SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક સેધરાજકૃત નલદવદંતી ચરિત : ૧૭૫ નળના જન્મદિવસ વિશે નિશ્ચિતપણે કોઈ કવિએ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ કવિ મેધરાજે લખ્યું છે કે નળનો જન્મ આરસને દિવસે થયો હતો. અલબત્ત, કયા માસમાં અને કયા પક્ષમાં જન્મ થયો હતો તે કવિએ બતાવ્યું નથી. જન્મસમયનું વણૅન કરતાં કવિ લખે છેઃ શુભ મરૃરતે સુત જનમિયો વાગ્યાં ઢોલ નિસાણ; ધર ધર ઉચ્છવ હુએ ધણા, દિયે યાચક દાણુ. અનોપમ નંદન અવતર્યો એ, કીજે રંગ રસાલ; દેશ અમાર વરતાવિયો, છૂટે બંધિ અનેક, મહોત વધારે રાજિયો, ખરચે દ્રવ્ય અનેક. ખારસમે ને આવિયો, મિળી સાવ પરિવાર, સાર શૃંગાર પહિરાવિયાં, ભોજન વિવિધ પ્રકાર. અશનાદિક મુનિને દિયે, ધર્મવચન મુનિથી લિયે, શુદ્ધ હીએ શ્રાવક શુદ્ઘ બિહું થયાં એ. સ્વયંવર મંડપનું અને સજ્જ થઈ તે તેમાં આવેલી દંતીનું વર્ણન મેધરાજે પોતાના પુરોગામી કવિઓ ઋષિવર્ધન કે મહીરાજ જેટલું સુંદર કર્યું નથી. સ્વયંવર વખતે દવદંતીની ઉંમર આ કવિએ દસ વર્ષની ખતાવી છે. અને તેટલી વધે એને લક્ષ્મીના અવતાર જેવી ગણાવી છે તેમાં થોડી અત્યુક્તિ જણાય છે. અન્ય કોઈ કવિએ ધ્રુવદંતીની એટલી નાની ઉંમર બતાવી નથી. કવિ લખે છે : • સ્વયંવરમાં વદંતી નળને વરી એથી ઇર્ષ્યા કરનાર અને યુદ્ધ માટે તૈયાર થનાર કૃષ્ણરાજ નામના રાજવીને નળે યુદ્ધમાં હરાવવો, દવદંતીને પરણીને નળનું પોતાના નગરમાં પાછા ફરવું, પોતાની આજ્ઞા ન માનનાર કદંબ રાજાને નળે હરાવવો, અને પોતાના ભાઈ કૂબર સાથે દ્યૂતમાં પોતાનું રાજય હારી દવદંતી સાથે વનમાં જવા માટે નળનું નીકળવું—આટલી ધટનાઓનું આલેખન રાસના બીજા ખંડમાં કવિએ કર્યું છે. એ ખંડને અંતે કવિ લખે છે : Jain Education International સકળ કળા ગુણી મણિ ભરી, વિદ્યા વિનય વિચાર; અનુક્રમે વર્ષ દશની થઈ, લાછિ તણો અવતાર. તવ રાજા મન ચિંતવે, એ પુત્રી મુજ સાર, રૂપ અનોપમ વય ચડી, કુણુ કીજે ભરતાર ? ઘર આવ્યો પરણી નળરાજ, જૂવટે રમીને હાર્યું રાજ; મુનિ મેધરાજ તણી એ વાણી, એટલે બીજો ખંડ વખાણિ. કૃષ્ણરાજ સાથેના યુદ્ધનો પ્રસંગ વર્ણવ્યા પછી, પુરોગામી કવિ ઋષિવર્ધને નલદવદંતીના વિવાહનો પ્રસંગ એક આખી ઢાલમાં વર્ણવ્યો છે, ત્યારે મેધરાજે એનો ઉલ્લેખ માત્ર એ જ પંક્તિમાં કરી, એ પ્રસંગ પતાવી દીધો છે : નળદવદંતી પરણિયાં, મંગળ ધવળ સુગાન; સાજન સવિ સંતોષિયાં, દીધાં બહુલાં દાન. એવી જ રીતે, સ્વયંવરમાંથી પાછા ફરતાં નળદવદંતીને માર્ગમાં ભ્રમરાથી વીંટળાયેલા, કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા મુનિ મળે છે એ પ્રસંગ પણ મેધરાજે ફક્ત એ પંકિતમાં જ વર્ણવ્યો છે : ગજમદગંધે ભમરે વીંટ્યો, કાઉસગ્ગ છે મુનિ એક; નિષધ નરેસર સવિ પરિવારે, વાંદે ધરી વિવેક. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230223
Book TitleNal Davadanti Charita
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy