SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] પેાતે ‘જ્ઞાનમુગ્ધ’ હેાવાનુ અને ૧૦૦૮ નામે વડે સ્તવવાનુ` કહ્યુ` છે. એ પ્રતિજ્ઞા સ ́પૂર્ણ - પણે પળાઈ છે. આ નામેા કોઈ પણ તીથ'કર અંગે ઘટી શકે તેવાં લાગે છે. છેલ્લાં ૧૪ પદ્યો પૈકી પદ્ય ૧૧-૧૨મા કર્તાએ પેાતાના ગુરુ ધમૂર્તિસૂરિની સ્તવના કરી છે. ૧૩મા પદ્યમાં પોતે એમના શિષ્ય છે એવે નિર્દેશ છે. સાથે સાથે પ્રસ્તુત કૃતિમાં મુખ્યત્વે પાર્શ્વનાથની મનારમ નામાવિલ નામાજિ રચ્યાના ઉલ્લેખ છે. છેલ્લા ૧૪મા પદ્યમાં આ સ્તાત્રને પુણ્યરૂપ જણાવી એને ભણનારને મહાલક્ષ્મી મળશે એવા નિર્દેશ છે. ૧૦૦૮ નામેાને બદલે પ્રસ્તુત સ્તેાત્રમાં ૧૦૦૦ ગણાયેલાં જણાય છે. પણ પ્રારંભના પ્રથમ શ્લોકમાં આઠ નામેા આવે છે તે ગણતરીમાં લેવાયાં નથી. એથી લેખકની ૧૦૦૮ નામેાની પ્રતિજ્ઞા ખરાખર પૂરી થાય છે. રચના વર્ષ : આ સ્તંત્ર વિ. સ. ૧૯૯૬ કે તે પછી ટૂંક સમયમાં રચાયુ છે કેમ કે વિ. સ'. ૧૬૯૬માં ખેરવાથી શ્યાલગેાત્રના શ્રેષ્ઠી ઈશ્વરે મારવાડના ગેાડી ' પાર્શ્વનાથની યાત્રાર્થે કાઢેલા સ`ઘમાં કલ્યાણસાગરસૂરિએ રચ્યું છે. રચના સ્થળ ઃ મારવાડના‘ગેડી ' નગરમાં આ સ્તંત્ર રચાયુ છે. સંતુલના ઃ આ માટે નીચે જણાવેલી કૃતિએ જોવી ઘટે : (૧) સિદ્ધસેન દિવાકરકૃત મનાતું જિનસહસ્રનામ સ્તોત્ર (૨) જિનસહસ્રનામ સ્તોત્ર. આ દેવવિજયગણિએ વિ. સ. ૧૯૫૮માં રચેલુ' છે. એ જ વર્ષોંમાં એમણે આની ટીકા પણ રચી છે. (૩) જિનસહસ્રનામ સ્તંત્રઆ ૧૪૯ પદ્યોની કૃતિ શ્રી વિનયવિજયગણિએ વિ. સં. ૧૭૩૫માં રચી છે. (૪) અંનામસમુચ્ચય : આ કલિકાલસર્વાંત્ત શ્રી હેમચંદ્રસૂરિની રચના છે. મેઘવિજયગણિએ વિ. સં. ૧૭૨૧માં ગુજરાતીમાં પાર્શ્વનાથનામમાલા રચી છે. આશાધરે વિ. સં. ૧૨૮૭માં (૫) જિનસહસ્રનામ સ્તોત્ર અને એની વૃત્તિ રચી છે. બીજી પણ એ ટીકાએ છે આકલકીર્તિએ વિક્રમના પંદરમા શતકમાં ૧૩૮ પોમાં (૬) જિનસહસ્રનામ સ્તંત્ર રચ્યુ છે. (૭) અજ્ઞાતક ક જિંનસહસ્રનામ સ્તંત્ર રચ્યુ છે, એના ઉપર ત્રણ કે પછી ચાર દિગંબર ટીકાઓ રચાઈ છે. એ સ્તાત્રનાં ૧૬૦ પદ્યો છે. જિનસેન પહેલાએ વિ. સ. ૯૦૦માં રચેલા આદિપુરાણમાં જિનસહસ્રનામ છે. આ ખોખત દિગંબર કૃતિએની થઈ. પાર્શ્વનાથ અષ્ટોત્તરશત : આની એક પ્રત તે પાટણના પેલિયાના સંધ ભંડારમાંના ૪૦ મા દાબડામાંની ૨૯ મી પ્રત છે. તે ઉપરથી સમુચિત સપાદન કરાવી એ સત્વર પ્રસિદ્ધ કરાવવાની આવશ્યકતા જણાય છે. શ્રી આર્ય કલ્યાણૌત×સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230233
Book TitleKalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy