________________
૧૧૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
તિમિર તમામ સ્થળે છવરાવ્યું, હિત—અહિત જરાય ન જણાયું, અંધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. ગુરુ૦ ૨ દર્દીના છે અનેક દોષો, જડતા સામું કદી નવ જૉશો; વિશાળ દૃષ્ટિ કરીને અમી વરસાવજો રે. ગુરુ૦ ૩ ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિઘ્નો આવી નડે છે; આ અગવડની સરસ દવા સમજાવજો રે. ગુરુ ૪ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદાય ન્યારી; દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે. ગુરુ ૫ અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો; શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે. ગુરુ ૬ જન્મ મરણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા; ‘સંત શિષ્ય’ને એવું સ્વરૂપ સમજાવજો રે. ગુરુ૦ ૭ વિરા (રાગ-પીલુ અથવા આશા)
આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે, ટેક એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. સદ્ગુરુસંગ કરે કોઈ વિરલા, અમૃત ફલ કોઈ વિરલા ખાવે. અંતરમાં જાગે જન વિરલા, કર્માદળોને વિરલા હઠાવે. તજવાનું ત્યાગે કોઈ વિરલા, શાન નદીમાં વિરલા નહાવે. આતમ રમણ કરે કોઈ વિરલા, અમરબુદ્ધિ વિરલા અજમાવે. સમજે આત્મસમા સહુ વિરલા, ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે. અર્પી દે પ્રભુ અર્થે વિરલા, ‘સંત શિષ્ય ' વિરલા સમજાવે. ગદ્યવિભાગ
આતમ
આતમ
આતમ
આતમ૦
આતમ૦
આતમ૦ આતમ૦
અધ્યાત્મ બોધ :
(૧) જીવન અને ધન : વિવેકપૂર્વકની વિચારણા : માણસના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખાતું બધું સૌંદર્ય આભાને લીધે છે. શરીર અને આભૂષણોની કિંમત આભાને લીધે છે. આત્માનું અનિષ્ટ કરી જડ લક્ષ્મી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે.
Jain Education International
હૃદયમાં માણસાઈના દીવા પ્રગટાવજો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થોડી વાર વિરામ લેતાં શીખજો. .. . ફક્ત પેટ ભરવા માટે રાતદિવસ વ્યવસાયમાં ઘાણીના બેલની માફક જોડાવું અને પ્રજા વધારવી, તેના માટે ચિંતાઓ સેવવી, તેના અર્થે અનેક વિટંબણાઓ વેઠવી અને છેવટે કશું મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા
For Private & Personal Use Only
www.jainelibrary.org