SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ-સ્તાત્રાદિ-સાહિત્યમાં ક્રમિક પરિવર્તન પરિવર્તનશીલ સ’સારમાં એવી એક પણ વસ્તુ નથી કે જે દરેકેદરેક બાબતમાં દેશ-કાળ આદિના પરિવર્તન સાથે નવે। અવતાર ધારણ ન કરે. આ અટલ નિયમથી આપણુ સ્તુતિ-સ્તેાત્રાદિવિષયક સાહિત્ય પણ વિચત નથી રહી શકયું, અર્થાત્ જગતની અનન્ય વિભૂતિનું પાતામાં દન કરનાર અને તે જ વસ્તુને ખાને સાક્ષાત્કાર કરાવનાર તીર્થંકર દેવ આદિ જેવી મહાવિભૂતિઓને લગતું સ્તુતિ-સ્તેત્રાદિ સાહિત્ય ઉપયુક્ત શાશ્વત નિયમથી અસ્પૃષ્ટ નથી રહી શકયું, એ આપણે આપણા સમક્ષ વિદ્યમાન વિવિધ અને વિપુલ સ્તુતિ-તત્રાદિ-વિષયક સાહિત્યનું દિગ્દર્શન કરતાં સહેજે જોઈ શકીએ છીએ. એક સમય એવા હતેા કે જ્યારે, અત્યારે આપણી નજર સામે દેવપાસનાને લગતું જે ચિત્રવિચિત્ર સ્તુતિ--સ્તેાત્ર-તવનાદિ-વિષયક સાહિત્ય વિદ્યમાન છે તે લેશ પણ ન હતું; તેમ છતાં એકખીજા દન, એકબીજા સંપ્રદાય અને એકબીજી પ્રશ્ન સાથેના સહવાસને કારણે જનસમાજની અભિરુચિને તે તે તરફ ઢળેલી જોઈ ધર્મ ધુરંધર જૈનાચાર્યાએ એ પ્રકારના સાહિત્યના નિર્માણ તરફ પેાતાની નજર દેોડાવી અને ક્રમે ક્રમે એ જાતના સાહિત્યને સાગર રેલાવા લાગ્યા. સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્યનું સર્જન અને તેમાં ક્રમિક પરિવર્તન આજે આપણા સમક્ષ વિદ્યમાન સંગીતાલાપથી ભરપૂર સ્તુતિ-સ્તૂત્ર-સ્તવનાદિને લગતા સાહિત્યરાશિને જોઈ આપણને જરૂર એ આશંકા થશે કે જે જમાનામાં આજના જેવું સ્તુતિ-સ્તેાત્રાદિ સાહિત્ય નહિ હોય તે જમાનાની જનતા આત્મદર્શન કરનાર--કરાવનાર મહાવિભૂતિઓની પ્રાર્થના ક રીતે કરતી હશે ? પર ંતુ તે યુગની જનતાના જીવન અને માનસને! વિચાર કરતાં એના ઉત્તર સહેજે જ મળી રહે છે કે તે યુગની સ્તુતિ-ઉપાસના-ભક્તિ એ માત્ર અત્યારની જેમ કાવ્યમાંક–વિતામાં કે છામાં-વાણીમાં ઉતારવારૂપ ન હતી; કિન્તુ તે સ્તુતિ એ મહાપુરુષોના ચરિતને અને તેમના પવિત્ર ઉપદેશને જીવનમાં ઉતારવારૂપ હતી. એટલે તે જમાનામાં અત્યારની જેમ ઢગલાબંધ કે ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તાત્રાદિ સાહિત્યની પ્રજાને આવશ્યકતા નહાતી જણાતી. એ જ કારણ હતું કે તે યુગની જનતા માટે આચારાંગસૂત્ર આદિમાં આવતી ઉપધાનશ્રુતાધ્યયન, વીરરસ્તુત્યધ્યયન આદિ જેવી વિરલ છતાં વિશદ સ્તુતિએ બસ થતી હતી, જેમાં તીર્થંકરદેવના વ્રત અને ભારેાભાર ત્યાગજીવનનું સત્ય સ્વરૂપમાં વર્ણન હતું. આ સ્તુતિએ જીવનના તલને સ્પનાર તેમ જ ભાવવાહી હોઈ એ દ્વારા એકાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230270
Book TitleStatistotradi Sahitya kramik Parivartan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size373 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy