SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ ગ્રંથ શુદ્ધ નિઃસ્પૃહ આત્મા અર્થે, પરમાથ અર્થે, પરમા પ્રેમથી નિમલ જ્ઞાનદાન દેવું એ જ્ઞાનજ્ઞાનેશ્વરી વક્તાનું (કાઁનું) અનંતર (Immediate) પ્રયાજન છે, અને તેથી પાતાના આત્માને મહાન્ નિરાના લાભ પ્રાપ્ત થઈ અનુક્રમે મેાક્ષની પ્રાપ્તિ થાય એ પરંપર ( Remote, Ultimate ) પ્રત્યેાજન છે; શુદ્ધ જિજ્ઞાસુ આત્મા અર્થે વિનમ્ર વિનયાન્વિત શિષ્યબુદ્ધિથી નિર્મલ જ્ઞાનદાન લેવું એ શ્રોતાનું અનંતર પ્રયાજન છે, અને તે જ્ઞાનને અનુરૂપ સીલરૂપ આચરણથી———હેય જ્ઞેય-ઉપાદેયના વિવેકરૂપે તે પ્રાપ્ત જ્ઞાનને ક્રિયામાં -આચરણ’માં મૂકવાથી—આત્માની મલવિશુદ્ધિ કરી અનુક્રમે મેક્ષપ્રાપ્તિ કરવી એ શ્રોતાનું પર’પર પ્રયાજન છે. નવકારવાળીની જેમ એકસેસ આઠ પાઠ ધરાવનારી આ મંગલમયી મેાક્ષમાળા( બાલાવબેષ )ના પ્રયાજન અંગે કોઁ પુરુષ શ્રીમદ્ સ. ૧૯૪૫ ના એક પત્રમાં સ્વય' લખે છે– જિનેશ્વરનાં સુંદર માથી એમાં એક્કે વચન વિશેષ નાંખવા પ્રયત્ન કયુ" નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયે તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યુ છે.’ તેમ જ આગળ જતાં સ. ૧૯૫૫ માં એક પ્રસ ંગે તેમણે આ પ્રયાજનને એર સ્પષ્ટ કરતાં લખ્યું છે જૈનમાને સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનેાક્ત માથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું ખીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ ખાલાવબાધરૂપ ચેાજના તેની કરી છે. તે શૈલી તથા તે ખેાધને અનુસરવા પણ એ નમુના આપેલ છે. એના પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે. તે કાઈ કરશે.’ આ ગ્રંથની શિક્ષણપદ્ધતિ અંગે શ્રીમદ્જી સ્વયં શ્રીમુખે પ્રકાશે છે- પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષાપાઠ પાઠે કરવા કરતાં જેમ અને તેમ મનન કરવા; અને તેનાં તાત્પય અનુભવવાં. જે ન સમજી શકે, તેણે જાણનાર પાસેથી વિનયપૂર્ણાંક સમજવાના ઉદ્યમ કરવા. એવી જોગવાઈ ન મળે તે એ પાઠા પાંચ સાત વાર શાંતિપૂર્વક વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અ` ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછ્યુ કે શું તાત્પ મળ્યું? તે તાત્ક માંથી હેય ( ત્યજવા યાગ્ય), જ્ઞેય ( જાણવા ચેાગ્ય) અને ઉપાદેય ( ગ્રહણ કરવા યાગ્ય ) શું છે ? એમ કરવાથી આખા ગ્રંથ સમજી શકાશે; હૃદય કામળ થશે; વિચારશક્તિ ખીલશે; અને જૈન તત્ત્વ ઉપર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી, પણ મનન કરવારૂપ છે. અરૂપ કેળવણી એમાં ચેાજી છે; તે ચેાજના બાલાવબેાધરૂપ છે. વિવેચન અને પ્રજ્ઞાવમાધ ભાગ ભિન્ન છે. આ તેમાંના એક ભાગ છે, છતાં સામાન્ય તત્ત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારુ જ્ઞાન છે, અને નવતત્ત્વ તેમ જ સામાન્ય પ્રકરણગ્રંથા જે સમજી શકે છે, તેવાઓને આ ગ્રંથ વિશેષ ખાધદાયક થશે. નાના બાળકોને આ શિક્ષાપાડાનું તાત્પ સમજણપૂર્વક વિવિધ આપવું.’ આ શિક્ષણપદ્ધતિ અંગે આ આદૃષ્ટા મહાગુરુએ આપેલી આ પરમ પ્રૌઢ ગભીર વિવેકી શિક્ષા સામાન્યપણે કાઈ પણ ગ્રંથના અભ્યાસ કરતી વેળાએ લક્ષમાં લેવા યાગ્ય અને સત્ર હેચ-જ્ઞેય-ઉપાદેયના વિવેકપૂર્વક સ કાળને માટે સ`ને ઉપયેાગી થઈ પડે એવી અનુપમ અને અનુકરણીય શિક્ષા છે. આવી પરમ પ્રૌઢિથી જેણે મુખમુદ્રા આદિ આલેખેલ છે, એવા આ માત્ર સેાળ વર્ષની વયના પણ મહાજ્ઞાનવૃદ્ધ ખાલમહાત્માના આ અલૌકિક ગ્રંથ મુખ્યપણે ખાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230248
Book TitleDarshan Prabhavak Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size536 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy