SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ be ...vishespia.ssl-sess.s: tes. ............Assessocesses [૧૫૩] ઢોસાયમ્' આ ચરણને અર્થ એ છે કે “લેડણ” નામવાળા સેરીશ(સા) પાર્શ્વનાથને તમે સ્ત. આ કૃતિનાં પદ્ય ૧-૪ અને ૬-૮ ઇંદ્રવજા છંદમાં છે, જ્યારે પાંચમું પદ્ય ઉપજાતિમાં છે અને નવમું સમ્પરામાં છે. પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથનો વર્ણ ઉત્તમ પ્રકારનો નીલ કહ્યો છે. તૃતીય પદ્યમાં એમની વાણીને સારંગ (વાજિંત્રીના સમાન અને છઠ્ઠામાં સકળ વિશ્વને આનંદ પમાડનારી કહી છે. વિશેષમાં આ તૃતીય પદ્યમાં એમના ગંભીર નાદને મેઘ જેવો કહ્યો છે અને એમનાં બે નેત્રોને હરણના જેવાં કહ્યાં છે. છઠ્ઠા પમાં પાર્શ્વનાથને નાગપુરના રાજા વડે પૂજાયેલા કહ્યા છે. આઠમા પદ્યમાં એમના દેહને સૂર્ય અને ચંદ્ર કરતાં વધારે તેજસ્વી, આઠ પ્રાતિહાર્યોથી શોભતા ફાર (તેજસ્વી) આકૃતિવાળા વર્ણવ્યા છે. કર્તાએ સાતમાં પદ્યમાં કલ્યાણસૂર્યાદિ દ્વારા કલ્યાણસૂરિ એવું પોતાનું નામ જણાવ્યું છે, અને નવમા પદ્યમાં કલ્યાણ” શબ્દ ને આમ જ કર્યું છે. સેરીસા” કલેલ પાસે આવેલું છે. તૃતીય પદ્યમાં “સારંગ” શબ્દ ત્રણ ભિન્ન અર્થમાં વપરાય છે. આમ આ પદ્યને એક અંશ અનેકાથી છે એ એની વિશિષ્ટતા છે. (૧૯ – ૨૧) પાર્વ સહસ્ત્રનામ સ્તોત્ર : આ પાર્થ સહસ્ત્રનામ એ શબ્દ આ સ્તંત્રના અંતિમ ભાગમાં વપરાય છે. આમાં સમગ્ર ૧૫૦ પદ્યો છે. તેમના કમાંકે કટકે કટકે નામની વિષયવાર રચના સમજાવવાને અપાયા છે. ૧૫, ૧૧, ૧૧ (વીતરાગતક); ૧૩, ૧૨, ૧૧ (આત્મશતક) ૫૦૦, ૧૨ (૬૦૦), હર્ષશતક (૭૦૦), ૧૧, ૧૩ ( જ્ઞાનશતક ૮૦૦) અને ૧૪ (માહાસ્ય દર્શા– વવા માટે ) છંદ : આ ૧૫૦ પોના સ્તોત્રમાં ૧૪૭ મા પદ્ય સિવાય બધાં પડ્યો “અનુષ્ઠભૂમાં છે, જ્યારે ૧૪૭મું પદ્ય વંશસ્થમાં છે. નામ : પ્રત્યેક શતકનું નામ અપાયું નથી. કેવળ વિતરાગ, આત્મ, હર્ષ, જ્ઞાન, ઐશ્વર્ય અને કલ્યાણ એ શબ્દો શતકો પૂરતા જ તેના આદ્યપદમાં દર્શાવાયા છે. વિષય : શરૂઆતમાં ૧૫ પદ્યો પાર્શ્વનાથના ગુણગાન રૂપ છે. પાંચમા પદ્યમાં પાપાત્મા એવા નાગને પ્રભુ પ્રભાવે ફણ પદવી પામેલે કહ્યો છે. આમાંનાં કેટલાંકમાં એમને નમસ્કાર કરી છે. પદ્ય માં પાર્શ્વનાથને શભુ, ૧૧મામાં “શંકર' કહ્યા છે. આઠમા પદ્યમાં કર્તાએ કહ્યું છે કે હું તારા તેત્રથી સેંકડો દોષવાળી મારી જીભને પવિત્ર કરું છું, એ જ આ જંગલમાં જીના જન્મની સફળતા છે. ૧૪મા પદ્યમાં કવિએ પર ઝીઆર્ય કથાણાગૌતમસ્મૃતિગ્રંથ છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230233
Book TitleKalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy