________________
૧૭૮ : શ્રી મહાવીર જૈન વિધાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
એકલડી વનમાં ગોરડી, સબળ ફળી બીજી બીજોરડી; વાડ નહીં તે નહિ કો નાથ, વાટે કોણ ન વાહે હાથ. નવયૌવન નહીં કહેની વાડ, શીળૅ તો નહીં ણ પાડ. જિમ તિમ કરી આપું રાખવું, ખીજું સહુ દૂરે નાખવું. શીબે સધળાં સંકટ ટળે, શી” મનવાંછિત વિ ફળે; શીબે સુર નર કરે વખાણુ, ગણવું જીવ્યું તાસ પ્રમાણુ.
X
X
X
મણિ માણિક પણ સોને તોય, કનકતણો જે આશ્રય જોય; વલ્લી નિતા પંડિત જાણુ, આસિરે કરી શોભે નિરવાણુ નારીને એહ જ બળ જોય, કે સાસરું કે પીહર હોય; તો પીહર જાઉં દુ:ખ કટે, કોશલા ભણી જાવું નવિ ટે. સાસુ સસરા દેવર જે, ત હોય તો માને નેટ; પતિ વિષ્ણુ હોએ બહુ અંતરું, એ સધળું જોયું નાતરું, હાલ હુકમ તોહ જ સ્ત્રી કરે, પિઉડો જો બેઠો હોય ધરે; કંત વિના ક્રેહવી કામિની, ચંદા વિના જેહવી યામિની, સ્ત્રી પીહર તે નર સાસરે, સંયમી વસવું થિર કરે; જો રહેતાં આમણુ ઘૂમણાં, છેહ જાતાં અળખામણાં. તો પણ પીહરે માતે કાર, નારીને પીહર આધાર; કાંઈ અવગુણુ હોએ નેટ, તોહે ઢાંકે તે મા-પેટ.
ત્યાર પછી સિંહકેસરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનો પ્રસંગ કવિએ વર્ણવ્યો છે. ફૂડકપટથી ભરેલો કૂંબરનો પુત્ર સિંહકેસરી કેવળજ્ઞાન પામે છે એમાં પિતાપુત્ર વચ્ચે કેટલું બધું અંતર જણાય છે? પરંતુ સંસારમાં કર્મની ગતિને કારણે આમ બને છે. કૂબર અને સિંહકેસરી વિશેની આવી વિચારણા આ કવિ સિવાય બીજા કોઈ કવિએ કરેલી જોવા મળતી નથી. કવિ લખે છે :
Jain Education International
કૂંખર તો કૂડે ભર્યો રે, પુત્ર થયો ઋષિરાજ; પિતાપુત્ર કહો સ્યું રે રે, સરયું કરમે કાજ. અહીં મસ્તકે વું મણુિ, સોવન રેત વિકાર; ટૂંક થકી પંકજ હોયે, સ્યું જાતે અધિકાર. શ્રેણિક પહેલી ભોગવે, કોણિક છઠ્ઠી હોય; અભય મેધકુમાર ઋષિ, અનુત્તરે સુર હોય.
વદંતી ઋતુપર્ણ રાજાને ત્યાં આવે છે, દાનશાળામાં દાન આપે છે, પિંગળ ચોરને બચાવી, ઉપદેશ આપી સંયમ લેવડાવે છે, હરિમિત્ર બ્રહ્મણ વદંતીની ભાળ કાઢી એને કુંડનપુર લઈ જાય છે, દંતીનાં માતાપિતા એને આશ્વાસન આપે છે, નળ અગ્નિમાં બળતા સાપને બચાવવા જાય છે ત્યાં સાપ એને કરડે છે; એ નળના પિતા નિષધ-દેવ છે અને તે નળને દિવ્ય વસ્ત્રવરણ આપે છે, નળ સુસમારપુર આવે છે અને ત્યાં ગાંડા હાથીને વશ કરી દધિપણું રાજાની કૃપા મેળવે છે—આ બધા પ્રસંગો કવિએ ચોથા ખંડમાં આલેખ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org