________________
શ્રમણભગવતા
અંગશાસ્ત્રાને સુલભ અને સુગમ અનાવનાર મહાસમ નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજ
૨૩
જૈનપર’પરામાં અભયદેવસૂરિ નામે કેટલાયે આચાર્યો થયા છે, તેમાં આ આચાર્ય અભયદેવસૂરિ નવાંગી ટીકાકાર તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. તે ચદ્રકુલીય સુવિદ્ધિતમાગી શ્રી વર્ધમાનસૂરિના પ્રશિષ્ય અને શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય હતા. શ્રી વર્ધમાનસૂરિ પ્રારંભમાં સૂપુરના ચૈત્યવાસી હતા. તેમનું ૮૪ જિનમદિશ પર સ્વામિત્વ હતું. શ્રી ઉદ્યોતનસૂરિની પરંપરાથી પ્રભાવિત થઈ તેમણે ચૈત્યવાસના ત્યાગ કરી સુવિહિતમાગી પરંપરાના સ્વીકાર કર્યાં હતા.
આચાર્ય શ્રી અભયદેવસૂરિના જન્મ વૈશ્યપરિવારમાં વીરનિર્વાણ સ. ૧૫૪૨ (વિ. સં. ૧૦૭૨ )માં થયા હતા. ઇતિહાસપ્રસિદ્ધ માલવદેશની રાજધાની ધારાનગરી તેમની જન્મભૂમિ હતી, તે મહીધર શેઠના પુત્ર હતા. તેમની માતાનુ નામ ધનદેવી હતું. અને તેમનું જન્મનામ અભયકુમાર હતું. ધારાનગરીમાં એ વખતે રાજા ભોજનુ શાસન હતુ. અભયકુમાર બુદ્ધિશાળી બાળક હતા, તેથી પિરવાર પાસેથી સહજપણે ધાર્મિક 'સ્કારો મળ્યા હતા. એક વખત શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ ધારાનગરીમાં પધાર્યાં. પિતા મહીધર સાથે અભયકુમારે તેનું પ્રવચન સાંભળ્યુ. બાળકના મન પર વૈરાગ્યનો રંગ લાગ્યો. માતા-પિતાની આજ્ઞા લઈ અભયકુમારે શ્રી જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી; અને શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય અન્યા. દીક્ષા બાદ આળમુનિએ ગંભીરતાપૂર્વક આગમેના અભ્યાસ કર્યાં. ગુરુજન પાસે ગ્રહણ અને આસેવન શિક્ષા ગ્રહણ કરી મહાક્રિયાનિષ્ઠ અભયદેવસુનિ શાસનરૂપી કમળને વિકસિત કરવા માટે સૂર્યંા તેજસ્વી જણાવા લાગ્યા. આચાય. શ્રી વર્ધમાનસૂરિના આદેશથી શ્રી જિનેશ્વરએ તેમને વિ. સં. ૧૦૮૯માં, ૧૬ વર્ષની વયે, આચા પદથી અલંકૃત કર્યાં.
આચાર્ય શ્રી અભયદેવસૂરિ સિદ્ધાંતેના ગંભીર જ્ઞાતા હતા. આગમેતર વિષયેાનું પણ તેમને વિશાળ જ્ઞાન હતુ. શ્રમણગણને તે આગમની વાચના આપતા હતા. શ્રી વ માનસૂરિના સ્વર્ગવાસ પછી, એક વખત રાત્રિના સમયે આચાય અભયદેવસૂરિ ધ્યાનમાં બેઠા હતા. તે સમયે તેમને ટીકા રચવાની પ્રેરણા થઇ. પ્રભાવકત્ર આદિ ગ્રંથો પ્રમાણે આ પ્રેરણા શાસનદેવીએ કરી હતી. રાત્રિ સમયે ધ્યાનસ્થ અભયદેવસૂરિની સામે શાસનદેવી પ્રગટ થઈ ને ખાલ્યા, “ મુનિવર્ય ! આચાય શીલાંકસૂર અને કાટ્ટાચાર્ય વિરચિત ટીકાસાહિત્યમાં આચારાંગ અને સૂત્રકૃતાંગ આગમની ટીકાઓ સુરક્ષિત છે, જ્યારે બાકીના આગમાની ટીકાઓ કાળદોષના પ્રભાવે લુપ્ત થઇ ગઇ છે, આથી આ ક્ષતિ દૂર કરવા માટે આપ સધના હિતાર્થે પ્રયત્નવાન અને અને ટીકા રચવાના કાર્યના પ્રારંભ કરો. ’
.
આચાર્ય શ્રી અભયદેવસૂરિએ કહ્યું કે “ દેવી ! મારા જેવા જાતિ દ્વારા શ્રી સુધર્માસ્વામીકૃત આગમો પૂર્ણરીતે જાણવા પણ કઠિન છે. અજાણતાં ઉત્સૂત્રપ્રરૂપણા થઈ જાય તે આ કાર્ય કર્મ બંધન અને અનંત સ'સારની વૃદ્ધિનું નિમિત્ત બની જાય. આપનાં વચનાનું ઉલ્લંધન
For Private & Personal Use Only
Jain Education International 2010_04
www.jainelibrary.org