SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકારવામાં આવ્યા છે. સ્યાદ્વાદ અનુસાર નય-પરામર્શ (Judgamert) સાત પ્રકારના હોવાનું સ્થાપિત કરવામાં આવે છે. કોઈપણ વસ્તુ વિષે યા તો એ વસ્તુના ગુણ વિષે આમ જુદા-જાડા સાત પ્રકારે વર્ણન થઈ શકે છે. આવા પ્રત્યેક નયની આગળ 'સ્વાદુ' શબ્દ જોડવાને કારણે એ નય એકાંતિક યા નિરપેક્ષપણે સત્ય નથી એવી સ્પષ્ટતા સૂચિત થાય છે. આ સાતે સાત નયને ચાર આધારોની સંદર્ભમાં પણ સમજવાના હોય છે. આ ચાર આધાર છેઃ (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ. સપ્તભંગી નથનું નિરૂપણ કરવા માટે જૈન દાર્શનિકોએ પડા નું દ્રષ્ટાંત પસંદ કર્યું છે. આ સાત પ્રકારના નયનું અહિં આપણે માત્ર સંક્ષેપમાં જ નિરૂપણ કરીશું; કારણ કે જૈન મુનિવરો અને વિદ્વાનો એનાથી સારી રીતે પિરિચત જ છે (૧) સ્યાદ્ ઘડો છે : આનો અર્થ એટલો જ થાય કે અમુક અપેક્ષાએ એટલે કે એક ચોક્કસ સ્થળે એક નિર્ધારિત સમયે અમુક આકાર પ્રકારના ઘડાનું અસ્તિત્ત્વ છે. : એટલે કે ચોક્કસ સ્થળે અમુક આકાર પ્રકારના ઘડાનું અસ્તિત્વ નથી. (ર) સ્વાદ થડો નથી (૪) સ્વાદ ઘડો અવર્ણનીય છે (૩) સ્યાદ્ ઘડો છે-અને ઘડો નથી : દાત. ઓરડામાં ઘડો છે પરંતુ અગાશીમાં નથી. માટીનો ઘડી છે, પરંતુ સોનાનો ઘડો નથી. • ઘડો કાચો હોય ત્યારે લાલ રંગનો હોય. પાક્યા પછી. કાળો રંગ હોય અથવા તો અંધકાર ને કાંરણે ઘડાના રંગનું ચોક્કસ વર્ણન થઈ શકે 31 બાકીના ત્રણ નય ઉપરોકત ચાર નયના જુદા-જાદા સંયોજનો જેવા જ છે, જે નીચે મુજબ છે. જ 385 (૫) સ્યાદ્ ઘડો છે અને ઘડો અવર્ણનીય છે. (૬) સ્વાદ ઘડી નથી -અને ઘડી અવર્ણનીય છે. (ક) સ્વાદ પડી કે ઘડો નથી અને ઘી અવર્ણનીય છે. He નહિ. દા. ત. ઘડો ઓરડામાં છે પણ અગાસીમા નથી. માટીનો ઘડો છે પણ સોનાનો ઘડો નથી. ઘડાના રંગ વિષે ચોક્કસ કહી શકાય એવું નથી. સીમા : ખાસ કરીને બૌધ્ધો અને વેદાંતીઓએ સ્યાદ્વાદની ભારે આકરી ટીકા કરી છે. એમનું કહેવું છે કે એક જ વસ્તુમાં અસ્તિત્વ Jain Education International શ્રીમદ્ યાસનસાર અભિનન્દી ગ્રંથ ગુજરાતી વિભાગ Jy sou p ૪૮ અને અભાવ એવા પરસ્પર વિરોધી ગુણોનું એક સાથે હોવું સંભવિત જ નથી. આવા ટીકાકારો કહે છે કે પ્રકાશ અને અંધકાર સાથોસાથ રહી શકે જ નહિ. બૌધ્ધ શ્રમણ ધર્મકીર્તિએ કહ્યું છે કે, “જૈનોના આવા પરસ્પર વિરોધી વિધાનો ગાંડપણ માત્ર છે." શકારાચાર્યે પણ આવી જ ટીકા કરી છે. રામાનુજાચાર્યે સ્થાાદની ટીકા કરતાં કહ્યું છે કે, “અસ્તિત્વ અને અભાવ એવા પરસ્પર વિરોધી ગુણો પ્રકાશ અને અંધકારની જેમ કદી પણ સાથોસાથ રહી શકે નહિ.” વેદાંતીઓની એક ટીકા એવી પણ છે કે જો બધા જ નય માત્ર સંભવિતતા જ હોય તો સ્યાદ્વાદના સિધ્ધાંત અનુસાર જ સ્યાદ્વાદ પોતે પણ એક સંભાવના માત્ર - એક આંશિક સત્ય માત્ર બની જાય છે. દેખીતી રીતે જ જણાઈ આવે છે કે આવી ટીકાઓ તર્કસંગત નથી અને સ્પાાદનું હાર્દ સમજયા વગર માત્ર પૂર્વગ્રહોથી પ્રેરાઈને આવી ટીકાઓ થઈ છે. ઈસ્વીસનની ચોથી સદી પછીનો પાંચેક સદીઓનો કાળ જૈન દર્શન સામે બૌધ્ધો અને વેદિક દર્શનોનો ભારે તીવ્ર હરિફાઈનો સમય ગાળો હતો એટલે પણ આવી ટીકાઓ અપેક્ષિત જ હોય. પદાર્થમાં પરસ્પર વિરોધી ગુણો હોવાની વાત ટીકાકારોની સ્વાાદની અધકચરી સમજનું જ પ્રમાણ છે. પ્રત્યેક નય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ છે એ વાત ટીકાકારોના ધ્યાનમાં જ નથી આવી. વળી દિવા તળે અંધારુંનું ઉદાહરણ દર્શાવે છે કે એક જ સમયે પ્રકાશ અને અંધકાર નું અસ્તિત્વ હોઈ શકે પણ આ ઉદાહરણમાં ક્ષેત્રની અપેક્ષાએ અંધકાર અને પ્રકાશ સાથોસાથ નથી એ પણ નય થકી સ્પષ્ટ છે. સ્યાદ્વાદ અનિશ્ચિતતાનું પોષક છે અને પરિણામે એ ‘સંશયવાદ’ બની જાય છે એવી ટીકા કેટલાક પશ્ચિમના વિદ્વાનો કરે છે. આવી ટીકા પણ પાયા વગરની છે. ઉલટાનું સાત જુદા-જુદા નથ થી પ્રત્યેક નય દ્વારા પ્રસ્તુત વિધાન વધુ સ્પષ્ટ, નિશ્ચયાત્મક અને એક ચોક્કસ પરિસ્થિતિને કેન્દ્રમાં (Focus) મૂકનારું બની રહે છે. સ્યાદ્વાદના સિધ્ધાંત દ્વારા જ સ્યાદ્વાદ પોતે એક આંશિક સત્ય બની જાય છે એવી શંકરાચાર્યની ટીકાનું અસરકારક પરિણ થવું જ જોઈએ. અહિં એમ જણાઈ આવે છે કે સ્યાદ્વાદને માત્ર શબ્દોના ચોકઠાંમાં સમજી શકાય નહિ. સ્યાદ્વાદના હાર્દને સમજ્યા પછી જ એની સ્વસ્થ ટીકા થઈ શકે. એમ ટીકા કરવી જ હોય તો કહી શકાય કે સ્પાાદના બૅંકન માટે સ્યાદ્વાદની જ આધાર લેનાર વેદાંતી એક તર્ક-પદ્ધતિ તરીકે સ્યાદ્વાદનો સ્વીકાર કરે છે અને તો પછી એ જ સ્યાદ્વાદ અનુસાર એમનું પોતાનું દર્શન (વેદાન્ત દર્શન) પણ માત્ર આંશિક સત્ય બની જાય છે. સ્વાદ દ્વારા માનવ મનની, માનવ બુધ્ધિની, આપણી જ્ઞાનેન્દ્રિયોની મર્યાદાઓ અને સીમિત શક્તિઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે આમાં કેન્દ્ર સ્થાને “સત્ય' આંશિક હોવાની વાત નથી પરંતુ આપણી મર્યાદાઓ થકી થતું સત્યનું દર્શન આંશિક હોવાની સંભાવનાની વાત છે. સ્યાદ્વાદ પોતે કંઈ ‘પરમ સત્ય' (Reality) નથી, પરંતુ સત્યના દર્શન માટેની એક વિવેકયુક્ત રેખા છે. વેદાન્ત For Private & Personal Use Only चुगली खाना है बूरा, अच्छा नहीं स्वभाव । जयन्तसेन नष्ट सदा होता पुण्य प्रभाव ॥ www.jainelibrary.org
SR No.230274
Book TitleSyadwad Ek Samiksha
Original Sutra AuthorN/A
AuthorMavji K Savla
PublisherZ_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Anekantvad
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy