________________
૧૦૬
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જવું જ મારે માટે હિતકારી છે. જોકે મામાએ કરેલો ઉપકાર વારંવાર સાંભળી આવતો હતો અને તેથી કોઈ વાર ને ગદગદ થઈ જતો હતો. છતાં સતત ચિંતન, દઢ અને સ્થાયી નિશ્ચયબળ અને સાહસ કરવાની ટેવવાળો આ બાળક આગળ વધી રહ્યો હતો.
ધનરાજી દ્વારા રૂકાવટઃ જવાહર આજકાલ દુકાનના કામમાં બરાબર રસ લેતો નથી' એવી ખબર જવાહરના બાપુજી(પિતાના મોટા ભાઈ)ને પડતાં તેમણે તેને બોલાવીને સમજાવ્યો ત્યારે જવાહરે તેમને પોતાના આંતરિક વૈરાગ્યની વાત જણાવી. આ વાત સાંભળી ધનરાજજી ઘણા ગુસ્સે થઈ ગયા અને ગામમાં કોઈ સંત, સતી આવે તો તેનો સમાગમ જવાહર ન કરી શકે તે માટે પોતાના બે પુત્રોને તેના ઉપર સતત ચોકી ભરવા માટે કહ્યું. આમ થોડો વખત ચાલ્યું પણ જવાહરની વૃત્તિમાં કોઈ ફેર પડ્યો નહીં, તેથી તેમણે ગામના અગ્રણીઓ અને વડીલોને સૂચના આપી કે જ્યારે નક મળે ત્યારે આ બાળકને સાધુઓની નિદા સંભળાવવી, તેના મનમાં સાધુઓ પ્રત્યે ભયની લાગણી ઉત્પન્ન કરવી અને ધાર્મિક બાબતો પ્રત્યે અરુચિ થાય તેવું આયોજન કરવું. આમ વિવિધ ઉપાયો દ્વારા જવાહરના વિરક્ત જીવન પ્રત્યેના વલણને નિષ્ફળ બનાવવા તેમણે યથાશક્ય પ્રયત્ન કર્યો. પરંતુ હોનહારને કોણ ટાળી શકે છે? છેલ્લાં લગભગ ચાર વર્ષથી જવાહરલાલજી દુકાનમાં અને ઘરમાં જળકમળવત રહેતા અને વાંચન, ચિંતન અને સંત-સમાગમના વિરહમાં દિવસો વિતાવના પણ તેમના મનનું સમાધાન થતું નહીં.
સંતસમાગમ અને દીક્ષા : જસવંતલાલજીના પુત્ર ઉદયચંદની સાથે એક વાર તેમને દાહોદની નજીક આવેલા લીંબડી ગામે જવાનું થયું. ત્યાં હુકમીચંદજીની પરંપરાના ઘાસીલાલજી મહારાજનો સમાગમ થયો. તેથી તે લીંબડી ગામે રોકાઈ ગયા અને પોતાના અંતરની વાત પૂ. મહારાજશ્રીને જણાવી, પરંતુ મહારાજશ્રીએ સ્વજનોની અનુમતિ માટે આગ્રહ કર્યો. જશરાજજીએ છળકપટ કરીને જવાહરલાલજીને બોલાવી લીધા. પરંતુ આ વાન હવે આગળ વધી ગઈ હતી, તેથી થોડા દિવસોમાં બૈરા નામના ધોબીના ઘોડા ઉપર બેસીને તેઓ પુન: લીંબડી પહોંચી ગયા. હવે કોઈ ઉપાય ન રહેવાથી ધનરાજજીને પણ પોતાના પુત્ર ઉદયચંદજી સાથે દીક્ષા લેવાનું સંમતિપત્ર મોકલી આપવું પડ્યું. આમ વિ. સં. ૧૯૪૮ના માગસર સુદ બીજના શુભમુહુર્ત જવાહરલાલજીની દીક્ષાનો નિર્ણય લેવાયો. શ્રી ઘાસીલાલજી મહારાજે કેશલોચ કર્યો અને જવાહરલાલજીએ શ્રી મગનલાલના શિષ્ય તરીકે મહાવ્રતનું ઉચ્ચારણ કરી દીક્ષા લેવાની પોતાની ભાવના પૂરી કરી. ભૂખ્યાને ઘેબર મળે કે નિર્ધનને રત્નચિંતામણિ મળે તેમ જવાહરલાલજીના હર્ષનો આજે પાર નહોતો, કારણ કે પોતાની ચિર પ્રતિક્ષિત વૈરાગ્યભાવના જીવનમાં આજે સાકાર બની હતી.
અધ્યયન અને વિહાર: પોતાનું જીવન ઉન્નત બનાવવાની તેમની પૂર્વસંસ્કાર ના બળથી જવાહરલાલજીને નાનપણથી જ પ્રાપ્ત થઈ હતી. આ જન્મજાત પ્રતિભામાં તીવ્ર
સ્મરણશક્તિ, તીણબુદ્ધિ અને ગ્રાહકતા, એકનિષ્ઠા, સેવામાં નાના અને આત્યંતિક વિનયશીલતા ભળતાં સરસ્વતીદેવીને પ્રસન્ન થયા સિવાય છૂટકો નહોતો. થોડા સમયમાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International