SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક ઉપાંગ આગમ ઉપર પણ છે. તેમણે સ્વતંત્ર ગ્રંથરચના પણ કરી હતી. ગણધર શ્રી સુધર્મોસ્વામીના આગમસાહિત્યના ગૂઢાર્થ સમજવા માટે આચાર્ય અભયદેવસૂરિની ટીકાએ ચાવી સમાન માનવામાં આવે છે. આ ટીકા સક્ષિપ્ત અને શબ્દાપ્રધાન છે. તેમાં અનેક વિષયાનુ નિરૂપણ કરવામાં આવેલ છે. તેમની આ ટીકાઓની સહાય વિના અંગશાસ્ત્રના રહસ્યને સમજવુ' મુશ્કેલ છે, તેમણે દ્વાદશાંગીમાંના અંગ ૩ થી ૧૧ ઉપર ટીકા લખી છે. તેમણે રચેલ ટીકા વગેરે ગ્ર'થાને પરિચય આ પ્રમાણે છે : ૨૦૪ સ્થાનાંગવૃત્તિ : મૂળસૂત્ર પર સ્થાનાંગવૃત્તિની રચના છે. સૂત્રસંબદ્ધ વિષયેનુ વિસ્તારથી વિવેચન છે. દાર્શનિક દૃષ્ટિની વિશદ વ્યાખ્યા છે. વૃત્તિમાં કયાંક કચાંક સક્ષિપ્ત કથાનક છે. આ વૃત્તિની રચનામાં શ્રી અભયદેવસૂરિને સવિજ્ઞપાક્ષિક અજીતસિંહસૂરિના શિષ્ય શ્રી યશે દેવગણના સહયોગ પ્રાપ્ત થયા હતા. દ્રોણાચાય ના નામેાલ્લેખ પણ આ ટીકામાં છે, જેમણે આ ટીકાનું સંશોધન કર્યું હતું. આ ટીકાનો રચનાકાળ વિ. સં. ૧૧૨૦ છે. આનુ ગ્રંથમાન ૧૪૨૫૦ પરિમાણ છે. સમવાયાંગવૃત્તિ : આ વૃત્તિની રચના પણ મૂળ સૂત્રો પર છે. આ મધ્યમ પિરમાણુની ટીકા છે. આમાં પ્રજ્ઞાપનાસૂત્રને તથા ગંધહસ્તિ ભાગ્યનો ઉલ્લેખ છે. આ ટીકાની રચના વિ. સ. ૧૧૨૦ માં પાટણમાં થઇ છે. આનું ગ્રંથમાન ૩૫૭૫ શ્ર્લોક પરિમાણ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિવૃત્તિ : આ સંક્ષિપ્ત શબ્દાર્થપ્રધાન ટીકા છે. આમાં એક વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના દશ અર્થ બતાવ્યા છે, જે ભિન્ન ભિન્ન અબેયની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ ટીકામાં શ્રી સુધર્માંસ્વામી આદિને નમસ્કાર કર્યા પછી ટીકાકારે આ સૂત્રની પ્રાચીન ટીકા, ચૂર્ણ અને જીવાભિગમ આદિની વૃત્તિની સહાયતાથી ટીકા રચવાનો સંકલ્પ કરેલેા છે. આથી સ્પષ્ટ છે કે, ટીકાકાર શ્રી અભયદેવસૂરિ સામે ભગવતીસૂત્રની પ્રાચીન ટીકા હતી. ટીકાના અંતમાં ગ્રંથકારે જિનેશ્વરસૂરિથી પોતાની ગુરુપર પરાના ઉલ્લેખ કર્યાં છે. આ ટીકાની રચના વણ અભયદેવસૂરિએ પાટણમાં વિ.સં. કરી હતી. આ ટીકાનુ ં ગ્રંથમાન ૧૮૬૧૬ શ્ર્લોકપરિમાણુ બતાવ્યું છે, જ્ઞાતાધ કથાવૃત્તિ : મૂળસૂત્રસ્પર્શી શબ્દાપ્રધાન આ ટીકા ૩૮૦૦ શ્ર્લોકપરિમાણુ છે. આ ગ્રંથની રચનાઃ પાટણમાં વિ. સ’. ૧૧૨૦ માં વિજયાદશમીને દિવસે થઇ છે. જ્ઞાતાધમ કથાના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૯ કથાનક છે. એ કથાનક અત્યંત પ્રસિદ્ધ છે. જ્ઞાત હોવાને લીધે આ શ્રુતસ્ક ંધતું નામ જ્ઞાતા છે. બીજા શ્રુતસ્કંધમાં ઘણી ધર્મકથાઓ વ્હેવાથી તેનું નામ ધ કથા છે, ઉપાસકદશાંગવૃત્તિ : ઉપાસકદશાંગવૃત્તિની રચના મૂળ સૂત્ર પર થઈ છે. આ સંક્ષિપ્ત ટીકા છે. આની રચના જ્ઞાતાસૂત્રની વૃત્તિની રચના પછી થઈ છે. આમાં ટીકાકારે વિશેષ શબ્દોમાં અનુ સ્પષ્ટીકરણ કરેલ છે. આ વૃત્તિનું' ગ્રંથમાન ૯૦૦ પદ્મપરિમાણ છે. અંતકૃશાવૃત્તિ : આ વૃત્તિ પણ મૂળસૂત્રસ્પર્શ અને શબ્દપ્રધાન છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૮૯૯ પરિમાણુ છે. અનુત્તરૌપપાતિવૃત્તિ : આ પણ શબ્દપ્રધાન સક્ષિપ્ત ટીકા છે. આનું ગ્રંથમાન ૧૦૦ શ્લેાકપ્રમાણ છે. આમાં શબ્દોની સારગર્ભિત વ્યાખ્યા પાટકના મનને વિશેષ પ્રભાવિત કરે છે. પ્રશ્નવ્યાકરણવૃત્તિ : આ શબ્દાર્થપ્રધાનવૃત્તિ લગભગ ૪૬૩૦ પદપરમાણુ ૧૧૨૮ માં For Private & Personal Use Only Jain Education International 2010-04 www.jainelibrary.org
SR No.249080
Book TitleAbhaydevsuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Story
File Size179 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy