SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૩૦૭ સસ્મરણા યુગે! સુધી યાદ કરશે એમાં કોઈ શકાને સ્થાન નથી. એવા એ અપ્રતિમ શાસનપ્રભાવકને કટિ કેટિ વંદના ( સંકલન : મુનિશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ. સંદર્ભગ્રંથે : શ્રી આલાભાઈ દેસાઈ સ’પાદિત ‘શ્રી ચારિત્રવિજય ગ્રંથ ' તથા શ્રી મહુવાકર લિખિત ‘ ગુરુકુળની ગૌરવગાથા’ ) ન્યાયતી: ન્યાવિશારદ પૂ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ પતિરાજ અશ્વઘોષ અને કવિરાજ કાલિદાસ સમી પ્રશસ્તિ પામનારા આ સરળતા અને સમાનતાના સાધક સાધુવરને જન્મ સ. ૧૯૪૬ના કારતક સુદ ૩ ને શુભ દિને માંડલમાં થયે હતા. પિતા છગનલાલ અને માતા દિવાળીબેનનું એક માત્ર લાડકવાયું. સ ંતાન નરિસંહ નાનપણથી જ સરળ સ્વભાવી, સસ્કારી અને ધર્મપ્રેમી હતું. નરસિંહ ગામઠી શાળામાં ચાર ધારણને અભ્યાસ પૂરો કરીને પ્રસિદ્ધ જૈનાચાય શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી માંડલમાં સ્થપાયેલી શ્રી યશેવિજય જૈન પાઠશાળામાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. બીજે વર્ષે આ પાઠશાળા બનારસ ખસેડવામાં આવી. ત્યાં બે વર્ષ અભ્યાસ કરીને વતન પાછા આવ્યા. દરમિયાન માતા અને પિતાનું અવસાન થતાં ખૂબ આઘાત અનુભળ્યા. ત્યાર બાદ, કાકાની રજા લીધા વગર, પાલીતાણા જવાનું બહાનુ કાઢી બનારસ પહેાંચ્યા. ત્યાંથી ગુરુદેવ ૩૦ વિદ્યાર્થી એ સાથે કલકત્તા તરફ વિહાર કરતા હતા તેમાં જોડાઇ ગયા. અનેક મુસીબતે વચ્ચે કલકત્તા પહેાંચીને, અન્ય ચાર મિત્રા સાથે નરસિંહે પણ દીક્ષા ગ્રહણ કરી. પહેલેથી જ તેએ · ન્યાય 'માં વિશેષ રુચિ ધરાવતા હતા તેથી પૂ. ગુરુદેવે નામ આપ્યુ મુનિ શ્રી ન્યાયવિજયજી. * I પૂજ્યશ્રીએ પણ યક્ષનામ ન્યાયશાસ્ત્રોનુ ગહન અધ્યયન કરી, તેમાં ઊંચી ઊંચી પરીક્ષા પસાર કરી ન્યાયતી ' અને • ન્યાયવિશારદ ’ની પઢવીએ પ્રાપ્ત કરી. ઊગતી જુવાનીમાં શાસ્ત્રોમાં પરમ પારગામિતા પ્રાપ્ત કરી ‘ અધ્યાત્મતત્ત્વાલેક ’ અને ‘ ન્યાયકુસુમાંજલિ ’ જેવા શ્રેષ્ઠ શાસ્ત્રગ્રંથો લખ્યા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવી કાવ્યરચનાઓ કરી. યુવાન સાધુની આવી ઊંચી પ્રતિભા અને જ્ઞાનવૈભવ જોઈ ને નાગપુર અને ઉજ્જયિનીના બ્રાહ્મણોએ તેમને ‘સિમથયોષઃ મ્ ાહિદાસ; । ' એવાં પ્રશસ્તિવનેા સાથે માનપત્ર અપણુ કર્યું. ઊંડાં ચિંતનને પરામર્શ પામેલા પૂજ્યશ્રીને જૈનદર્શન' નામના મહાગ્રંથ અજોડ અને અવિસ્મરણીય ધર્મગ્રંથ છે. સમગ્ર ભારતવષ માં, જૈન-જૈનેતર સમાજમાં અદ્ભુત લેાકાદર પામેલા આ ગ્રંથની ૧૦-૧૦ આવૃત્તિએ થઈ છે. હિંદી અને અ ંગ્રેજીમાં તેના અનુવાદ થયા છે. આ ઉપરાંત, તેએશ્રીએ નાનામેટા પચાસેક ગ્રંથે લખ્યા છે. પૂ. વિનેમાજી જેવા સ ંતાએ તેમની ધર્મપ્રીતિ અને શાસ્ત્રચિંતનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. વળી, તેઓશ્રીના સ્વદેશપ્રેમ પણ વિશિષ્ટ હતા. મુંબઈમાં સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે ટાઉનહોલમાં * Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249105
Book TitleNyayavijayjimuni
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size74 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy