SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સંવત ૧૯૫૭ ચૈત્ર વદ ૫ ને મંગળવારે શ્રીમદ્જીનો દેહોત્સર્ગથયો. શ્રી લલ્લુજી મુનિને પાંચમનો ઉપવાસ હતો. રાત્રિ જંગલમાં ગાળી બીજે દિવસે ગામમાં આવ્યા ત્યારે શેઠ ઝવેરચંદ તેમના ભાઈ રતનચંદ સાથે વાત કરતા હતા કે મુનિશ્રીને પારણું થઈ રહ્યા પછી સમાચાર આપવા. તે વાન મુનિશ્રીએ પ્રગટ પૂછતાં તેઓએ શ્રીમદ્જીના દેહોત્સર્ગના સમાચાર કહ્યા. એટલે મુનિશ્રી પાછા જંગલમાં ચાલ્યા ગયા અને એકાંતમાં કાયોસ, ભક્તિ, વગેરેમાં, પાણી પણ વાપર્યા વિના તે ગરમીના કાળમાં વિરહ વેદનાનો તે દિવસ જંગલમાં ગાળ્યો. શ્રીમના દેહોત્સર્ગ પછી વિ. સં. ૧૯૫૮માં ગુરુભાઈ શ્રી દેવકરણ મુનિનો પણ અમદાવાદ મુકામે સ્વર્ગવાસ થયો. ત્યારબાદ તેમની સાધના વિશેષ કરીને એકાંતમાં રહેવા લાગી. દક્ષિણ ગુજરાતના વિહાર દરમ્યાન તેઓશ્રી ઘણો સમય નજીકનાં જંગલોમાં ગાળતા, માત્ર આહાર પાણી માટે ગામમાં આવતા. નરોડા, ધંધુકા, વડાલી, ખેરાળુ, વસો, બોરસદ આદિ સ્થળોએ મુનિશ્રીએ ચાતુર્માસ કર્યા. વિ. સં. ૧૯૬૬ નો ચાતુર્માસ પાલિતાણા ક્ષેત્ર કર્યો. ત્યાં જતા પહેલાં મહેરાણ ક્ષેત્રની યાત્રા કરી. ત્યાં તેમણે સ્થાનકવાસી વેશ બદલી નાખી ઓછાને બદલે મોરપીંછી રાખી અને મુહપત્તી બાંધવી બંધ કરી. તે સમયે શ્રી રત્નરાજ સ્વામીનો ચાતુર્માસ પણ તેમની સાથે થયો. વિ. સં. ૧૯૬૯ માં વડવા મુકામે ચાતુર્માસ કર્યો. ત્યાં સાંગ ૧૯ દિવસ સુધી તેમણે આંખ મીંચ્યા વિના રાત-દિવસ ભક્તિભાવમાં ગાયા હતા જેથી અનેક આત્માઓ ભક્તિરંગમાં તરબોળ બની ગયા હતા. આમ વારંવાર નમસ્કાર કરવાથી ઢીંચણનો વાનો દુઃખાવો ઊપડયો અને વિહરમાં મુશ્કેલી ઉત્પન્ન થઈ. આમ છતાં શ્રીમદ્દ પ્રત્યેની ભક્તિ તો વધતી જ ચાલી. આ અદ્ભુત અને અપૂર્વ ગુરુભક્તિથી જ રત્નરાજ સ્વામીએ તેમને “લઘુરાજજી તરીકે સંબોધ્યા અને તેમની સર્વમાં પ્રભુ જોવાની દૃષ્ટિથી લોકોએ તેમને “પ્રભુશ્રી' તરીકે સંબોધ્યા. આમ ઉત્તમ ભક્તિ અને તીવ્ર વૈરાગ્ય સહિતની સાધનાના પ્રભાવથી શ્રી લઘુરાજ સ્વામીએ નડિયાદ, જૂનાગઢ, બગસરા, ચારણ્ય, રાજકોટ, કાવીઠા, નાર, સીમરડા, બોરસદ, સુણાવ વગેરે સ્થળોએ વિહાર કરી ઘણા જીવોને આજ્ઞાતિ પ્રત્યે શ્રદ્ધાવાન કર્યા. અગાસમાં સ્થિરવાસ : કાળ નો કાળનું કામ કરે જ છે. શ્રી લઘુરાજ સ્વામીને હવે વૃદ્ધાવસ્થામાં સારણગાંઠ, હરસ આદિ બીમારીઓને લીધે વિહાર કરવાનું સંભવ નહિ બને તે વિચારથી જ નારના શ્રી રણછોડભાઈ અને અન્ય ભક્ત મુમુક્ષુઓએ આણંદ પાસે અગારા ગામમાં લોકકલ્યાણના હેતુથી સ્થિરવાસ કરવા વિનંતી કરી. વિ. સં. ૧૯૭૬માં આ કાર્યનો પ્રારંભ થયો અને આ રીતે શ્રી લઘુરાજ સ્વામીની છત્રછાયામાં “શ્રી સનાતન જૈનધર્મ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ” અગાસનો મંગળ પ્રારંભ થયો. અગાસમાં નાના-મોટા, ગરીબ-તવંગર, ગામડિયા-શહેરી, સ્ત્રી-પુરુષ વગેરે સૌ કોઈ નાત-જાત કે ઉંમરના ભેદભાવ વિના, પ્રભુશ્રીના યોગબળથી અને પુણ્યપ્રભાવથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249003
Book TitleShrimad Laghurajswamiji
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size377 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy