SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાર ન–૨ [ ૨૪૩ વિજયજીના અત્રાન્ત શ્રમને જ આભારી છે અને એમનાથી જ આ સંસ્થા સજીવન થઈ છે અને થવાની છે. સંસ્થામાં અત્યારને એમના નિવાસ એક કુલપતિની ગરજ સારે છે. જે સંસ્થામાં એએથી ન હોય તે! મારવાડી ડીલા મા-બાપે। બાળાશ્રમના બંધારણના અનાદર કરી બાળકોને પરીક્ષા આદિ જેવા ખરા માકાના વખતે લગ્ન આદિ પ્રસ ંગાનું બહાનુ કાઢી ઘેર લઈ જવાનેા જે દુરાગ્રહ લઈ બેસે છે એમને સમજાવી સંસ્થા અને બાળકનુ ભાવી સુધારવાનું મુશ્કેલ બને તેમ જ સ્ટેટના સરકારી અમલદારા દ્વારા બાળાશ્રમ ઉપર આવી પડતી અનેક મુશ્કેલીએ પાર કરવી એ બધું એમની પ્રતિભાસંપન્ન વાણીના પ્રભાવથી જ થઈ શકે છે. તેમ જ વિદ્યાર્થી એને અવસરે અવસરે ધાર્મિક ઉપદેશને પણ લાભ મળતા રહે છે. ગુજરાતી પ્રશ્ન કેળવાયેલી અને સહનશીલ છે જ્યારે અહીંની પ્રશ્ન અલ્પ કેળવાયેલી છે. એ લગભગ પરદેશમાં વસનારી છે એટલે અહીં વસનારી પ્રજા સામાન્યતયા મેથે” કરનારી એવં જક્કી હાવાથી જે અત્યારે સાધુની છાયા ન હેાય તેા સંસ્થાનું જીવન ટુંકાઈ જ જાય એ સ્થિતિ છે. અરતુ. મેં તે મારી સ્થૂલ દષ્ટિએ જે જોયું-જાણ્યુ તે લખ્યું છે, બાકી આવી સંસ્થાએનુ વાસ્તવિક અવલોકન તેના નકારા કરે અને તેના પરિચય આપે એ જ ઉચિત કહેવાય. ઉમેદપુરથી વિહાર કરી અમે આહાર ગયા. આહાર એ ત્રિસ્તુતિકેનું કેન્દ્રસ્થાન છે. ત્યાં શ્રીમાન રાજેન્દ્રસૂરિ મહારાજના વિશાળ જ્ઞાનભંડાર છે એમ મેં સાંભળ્યું હતું. મારી ઇચ્છા એ ભડાર જોવાની હતી પણ ત્યાં કોઈ પરિચિત ન હેાવાથી અમે લેટા ગામ ગયા. ત્યાં રસ્તામાં જ શ્રીમાન ભૂપેન્દ્રસૂરિજી મહારાજ તથા ઉપાધ્યાય શ્રી યતીન્દ્રવિજયજી મહારાજ આદિ ભેટી ગયા. શ્રીમાન યતીન્દ્રવિજયજીને હું એળખતા હેાવાથી મેં ભંડાર દેખાડવા માટે તેમને જણાવ્યુ`. તેઓશ્રીએ !હ્યુ કે જાલારથી પાછા વળતાં તમે અહીં આવશે ત્યારે જરૂર ભંડાર દેખાડીશું. અમારે લાંખે જવાનુ હાવાથી પાએક કલાક ઊભા ઊભા વાત કરી આગળ ચાલ્યા અને લેટા પહોંચ્યા. લેટામાં અમે જ્યાં ઊતર્યા હતા ત્યાં ગામઠી નિશાળ ચાલતી હતી ત્યાંના માસ્તર પાસેથી બાળકાને પ્રારંભમાં જે Fol॥ ૐ નમઃ સિદ્ધદિ પાટીએ ભણાવવામાં આવે છે તેમજ ચાણકય નીતિના શ્લોકો જે રીતે ભણાવવામાં આવે છે તેને મેં ઉતારા કર્યાં. અહીંના દરેકે દરેક બાળકને એ પાટી આદિ ગેાખાવવામાં આવે છે. બાળકની જીભ છૂટી થાય તેમ જ તેને નીતિનું જ્ઞાન મળે એ માટે જે કાતંત્ર વ્યાકરણનું પ્રથમ પાદ ચાણકયનીતિ આદિના પાઠે અપાતા એ બધાય આજે એવા વિકૃત થઈ ગયા છે, જે સાંભળતાં આપણને હસવુ જ આવે. આ ૬૩ non ૐ નમઃ સિદ્ધ ઉચ્ચાર આ પ્રમાણે કરે છે:— હૈં હૈં ! હું ત્રો ગૌ ગં ગ: આ પાટીને એ લિટિ, ભલે, મીડું, બડખીલીઆરી, ઉગણુ ચેટી, માથે પાડીએ, નાના વીલે, માંમે બાવળા, માંમારે હાથમેં દાય લાડુ, સીરાંવાળી છોકરી, પાછી વાળી કુંડાળી, ધામે ઢાયા ધોકલે, માથે ચડીએ છોકરા, હાથમાં ડાંગ લી, આર્કેડા દે। ભાઈડા, બડા ભાઈ કાના, એક એક ઈંડી, બડીને ઉકાયરે, આ આઉ આંકેાડા, બડે પાંખડ કાંટેલા લીલી નરવી કાંટોલા બડી લીલી કાંટાલા, લીધા હતા તાપા, વડા હાપા વેલે, એન મેન ગાડી, વડી ગાડી માત્રા, આલગવાળા બળદીયા, બડે ખે ગણુ જોતરીઆ, અનીઆ દે આસરી, એકણુ માથે એક દે, દૂજા આગળ દા દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230238
Book TitleVihar Varnan 1 2 3
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy