________________
સ્થૂલિભદ્રવિષયક ગણ ફાગુકાવ્યો ઃ ૧૫૭ વસંત આવે છે અને વિરહિણી સ્ત્રીનું સુય જાગી ઊઠે છે. આ ઉત્સુક્તાને કવિ કેવી વાણીગીથી વ્યક્ત કરે છે અને એને કેવા કેવા અનુરૂપ પ્રકૃતિસંદર્ભમાં મૂકી આપે છે તે જુઓ :
વનમાં વસંતઋતુ ગહગહતી આવી, કુસુમાવલિ પરિમલથી મહેકી ઊઠી, મનહર મલયપવન વહેવા લાગ્યો અને પ્રિયને જાણે ઊડીને
મળું એમ થવા લાગ્યું. ઊડીને પ્રિયને મળવાની આકાંક્ષાને માટે પ્રસરતા પરિમલ અને વહેતા મલયપવનનો સંદર્ભ કેવો કાવ્યમય અને પ્રતીકાત્મક બની રહે છે !
સુષ્યનો ભાવ કવિ બેત્રણવાર હાથમાં લે છે પણ એને ઘૂંટીને ઘેરો બનાવતા જાય છે. એક વખત એ વિરહિણીને લોકલજજાનો ત્યાગ કરીને પ્રિયની પાછળ પાછળ ભમવાનું મન થાય છે, તો બીજી વખતે એની કલ્પના ઉન્મત્ત બનીને પેલા પોપટને પુકારી રહે છે :
પોપટ, રસ્તે જતાં હું તને લાખલાખ કેસૂડાં આપીશ, જે એકવાર તું મને તારી પાંખ પ્રસારીને
મારા સજનની પાસે પહોંચાડી દે! ધૃષ્ટતા અને ઘેલછાના ભાવો ઔસુયની સાથે કેવા ગૂંથાતા આવે છે! આ તો નવયૌવના છે. એ જાણે છે કે :
વેલ ઉપર કુંપળ ફરીને આવે છે, ફરીફરીને ચંદ્ર પણ ઊગે છે, પણ પ્રેમલતાના કન્દ સમાન યૌવન ફરીને
આવતું નથી.૧૬ યૌવનકાળે એને વિરહ કેટલો વસમો લાગતો હશે! કવિ પ્રકૃતિની યોગાવસ્થાના વિરોધમાં એના આ વિરહને મૂકીને એની વિષમ વેદના પ્રગટ કરે છે ?
તરુવર અને વેલીને આલિંગન દેતાં જોઈને ચિત્ત ક્ષભિત થઈ જાય છે. ભરયૌવને પ્રિયતમ વેગળો છે
અને એને ક્ષણ પણ વીસરી શકાતો નથી. ૧૭ બીજી વખતે જાગ્રત અવસ્થાના આ વિયોગને કવિ સ્વપ્નાવસ્થાના સંયોગને પડ છે મૂકે છે. જાગ્રત સત્ય છે, અને સ્વપ્ન તો છે મિથ્યા. આ મિથ્થાની જાળમાં ફસાતી સ્ત્રીનું વિરહદર્દ ઊલટાનું ઘેરું બની જાય છે. મિથ્યા મિલન રચાવી આપતાં સ્વપ્નોને એ રોષપૂર્વક કહે છે :
૧૪ વસંત ઋતુ વનિ આવુ ગહગહી,
પરિમલાઈ કુસુમાવલિ મહમહી, મલયા વાય મનોહર વાઈ,
પ્રિનિઈ ઊડી મલઉં છમ થાઈ, ૩ ૧૫ કેસૂડાં પંથિ પાલવે, સૂડા દિઉં તુઝ લાખ,
એક વાર મુઝ મેલિ ન સજન પસારી પાંખ. ૩૬ ૧૬ વલી રે પલડીય વેલડી, વલી વલી ઊગઈ ચંદ,
પણ ન લે ગયુ યોવન, પ્રેમલતાનું કંદ. ૭ ૧૭ તરુ અરલિ આલિંગન દેખિય સીલ સલાય,
ભરયૌવન પ્રિય વેગલુ, ખિણ ન વિચારો જાઈ.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org