SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેાહનલાલ ચુનીલાલ ધામી : સ ંઘષ મૂકી શકાય. પણ અંદરથી કાઈ માનવી મહારથી કાઈ 'દર જઈ શકે નહી'. રાજા વીર વિક્રમમાં અનેક ગુણ હતા; પરંતુ એક ગુણ એવા હતા કે મનમાં આવેલી વાતને પૂરી કર્યા પછી જ તે જ પતા ! ge આ જાળી વાટે બહાર નીકળી શકે નહિ, તેમ બરાબર સાતમે દિવસે સુદ ંત શેઠના ભવનમાં વીર વિક્રમ અને તેના બે અંગત માણુસા યુવરાજના ખાંડા સાથે આવી પહેાંચ્યા. ખાંડા સાથે લગ્ન થયાં એટલે એ જ પાછલી રાતે સહુ પાછા વળ્યા અને રાજભવનમાં ન જતાં વીર વિક્રમ પુત્રવધૂને લઈને સિપ્રાના કિનારે આવેલા નાના ઉપવનમાં ગયે. ત્યાં ચાર-પાંચ કડિયા કારીગરો પણ હાજર રાખવામાં આવ્યા હતા. વીર વિક્રમે મનમેાહિનીને રથમાંથી નીચે ઉતારી અને કહ્યું : “ દીકરી! તારા માટે આ નિવાસ છે. તેમાં તારે રહેવાનુ` છે. અંદર દાખલ થયા પછી તું બહાર નહીં નીકળી શકે; અને મહારથી અંદર કોઈ નહી. આવી શકે. તારા ખંડમાં માત્ર એક જ જાળી રાખવામાં આવી છે અને તે દ્વારા તને સઘળું મળ્યા કરશે. હવે તારે એક જ પરીક્ષા આપવાની છે. તું ખળક સહિત મને મળવા આવી શકીશ, એ સિવાય તને આ ભૂગર્ભ ગૃહમાંથી છુટકારો નહીં મળે. નારીશક્તિ અજોડ અને અપૂર્વ છે તેની ખાતરી તારે મને આ રીતે કરાવી આપવાની છે. મનમાહિની કશું ખેલી નહીં. વીર વિક્રમની ચરણરજ મસ્તકે ધારણ કરીને તે એટલું જ એલી : ' નારીશક્તિ કદી પરાજિત બની નથી અને મનશે નહી': એવા વિશ્વાસ સાથે હું આપની આજ્ઞા મસ્તકે ધારણ કરુ છું.” મનમેાહિની અંદર ચાલી ગઈ. તરત રાજાજ્ઞાથી દ્વાર બંધ કરવામાં આવ્યું અને કડિયાઓએ તત્કાળ ત્યાં ભીંત ચણી દીધી. વીર વિક્રમે પેાતાની વિશ્વાસુ દાસીએમાંથી એક દાસીને તે જાળી પાસે ચાકો માટે બેસાડી, અને તેને ઉચિત સૂચના પણ આપી. કોઈ પુરુષ ચાકિયાતને ત્યાં ન રાખ્યા, કારણ કે પુરુષનું મન પાંગળુ હાય છે. રૂપવતી નવયૌવનાને જોઈ ને કવ્યથી વિમુખ અનતાં એને વાર લાગતી નથી! દાસીના નિવાસ માટે ખાજુમાં જ એક કુટિર બનાવવામાં આવી હતી, અને એક મહિના પછી એની જગ્યાએ બીજી દાસી આવે એવી વ્યવસ્થા પણ કરી હતી. તે એટલા માટે કે છેવટે આવી સ્થિતિથી અકળાઈ ને પણ કાઈ દાસી પુત્રવધૂની સહાયક ન બને! આમ ને આમ ચાર મહિના વીતી ગયા. ભૂગર્ભદ્વારની જાળી ઊંચી હતી એટલે મનમેાહિનીનેા માત્ર હાથ જ ત્યાં પહેાંચી શકતા હતા. ચીજવસ્તુની આપ-લેમાં કશી હરકત નહાતી આવતી; પણ એકબીજાનું મુખ જોઈને દાસી સાથે વાતા કરી શકાય તેમ નહાતુ. રહેવાના ખંડ ઘણા જ ઉત્તમ હતા. સૂઈ રહેવાના પલંગ, વસ્ત્રાની પેટિકાએ, અલકારાના દાબડાએ, એકલા એકલા રમી શકાય એવી રમતનાં સાધના, અભ્યાસ, લેખન અને વાચનનાં સાધનો વગેરેની ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230257
Book TitleSangharsh
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Story
File Size894 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy