SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શાસનપ્રભાવક લગભગ ૯૦ સાધુઓ અને ૪૫૦ સાધ્વીજીઓ તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓને મહેરામણ ઊમટયો હતે. એ સર્વની વચ્ચે પૂજ્યશ્રીની મહાન પ્રભાવકતા પ્રકાશતી હતી. આવા અમૂલા અવસરે તેઓશ્રીને આચાર્યપદ માટે અનેક વિનંતીઓ થઈ હતી. પણ સદાયે નામનાની કામનાથી અળગા રહેતા આ મુનિવરે હંમેશની જેમ ઇન્કાર કરી દીધે. ૯૦ થાણાને એક જ અવાજ હતું કે આચાર્ય પદ સ્વીકારે. પરંતુ માન-પ્રતિષ્ઠાના નિર્લેપી આ મહાત્મા એકના બે થયા નહતા. ઉપરાંત, તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાએ તેમને પુષ્કળ માન-સન્માન આપવા તત્પર છતાં તેઓશ્રી એ માન-સન્માનથી નિસ્પૃહી રહેવા માટે સભા-સમારંભમાં પણ જતા નહીં. પણ, સન્માન, ઉપાધિઓ, સભ્યપદે તેઓશ્રી પાછળ દોડતાં. જેમાં જુદી જુદી સેસાયટીએ તેમને સભ્યપદ મેકલ્યાં હતાં, તેમ જુદી જુદી ડિગ્રીએ પણ મોકલી હતી, જેમ કે – M. N. G. s. (Washington). M. A. S. ( Bombay), M. A. M. S. ( Delhi), M.O. G. (Ahmedabad), M. I. S. C. A. ( Calcutta ). આવી મહાન વિભૂતિમત્તાને જીવનની અધી યાત્રા વટાવી ત્યાં લકે ગ્રસી ગયો. વિશાળ શિષ્યસમુદાય અને હજારો ભાવિકે ખડે પગે સેવાસુશ્રષા કરતાં હતાં તેની વચ્ચે પૂજ્યશ્રીએ સં. ૨૦૪૩ના કારતક વદ ને દિવસે ઊંઝા મુકામે પિતાની જીવનલીલા સંકેલી લીધી. દર વર્ષના અલ્પાયુમાં અને અધી સદીથી પણ અધિક રીક્ષા પર્યાયમાં તેઓશ્રીએ જે અનેકવિધ શાસનપ્રભાવના કરી તે મહાગ્રંથ વગર દર્શાવી ન શકાય તેટલી વિશાળ છે. પૂજ્યશ્રીની મહાનતા તો એ છે કે તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના નામસ્મરણથી અનેક સુખદ ચત્કાર થયાના દાખલા નોંધાયા છે. પૂ. પંન્યાસજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીએ આરંભેલાં તમામ ધર્મકાર્યોની ધૂરા તેમના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજે સંભાળી છે. એવા એ અનેકમુખી પ્રતિભા ધરાવનાર અપૂર્વ અને અજોડ મહાપુરુષને કેટ કેટિ વંદના ! (સંકલનઃ પ્રબુદ્ધજીવન, પૂ. ગણિવર શ્રી હેમચંદ્રસાગરજીના ગ્રંથરત્ન પૂજ્ય ગુરુદેવ’ આદિના આધારે સાભાર.) શાસનદીપક : વ્યાખ્યાતૃ ચૂડામણિ : પૂજય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા)ના શિષ્યરત્ન શાસનપ્રભાવક, શાસનદીપક, વ્યાખ્યાત ચૂડામણિ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ અજોડ શક્તિના ધારક હતા. દીક્ષિત થયા પહેલાં પણ તેમના મનમાં ધર્મના સિદ્ધાંતે જાણવાની, તેને પ્રચાર કરવાની ભાવના ઊભરાતી હતી, જેનાગમાં રહેલા સિદ્ધાંતને જાણવા માટે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન હોવું જરૂરી હતું. તે માટે તેઓ બનારસ પાઠશાળામાં ભણવા ગયા. સિદ્ધહેમ, અષ્ટાધ્યાયી, ન્યાય, કાવ્ય આદિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249108
Book TitleVidyavijayjimuni
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size74 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy