SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક પ્રવૃત્ત મુકુન્દમુનિને જોઈ “તમે ભણને શું મુશળને ફૂલ લગાવશે?” એમ ટીકા કરનાર વાચાળ વ્યક્તિનું મુખ બંધ કરી દીધું. વાદગોષ્ઠીઓમાં મુકુન્દમુનિ સર્વત્ર દુજેય બન્યા. અપ્રતિમહુવાદીના રૂપમાં તેમને મહિમા ફેલાયો. સર્વ પ્રકારે ગ્ય સમજી વાદી વૃદ્ધવાદીને આચાર્ય સ્કંદિલે પિતાના ઉત્તરાધિકારી તરીકે તેમને સ્થાપન કર્યા. આચાર્ય સ્કંદિલના સ્વર્ગવાસ પછી આચાર્ય વૃદ્ધવાદીને શાસ્ત્રાર્થ વડેદરા પાસેના તરસાલી ગામે થયેલા સંસ્કૃત ભાષાના વિદ્વાન સિદ્ધસેન સાથે થયા. તે વાદ બહુ પ્રસિદ્ધ છે. આ શાસ્ત્રાર્થમાં વિજયી બની આચાર્ય વૃદ્ધવાદીએ સિદ્ધસેનને પિતાને શિષ્ય બનાવ્યું. વૃદ્ધાવસ્થામાં દીક્ષિત મુનિ મુકુન્દ વાદકુશળ આચાર્ય થવાના કારણે વૃદ્ધવાદી તરીકે પ્રસિદ્ધ થયા અને જૈનધર્મની મહાન પ્રભાવના કરી. શ્રી વૃદ્ધવાદી અનુગધર આચાર્ય દિલના શિષ્ય હતા અને મહાન તાર્કિક આચાર્ય સિદ્ધસેન દિવાકરના ગુરુ હતા. આચાર્ય સ્કંદિલની વાચના વીરનિર્વાણ સં. ૮ર૭ થી ૮૪૦માં પ્રમાણિત થઈ છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરને સમય વિક્રમની પાંચમી સદી છે. આચાર્ય વૃદ્ધવાદી એ બંનેના મધ્યવર્તી સમયના વિદ્વાન શ્રમણપ્રવર હતા. રાજા વિક્રમાદિત્યની રાજસભાના સમર્થ વિદ્વાન અને રાજમાન્ય આદરણીય ગુરુ, સુવર્ણસિદ્ધિની વિદ્યા પ્રાપ્ત કરનાર, “કલ્યાણમંદિર સ્તોત્ર'ના રચયિતા, મહાન દાર્શનિક, વાદયી, શ્રુતકેવલી તુલ્ય, સરસ્વતીકંઠાભરણ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ (ઉચ્ચ કેટિના સાહિત્યકાર, દિગ્ગજ વિદ્વાન, પ્રકૃષ્ટ વાદી શ્રી સિદ્ધસેન દિવાકર તાંબર પરંપરાના પ્રભાવક આચાર્ય છે. તેમનાં ઉદાર વ્યક્તિત્વ, સૂમ ચિંતનશક્તિ અને ગંભીર દાર્શનિક વિચારેએ જેનશાસનને સમૃદ્ધિ બક્ષી છે. પરિણામે વેતાંબર અને દિગંબર--બને પરંપરાના વિદ્વાનોએ પિતપોતાના ગ્રંથમાં આદરપૂર્વક આચાર્યશ્રી સિદ્ધસેનનું સ્મરણ કર્યું છે. કલિકાલસર્વ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિનું મસ્તક આચાર્ય સિદ્ધસેનની પ્રતિભા સામે ઝૂકી ગયું છે. તેમણે અગવ્યચ્છેદિકામાં કહ્યું છે કે સિદ્ધહેનતુતો માથ, અશિક્ષિતા કહ્યા પ જૈવ ! રૂ – સિદ્ધસેનની મહાન ગૂઢાર્થક હતુતિઓ સામે મારી જેવી વ્યક્તિને પ્રયાસ અશિક્ષિત વ્યક્તિને આલાપમાત્ર છે.” હેમશબ્દાનુશાસનમાં શ્રી હેમચંદ્રાચાર્યે કન્ટેડનૂન ૨-૨-૩૯ સૂત્રની વ્યાખ્યામાં “કસિદ્ધસેન ત્રચઃ” કહીને અન્ય કવિઓને શ્રી સિદ્ધસેનસૂરિના અનુગામી સિદ્ધ કર્યા છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચવસ્તુમાં કહ્યું છે કે– सुयकेवलिणा जी भणियंआयरियसिद्धसेणेण सम्मइए पइट्ठियजसेणं । दुस्समणिसा-दिवाकर कप्पतरूओ पयक्खेणं ॥ १४०८ ॥ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249069
Book TitleSiddhasena Diwakara
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size202 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy