલાલે તેમનાં ધર્મપત્નીને પણ પ્રતિબંધીને દીક્ષા માટે તૈયાર કર્યા. સં. ૧૯૫૮ના વૈશાખ સુદ ૧૫ના શુભ દિવસે રજવાડા જેવા ઠાઠમાઠ સહિત આ યુગલને દીક્ષા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249123
Book TitleVijay Meghsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy