________________
વાચક મેઘરાજકૃત નલ-દંવદંતી ચરિત ઃ ૧૭૯
જૈન પરંપરાની નલ-કથા પ્રમાણે દવદંતી અચલપુરની પાદરે એક વાવને કાંઠે બેઠી હતી એવું વર્ણન છે. પણ કવિ મેધરાજે દવદંતી સરોવરની પાળે બેઠી હતી એવું વર્ણન કર્યું છે. જૈન પરંપરાની નલકથા પ્રમાણે ઋતુપર્ણ રાજાને ત્યાં વનંતી પહોંચી ત્યારે દાનશાળા ચાલતી જ હતી. પરંતુ કવિ મેધરાજે વર્ણન કર્યાં પ્રમાણે ઋતુપર્ણ રાજા મોટી દાનશાળા ચાલુ કરવાનું દવદંતીને કહે છે. આ વર્ણન પ્રમાણે પણ, ત્યાં દવદંતીને કોઈ ઓળખી શકતું નથી અને કવિએ પણ એ જ પ્રમાણે બતાવ્યું છે, છતાં ઋતુપર્ણ રાજા દવદંતીને ‘ભીમી’ કે ‘વનંતી’ એવું સંબોધન કરીને વાત કરે છે એવું વિથી બતાવાઈ ગયું છે, જેથી ત્યાં ગંભીર ક્ષતિ જણાય છે :
અન્યદા તે રાજા ઋતુપન્ન,
ખોલ્યો નરપતિ અતિ સુવર્ચન. પુત્રી ભીમી સાંભળ વાત,
વચન એક ખોલું છું સાચ. લખમી માહરે ધરે છે ધણી,
આરતિ ચિંતા સવે અવગુણી. માંડો મોટી એક દાનશાળા,
દીજે પુત્રી દાન રસાળાં.
X
એહ વચન સાંભળ ધ્રુવદંતી,
દાન દ્રિયો અતિ મનની ખંતિ. નગર તણે બાહર એક કરી,
દાનશાળા માંડી ધન ભરી.
ખીજા ગૌણુ પ્રસંગોને ટૂંકાવનાર આ કવિએ પિંગળ ચોરનો પ્રસંગ વિસ્તારથી આલેખ્યો છે, અને સુસંગતિ અને દુસંગતિ તથા સુગતિ અને દુર્ગતિ વિશે સદૃષ્ટાન્ત ઉપદેશ દવદંતી પાસે પિંગળ ચોરને અપાવ્યો છે. દુસંગતિ અને સુસંગતિ વિશેની કવિની સોદાહરણ માર્મિક પંક્તિઓ જુઓ :
Jain Education International
X
સુસંગતિ વિશે દવદંતી કહે છે :
કુસંગતિના સુણો અવદાત્ત, ઉત્તમને કોઈ પૂછે વાત; લીંબ સમીપે ઊગ્યો અંખ, ફળ કડવાં થાયે અવિલંબ. ઉદધિ બંધાણો રાવણ સંગે, પોપટ વંયો ભીલ પ્રસંગે; ઘટિકા ચોરે પાણી જાત, રીજે ઝાલર દિનરાત. મીઠો દાસી ખેં હૈં કરે, તિમ તિમ વાનર ચિત્તે રે; કિંબહુના દીસે પર-લોય, કહિયેં કુસંગતિ ભલી ન હોય. કહિયે કુસંગતિ રૂ।િ નહિ, ગાયે લક્કડ ધંટા વહી; માકણુ સંગે જુ નિરવંશ, કાગ પ્રસંગે મરાણો હંસ. ઇત્યાદિક દૃષ્ટાંત અનેક, કુસંગતિ વારો ધરિ વિવેક; સાધુ સંગતિ કરો નિરમળી, જેહથી પહુચે મનની ફળી.
મેરુ ઉપર જ ઊગ્યાં તૃણાં, ઉપમા પામે કંચન તણાં; મલયાચળની સંગતિ જોય, વૃક્ષ ઘણાં ચંદનમય હોય.
For Private & Personal Use Only
www.jainelibrary.org