SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ કરર શાસનપ્રભાવક પૂ. મુનિ શ્રી મંગળવિજ્યજી મહારાજના પગલે પગલે મુનિ શ્રી પ્રભાકરવિયજી અને મુનિ શ્રી પદ્મવિજયજીની શ્રમણ–બેલડીએ આ કાર્ય ઉપાડી લીધું. બંગાળ અને બિહારમાં વિદ્યાલય અને છાત્રાલય શરૂ કરાવ્યાં. ઈ. સ. ૧૯૭૨માં શ્રી સમેતશિખરજી તીર્થમાં “શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠની સ્થાપના કરી. સમગ્ર સરાક જાતિને પુનઃ જૈનધર્મમાં સુદઢ કરવા માંડી. તેઓને વ્રતધારી શ્રાવકો બનાવ્યા. “શ્રી વિજયભક્તિપ્રેમસૂરિજી તાંબર જૈન ઉચ્ચ વિદ્યાલયની સ્થાપના કરી. સરાક પ્રજાનાં બાળકોને વ્યાવહારિક શિક્ષણ સાથે દેવદર્શન, પૂજા, ગુરુવંદન, સામાયિક, પ્રતિકમણ, વ્રત, જપ, તપ આદિની તાલીમ આપવાની શરૂ કરી. આ સંસ્થાએ દસ વર્ષમાં ૩૦૦ સરાક વિદ્યાર્થીએ પુનઃ જૈન ધર્મમાં સુસ્થિર કર્યા. વિદ્યાપીઠના વિધાતા મુનિરાજ શ્રી પવવિજ્યજી મહારાજ આજે આ કાર્યને ભારે પુરુષાર્થ કરી આગળ વધારી રહ્યા છે. આ પ્રવૃત્તિના પ્રણેતા પૂ. મુનિ શ્રી મંગળવિજયજી મહારાજ જેનધર્મના ઇતિહાસનું યશસ્વી પ્રકરણ છે. આગમશાસ્ત્રો આદિના સંપાદક-સંશોધક અને પરમ ત્યાગમૂર્તિ પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ જૈનશાસનનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે યુગે યુગે જૈનસંઘની શ્રતભક્તિમાં અને શુતઉપાસનામાં સદા સ્મરણીય બની રહે તેવા દાર્શનિક, સૂરિવર્યો, સાક્ષરો અને પ્રભાવક સાધુભગવંતે સાંપડ્યા છે અને તેઓએ સર્વત્ર સંયમજીવનની સુવાસ પ્રસરાવી છે. કેટલાક સમય પહેલાં પૂજ્ય મુનિવર્યશ્રી અંબૂવિજયજી મહારાજે સંપાદિત કરેલા દ્વાદશાર નયચક” નામે આકારગ્રંથનું યશસ્વી પ્રકાશન થયું. આ ગ્રંથમાં ભારતીય દર્શનના બાર પ્રકારનાં દાર્શનિક મંતવ્યોની ખૂબી અને ખામીઓની વિવેચના કરવામાં આવી છે. ઉપરાંત, જેનદર્શનના અનેકાંતવાદની સ્પષ્ટતા કરવામાં આવી છે, તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ગ્રંથરત્નના સમર્થ ઉદ્ધારક સ્વ. મુનિવર્ય શ્રી ભુવનવિજ્યજી મહારાજના અંતેવાસી ( શિષ્ય-પુત્ર) પૂ. મુનિ પ્રવર શ્રી જંબૂવિજ્યજીના સફળ હાથે આ શક્યત કાર્યનું નિર્માણ થયું. તેઓશ્રીએ આ કાર્યને સર્વાગ સુંદર રીતે પરિપૂર્ણ કરવા માટે બે દાયકા જેટલા લાંબા સમય સુધી એકાગ્રભાવે ઉગ્ર તપ કર્યું. પરિણામે, ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ સુંદર, સુઘડ અને સુવાચ્ય સ્વરૂપે સુલભ બન્ય. તનથી દુર્બળ, પણ મનથી મજબૂત એવા આ મુનિવરે પ્રચંડ જ્ઞાનશક્તિથી સમર્થ આત્મબળથી અને અદમ્ય ઇચ્છાશક્તિથી આ વરિષ્ઠ ગ્રંથનું સંશોધન-સંપાદન પ્રકાશન કર્યું. એ માટે પૂજ્યશ્રીએ તિબેટ, ચીન, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે દેશમાંથી પ્રાચીન ગ્રંથની જુદીજુદી પદ્ધતિથી લેવામાં આવેલી પ્રતિકૃતિઓ, માઈક્રોફિલ્મ, પ્રતે આદિ સામગ્રી એકત્ર કરી. આ ગ્રંથથી માહિતગાર હતા તે દેશવિદેશના સાક્ષ સાથે પરિચય કેળવે, પત્રવ્યવહાર કર્યો અને તેઓના મતમતાંતર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249109
Book TitleJambuvijayjimuni
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size76 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy