________________
વિધિ પક્ષ ગચ્છીય નવ સ્મરણા
પ્રેા. હીરાલાલ ૨. કાપડીઆ M. A.
[ ‘ સ્મરણ : સંજ્ઞા, સંખ્યા ઇત્યાદિ' નામનો મારા લેખ આત્માનંદ પ્રકાશ (પુ. ૪૭, અંક ૯ ) માં પ્રસિદ્ધ થયાને ૨૬ વર્ષ વીતી ગયાં. આજે એક રીતે એ જ વિષયને ભક્તિ સાહિત્ય અંગેનો આ લેખ લખવા હું. પ્રવ્રુત્ત થયો છું. મૂર્તિપૂજક શ્વેતાંબરાના વિવિધ ગચ્છામાંથી આજે તે ચાર જ ગચ્છ વિદ્યિમાન છે. (૧) ખરતર (ર) વિધિ પક્ષ યાને અચલ (૩) તપા (૪) પાશ્ચંદ્ર ( પાયચંદ્ર ). આ પૈકી ખરતર અને તપા ગચ્છનાં સ્મરણો વિષે કેટલુ ક મેં ઉપર્યુકત લેખમાં લખ્યું, ત્યારે વિધિ પક્ષ અને પાચંદ્રગચ્છ વિષે યથાયેાગ્ય પુસ્તકોના અભાવે લખ્યું ન હતુ. અદ્યાપિ પાર્શ્વચદ્ર ગચ્છના શ્રાવકોના પ્રતિક્રમણેામાં સૂત્રો જેવું પણ પુસ્તક મારા જોવામાં આવ્યું નથી. એ ગચ્છની પણ સ્મરણાને લગતી કોઇ કૃતિ છે કે નહિ, તે પણ જાણવામાં નથી.
જિનરત્ન કોશ ' ( વિ. ૧, પૃ. ૨૦૯) માં ‘નવ સ્મરણ ’ નામની એક કૃતિની નેધ છે. એના પર · અભય દેવ' નામની કોઈ વ્યક્તિની વૃત્તિ છે. એ બન્ને પૈકી પ્રથમની હાથપોથી લીંબડી અને સુરતના ભાંડારમાં છે અને બીજી પંજાબમાં. મૂળ અને વૃત્તિ પૈકી એકે વિષે મને વિશેષ માહિતી નથી. આ અંગે કોઇ સાક્ષર સહૃદય આ દિશામાં પ્રકાશ પાડે, તેવી મારી સાદર વિજ્ઞપ્તિ છે. કર્તા ]
Jain Education International
'
-
સ્મરણેા
તપાગચ્છીય નવ સ્મરણા નીચે પ્રમાણે છે :
૧. નવકાર ૨. ઉવસગ્ગહર ૩. સ`તિકર (મુનિ સુંદરસૂરિ કૃત) ૪. તિજય પહુત્ત (માનદેવસૂરિ કૃત ? ) પ. નમિષ્ણુ (માનતુંગસૂરિ કૃત) ૬. અર્જિયસ ́તિ (નંદીષેણુ કૃત) ૭. ભક્તામર (માનતુંગસૂરિ કૃત) ૮. કલ્યાણ મંદિર (સિદ્ધસેન દિવાકર કૃત) ૯. બૃહથ્થાન્તિ (વાદિવેતાલ શાંતિસૂરિ કૃત ? )
આ પૈકીના સ્મરણ ૧, ૩, ૬ અને હ્તા પ્રતિક્રમણેામાં ઉપયોગ કરાય છે.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org