SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૫ છે. દશવૈકાલિકના કર્તા શ્રી શષ્યભવસૂરિને વિગતે પરિચય આપ્યો છે. ટીકાના અંતે ટીકાકારે પોતાના પરિચય યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે આપેલ છે. જીવાભિગમ ટીકા : આમાં જૈનાગમ તત્ત્વદર્શનનું વિવેચન છે. પ્રજ્ઞાપના પ્રદેશ બ્યાખ્યા : આ સક્ષિપ્ત અને સરળ ટીકા છે. જીવ અને અજીવ સંબંધી અનેક સૈદ્ધાન્તિક વિષયે સમજાવવામાં આવ્યા છે. નન્તીવૃત્તિ : નન્દી ટીકા ૨૩૩૬ બ્લેકપ્રમાણ છે. તેમાં કેવલજ્ઞાન-કેવલન ચર્ચા – નન્દીચૂર્ણિમાં વર્ણવેલા સ વિષયાનુ સ્પષ્ટીકરણ તથા અયેાગ્યદાન અને ફલ પ્રક્રિયાનું વિવેચન છે. અનુયાગદ્વાર વૃત્તિ ઃ અનુયાગવૃત્તિનું નામ ‘ શિષ્યહિતા ' છે. પ્રમાણુ આદિ સમજાવવા માટે અંગુલેનું સ્વરૂપ, પ્રત્યક્ષ, અનુમાન, આગમની વ્યાખ્યા તેમ જ જ્ઞાનનય અને ક્રિયાનયનુ વર્ણન પણ આ ટીકામાં સારી રીતે સમજાવેલ છે. આવશ્યક ગૃહવૃત્તિ પણ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચી હોવાનુ માનવામાં આવે છે. તેનુ લેક પ્રમાણુ ૮૪૦૦૦ હતું. આજે તે ઉપલબ્ધ નથી. લલિતવિસ્તરાવૃત્તિ : ‘નમ્રુત્યુણું' સૂત્ર ( ચૈત્યવદન સૂત્ર ) ઉપર સસ્કૃતમાં લલિતપૂર્ણ શૈલીમાં વૃત્તિ રચી છે. આ વૃત્તિના વાચનના પ્રભાવે શ્રી સિદ્ધષિ મહારાજ જૈન ધર્મમાં સ્થિર થયા હતા. તેને ઉલ્લેખ ગૌરવપૂર્વક કર્યું છે नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवर सूरये । मदर्थं निर्मिता येन वृत्तिर्ललितविस्तरा ॥ તત્ત્વાર્થ સૂત્ર લઘુવૃત્તિ, પિંડનિયુક્તિવૃત્તિ, ક્ષેત્રસમાસવૃત્તિ, કમ સ્તવવૃત્તિ, ધ્યાનશતકવૃત્તિ, લઘુક્ષેત્રસમાસ વૃત્તિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ ટીકા, સર્વજ્ઞસિદ્ધિ ટીકા, ન્યાયાવતાર વૃત્તિ આદિ ટીકાએ આચાય હરિસદ્રસૂરિની અનન્ય શક્તિના બેધ આપે છે. યેગર્દષ્ટ સમુચ્ચયવૃત્તિ, યેએિદુ, યેાગવિશિકા, યેગશતક વગેરે ગ્ર ંથો રચ્યા છે. યોગની આ દૃષ્ટિનું પ્રતિપાદન સુંદર રીતે સમજાવ્યુ છે. તેમણે ચારેય અનુયાગાની રચના કરી છે. દ્રવ્યાનુયેાગમાંધ સંગ્રહણી, ગણિતાનુયેાગમાં ક્ષેત્રસમાસવૃત્તિ, ચરણાનુયોગમાં ધ બિંદુ, ઉપદેશદ અને ધ કથાનુયોગમાં ધૂર્તાખ્યાન રચેલ છે. ધર્મ સંગ્રહણીમાં પાંચ પ્રકારના જ્ઞાનનું વર્ણન, સર્વાંગસિદ્ધિનું સમર્થન, ચાર્વાકદર્શીનનુ યુક્તિપૂર્ણાંક ખ’ડન છે. સાવગધમ્મ અને સાવગધમ્મ સમાસમાં શ્રાવકધર્માંની શિક્ષા અને ખાર ત્રાનું વિવેચન છે. અનેકાંત જયપતાકા અને અનેકાંતપ્રવેશ એ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અનેકાંતષ્ટિને સ્પષ્ટ કરનાર ગંભીર રચના છે. ષટ્ટુન સમુચ્ચયમાં ભારતીય છ દનેનું સુંદર નિરૂપણ છે. કથાકેષ તેમને શ્રેષ્ઠ ગ્રંથ હતા, તે આજે મળતા નથી. ચમરાચિકા તેમની અત્યં'ત પ્રસિદ્ધ પ્રાકૃત રચના છે. લેાકતત્ત્વનિય, શ્રાવકપ્રાપ્તિ, અશ્રુકપ્રકરણ, પચાશક, પચવસ્તુ પ્રકરણ ટીકા આદિ સાહિત્યગ્રંથ રૂપે શ્રી હર્ભિદ્રસૂરિ પાસેથી પ્રાપ્ત થયુ છે. આગમા પછી જે કઈ સાહિત્ય રચાયુ. તેમાં—સંખ્યા અને ગુણવત્તાએ તેમ જ શૈલી અને અનુપ્રેક્ષા એમ સમગ્રતાએ—આચાય હરિભદ્રસૂરિ સર્વોપરી અને શરમાર છે. તેમનું સન ૧૪૪૪ ગ્રંથ જેટલું વિપુલ હોવાનું મનાય છે. તેમાંથી આજ માત્ર ઓછામાં ઓછા ૫૦ થી ૬૦ ગ્રંથા ઉપલબ્ધ છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249074
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size221 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy