SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની મહાવિભૂતિ શ્રી વિજ્યાનંદસૂરિવરના અક્ષરદેહ જ્યારે જ્યારે પ્રજાના જીવનમાંથી પ્રાણ ઊડી જઈ પ્રજા નિશ્ચેતન બની જાય છે અને જ્યારે તેને સાચે જ એમ લાગે છે કે તે ઘેર અંધકારમાં ડૂબતી જાય છે, ત્યારે ત્યારે તેને પુનર્જીવન અથવા નવીન પ્રકાશ મેળવવા માટે પેાતાની પ્રાચીન વિભૂતિએ—અર્થાત્ અસ્ત પામી ગયેલ છતાં વતાજાગતા પૂર્વ મહાપુરુષો—ની ઝગમગતી જીવનજ્યોતિનું દર્શન કરવાની ઉત્કંઠા થાય છે. મહાપુરુષોની વનજ્યેાતના પ્રવાહો સ તાગામી હોઈ તેનું સ ંપૂર્ણ દર્શન વિવેકપુર:સર કરવાનું આપણા જેવા સાધારણ કોટિના દરેક મનુષ્ય માટે શકય નથી હતું, એટલે એ ન્યાતનું આધુ આખુંય દન આપણ સૌને થાય અને આપણા સૌમાં નવેસરથી નવચેતન પ્રગટે, એ ઉદ્દેશથી આપણા સૌની વચમાં વસતા પ્રાણવંતા પ્રજ્ઞાશાળી મહાપુરુષા અનેક ઉપાયે યેાજે છે. આપણા પૂર્વ મહાપુષોએ સગ્ગાન–સદ્વિદ્યાની પ્રાપ્તિ, સમ્યગ્દર્શન-સત્ય વસ્તુની એળખ અને સમ્યક્ચારિત્ર-સદ્ગુણી જીવનની પ્રાપ્તિ માટે આજ સુધીમાં તિથિ, પર્વો, કલ્યાણુકમહેાત્સવે, અદ્દિકા વિગેરે જેવા અનેક પ્રસંગા ઉપદેશ્યા-પ્રવર્તાવ્યા છે. એ જ મહાપુસ્નેાનું અનુસરણ કરી આજના યુગમાં પણ જયંતી, શતાબ્દી, નહેર વ્યાખ્યાન આદિ જેવા અનેક શુભ પ્રસંગેા ઊભા કરવામાં આવે છે, જેથી પ્રજાજીવનમાંથી એસરી ગયેલા બાહ્ય અને આભ્યંતર જ્ઞાનાદિ ગુણેાની ક્રમે ક્રમે પ્રાપ્તિ તેમ જ વૃદ્ધિ થાય. ચાલુ વર્ષે આપણી સમક્ષ વિશ્વવિખ્યાત મહાપુરુષ ન્યાયયંબાનિધિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરિવર ( પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજ )ની ‘શતાબ્દી ’ને! પ્રસંગ ઉપસ્થિત થયે છે, જે અડગપણે એ મહાપુરુષને પુનિત પગલે ચાલનાર અને એમના જ-આજ્ઞાધારી પ્રભાવશાળીપટ્ટધર આચા પ્રવર શ્રી વિજયવલ્લભસૂરિની અપૂર્વ ભક્તિ અને પ્રેરણાને પરિણામે જન્મ્યા છે. જે મહાપુરુષની શતાબ્દી ઊજવવાની છે તેમને લક્ષીને તેમના ‘સ્મારક ગ્રંથ ’ માં કાંઈ લખવાનું આમંત્રણ તેના ઉત્પાદક તેમ જ સંપાદક તરફથી મળે, પરંતુ જે મહાપુરુષને આપણે નજરે નિહાળ્યા ન હેાય અથવા જે મહાપુરુષને નજરે જોવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થયું ન હોય, તેમના સબંધમાં કાંઈ પશુ લખવા પ્રવૃત્તિ કરવી એ એક દષ્ટિએ કૃત્રિમ ગણાય; તેમ છતાં બીજી દષ્ટિએ વિચાર્ કરતાં લાગે છે કે મહાપુરુષો સ્થૂલ દેહે ભલે આ ફ્રાની દુનિયાનેા ત્યાગ કરી ગયા હેાય તે છતાં તેએ— સૂક્ષ્મ દેહે કહા, ચહાય અક્ષરદેહે કહેા—સદાય આ જગતમાં જીવતા-જાગતા જ હાય છે, એટલે આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230237
Book TitleVishwani Mahavibhuti Vijayanandsurishwarno Akshardeh
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size349 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy