SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જીવનકાળની ઉલ્લોખનીય ઘટનાઓ વિદ્યાર્થીઓ પ્રત્યે વાસલ્ય, અચૌર્યવન, ન્યાયપ્રિયતા, સત્યવાદિતા, ઉદારતા, નિષ્કપટના અને નૈતિકતા–આદિ સદ્ગુણોના મૂર્તિમંત સ્વરૂપ એવા શ્રી બજૈયાજીના જીવનના અનેક પાવન પ્રસંગો આપણા માટે અત્યંત પ્રેરણાદાયક છે. માત્ર બે ઉલ્લેખનીય પ્રસંગોનું વર્ણન અને પ્રસ્તુત છે: (૧) સામાજિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પૂર્વે બયાજી એક રાયબહાદુર શેઠને ત્યાં માસિક વીસ રૂપિયાના પગારથી નોકરી કરતા હતા. એક વાર શેક્સાહેબ તીર્થયાત્રામાં નીકળયા. બરાજીને શાસ્ત્ર પ્રવચન અને હિસાબકિતાબ વગેરે કાર્ય કરવા માટે સાથે લીધા. એક વાર તેમને રાયબહાદુરે ટિકિટ લેવા માટે મોકલ્યા. ટિકિટની સાથે સાથે શ્રી બરંયાજી માલસામાન લગેજ)નું વજન કરાવી તેનું ભાડું પણ ચૂકવવા આવ્યા. રાયબહાદુરસાહેબને તેમના લગેજની કિંમત ચૂકવવી પડે તેનાથી મોટું અપમાન બીજું શું હોઈ શકે? બરૈયાજીને ઘણી ખરી-ખોટી વાતો સાંભળવી પડી, તેમને એકદમ બધુ માનવામાં આવ્યા. દગો, છળકપટ અને માયાચાર જ જ્યાં ઉન્નતિનું સાધન હોય ત્યાં બરૈયાજી કેટલા દિવસ ટકે? આર્થિક સંકડામણ હોવા છતાં પણ પોતાના સ્વાભિમાન માટે તેમણે નોકરીને છોડી દેવાનું જ યોગ્ય માન્યું. (૨) અચૌર્યવ્રત તેમનાં પાંચ અણુવ્રતોમાંનું એક આવશ્યક વ્રત હતું. એક વાર તેઓ સપરિવાર મુંબઈથી આગ્રા આવ્યા. ઘેર આવીને કેટલાક દિવસ બાદ માર્ગવ્યવહારખર્ચ વગેરેના હિસાબની નોંધ કરતાં જણાયું કે નોકરે તેના ત્રણ વર્ષના બાળકની ટિકિટ નહોતી લીધી. ખબર પડતાં જ તેમણે ખૂબ આત્મગ્લાનિ અનુભવી. તેઓ તકાલ સ્ટેશનમાસ્તર પાસે પહોંચી ગયા, તેની ક્ષમા માગી અને ટિકિટની કિંમત તેમના ટેબલ પર મૂકી દીધી. સ્ટેશનમાસ્તરે ઘણું સમજાવ્યું કે એ વાત સત્ય છે કે અઢી વર્ષથી ઉપરની વયનાં બાળકો માટે ટિકિટ લેવી આવશ્યક છે; પરંતુ વર્તમાન સમયમાં આવા નિયમોનું પાલન કરનારા બહુ ઓછા નીકળે છે. આપ ઘણા સરળ અને ભોળા છો. આપ આપના રૂપિયા પાછા લઈ જાઓ–નહિ તો કોઈ આપને મૂર્ખ કહેશે.” પરંતુ બરંયાજી ચાલાક અને ધૂર્ત દુનિયાની દૃષ્ટિએ ખરેખર મૂર્ખ હતા. તેઓ પૈસા ત્યાં જ મૂકીને પાછા ફર્યા. ખૂબ બુદ્ધિનો ઉપયોગ કરવા છતાં પણ તેમને પોતાની મૂર્ખતાનું રહસ્ય ન સમજાયું અને તેઓ જીવનભર આવી મૂર્ખતા જ કરતા રહૃાા. બરૈયાજી એક મહાન અદ્યતી હતા. પચવ્રતોમાંના દરેક વ્રતનું તેઓ ખૂબ જ નિયમપૂર્વક અને ચુસ્તતાથી પાલન કરતા હતા. આ વ્રતો તરફની તેમની સચ્ચાઈ જ એક જાદુ બની જતી હતી, જે દરેક વ્યક્તિને તેમના તરફ ખેંચતી હતી. કૌટુંબિક જીવન: પંડિતજીને કદાપિ કૌટુંબિક જીવનનું સુખ પ્રાપ્ત થયું નહોતું. તેઓ અજમેરમાં રહેતા ત્યારે ૧૯ વર્ષની ઉંમર પહેલાં જ તેમના લગ્ન થઈ ગયાં હતાં. વિ. સં. ૧૯૪૫–૧૯૪૭ અને ૧૯૪૯માં ક્રમશ: તેમને ઘેર એક પુત્ર, એક પુત્રી કૌશલ્યાબાઈ અને બીજો પુત્ર માણિકચંદ–એમ કુલ ત્રણ સંતાનોનો જન્મ થયો હતો, જેમાંથી પ્રથમ પુત્ર થોડાક જ દિવસ આવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249006
Book TitleGuru Gopaldasji Bariyya
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size386 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy