SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા રૂપ-અરૂપ ૨૦૭ મુનિરાજ તે દેહના સ્નેહને જીતી ચૂક્યા હતા. એમણે શાંતિપૂર્વક દેવને કહ્યું : “ તમે રાજસભામાં જે દિવસે મારા દેહમાં છુપાયેલા રોગના જંતુઓ મને બતાવ્યા, તે ઘડીથી જ મારી દેહ પરની માયા–મમતાનું વિસર્જન થઈ ગયું. હવે મને લાગે છે કે તે દિવસે તમે મારી પરીક્ષા નહોતી કરી, પણ મારા ઉપર છૂપો ઉપકાર કર્યો હતે. તે દિવસે મને સમજાયું કે જે કોઈ માનવી મન, વચન અગર કાયાથી પિતાના દેહ કે દેહના રૂપ-લાવણ્યમાં રાગ-આસક્તિ કરે છે અથવા એને ગર્વ ધરે છે તેને અંતે દુઃખના ખાડામાં ઊતરવું પડે છે. વળી, શરીરથી મુક્ત થઈને અશરીરી સિદ્ધપદ પ્રાપ્ત કરવાની સાધના કરનાર સાધકને દેહનાં દર્દો અંતરાયરૂપ બનવાને બદલે ઊલટાં સહાયરૂપ બની જાય છે. મારી સાધના દેહના રેગેના નિવારણ અર્થે નહીં, પણ ભવના રોગને નાશ કરવા અર્થેની છે, કારણ કે એને નાશ થયે એટલે પછી રેગના જન્મસ્થાનરૂપ દેહને જ સદાને માટે અભાવ થઈ જાય છે. એટલે તમારી પાસે ભવરોગને નાશ કરવાની અર્થાત્ ફરી જન્મ લે ન પડે એવી કોઈ દવા હોય તે હું તમારી પાસે ઉપચાર કરાવવા તૈયાર છું.” દેએ વિનમ્રતાપૂર્વક કહ્યું : “મુનિરાજ! જ્યાં અમે અમારે પિતાને જ ભવરોગ દૂર કરી શક્યા નથી, ત્યાં આપના ભાગને તે અમે કઈ રીતે દૂર કરી શકીએ ? પરંતુ દેહના રોગો દૂર થતાં આપના ચિત્તની પ્રસન્નતામાં વધારો થશે અને આત્મસાધના વધુ સરળ બનશે, એમ તો અમે ચેકસ માનીએ છીએ.” સનતુ કુમાર મુનિએ આછા સ્મિતપૂર્વક કહ્યું : “દેહ અને આત્માનું સ્વરૂપ ભિન્ન ભિ ન હોવાના કારણે આત્મસાધનામાં દેહનાં દર્દો નહીં પણ દેહના ભેગ-ઇંદ્રિયના સુખવિલાસ-અંતરાયરૂપ બને છે. દેહનાં દર્દો તો દેહની અનિત્યતા, ક્ષણભંગુરતા અને ક્ષણિકતાનું ભાન કરાવી ઉપકાર કરે છે. અને એનું ભાન તે આત્મસાધનામાં અંતરાયરૂપ બનવાને બદલે મદદરૂપ બની જાય છે.” બંને દેવે પૈકી એકે કાંઈક કુતૂહલપૂર્વક કહ્યું: “મુનિરાજ ! જે મંદિરમાં ભવ્ય પ્રતિમા હોય તે મંદિર પણ તેવું જ ભવ્ય હેવું જોઈએ ને? જીર્ણ-શીર્ણ થઈ ગયેલા મંદિરમાં ભવ્ય પ્રતિમા જેમ શોભતી નથી, તેમ તમારો મહાન આત્મા આવા રોગગ્રસ્ત શરીરમાં રહે એ અમને એગ્ય લાગતું નથી.” દેવની આવી વાત સાંભળી સનત્ કુમાર મુનિ હસી પડ્યા અને બોલ્યા: “જીર્ણશીર્ણ થઈ ગયેલા મંદિરમાં પણ ભવ્ય પ્રતિમા હોય તે એ મંદિર પણ ભવ્ય બની જાય છે; અને ભવ્ય મંદિરમાં પણ ખંડિત થયેલી પ્રતિમા હોય તો એ મંદિરની ભવ્યતા ખંડિત થઈ જાય છે. મહિમા અને મહત્તા મંદિરનાં નહીં પણ પ્રતિમાનાં છે.” આમ છતાં દેના મનના સમાધાન અર્થે મુનિરાજે પોતાના દેહ પર એક અદ્ભુત પ્રયોગ કરી બતાવ્યું. ઉત્કૃષ્ટ તપ અને સાધનાના કારણે સનત્ કુમાર મુનિને આમૌષધિ, વિપ્રૌષધિ, ખેલૌષધિ, જલૌષધિ વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. મુનિરાજે પિતાનું ઘૂંક પિતાની આંગળી પર ચોપડયું કે તરત જ આંગળીમાંથી કુષ્ટના દર્દીના અંગે જે લેહીપરુ વહી રહ્યું હતું તે બંધ થઈ ગયું અને તે આંગળી કંચન જેવી શુદ્ધ અને સ્ફટિક જેવી નિર્મળ બની ગઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230218
Book TitleRup Arup
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size663 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy