SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Mot.sessfeet » Asjob .blogspot.M.Patest sessiod ol. polestv.t.vtvg ust below.|૨૬૭) લંબાઈ ૧૩ ઈંચ તથા પહોળાઈ ૨ ઈચ માત્ર છે. વાંચકેની જાણ ખાતર આ એતિહાસિક પ્રતનાં પાનાં બે ઉપરનું શ્રી મહેન્દ્રસૂરિ તથા પૂજ્યશ્રી મેતુંગસૂરિજીવાળા ચિત્રના આઠ લીટીમાં લખેલા સુંદર સુવાચ્ય લખાણ સહિતનું આખું પાનું તથા પ્રતના છેવટના ૪૯ મા પાના ઉપરની પાંચ લીટીઓ કે જેમાં પૂજ્યશ્રી મેરૂતુંગસૂરિજીએ પોતે જ આ પ્રત લખ્યાનો ઉલ્લેખ પાનાની ચેથી લીટીના મધ્ય ભાગમાં શ્રીમતું નૂરિસ્ટિવિત: સ્પષ્ટ અક્ષરોથી કરે છે, જેની રજુઆત આ ગ્રંથના બ્લોક ચિત્ર ૧ માં આ સાથે જ કરેલી છે. આ હસ્તપ્રત લગભગ પસ્તાલીસ વર્ષ પહેલાં મને અમદાવાદના એક જૈન પુસ્તક વિક્રેતા પાસેથી પ્રાપ્ત થઈ હતી અને મેં પણ હસ્તપ્રતનાં બીજા પાનામાં માત્ર એક જ ચિત્રની વિશિષ્ટ મહત્તા સમજીને ખરીદ કરી હતી અને તે સ્વર્ગસ્થ આગમદિવાકર પૂજ્યશ્રી પુણ્યવિજયજીને પાટણ મુકામે બતાવતાં આ હસ્તપ્રત મહાપ્રભાવિક પૂજયશ્રી મેતુંગસૂરિજીએ પોતાના હાથે જ લખ્યાનું કહીને આ પ્રતની અતિહાસિક મહત્તા સમજાવી હતી. આ આખા ય સૂરિ મુખ્યમંત્રક૯૫નું મૂળ અને તેના ગુજરાતી ભાષાંતર સહિત મેં મારી ગ્રંથમાળામાં “સૂરિમંત્રક૯૫ સંદેહ નામના ગ્રંથમાં છપાવી દીચેલ છે. આ ગ્રંથમાં બીજા પણ સૂરિમંત્રકલ્પ તથા શ્રી સિંહતિલકસૂરિ કૃત વર્ધમાન વિદ્યાકલ્પ વગેરે ગુજરાતી ભાષાંતર સાથે છપાવેલ છે. હાલમાં થોડી જ નકલો પ્રાપ્ત છે. અત્યાર સુધીની કાગળ પરની સચિત્ર હસ્તપ્રતોમાં મળી આવેલા ચિત્રો પૈકી આ હસ્તપ્રતનું ચિત્ર કદમાં નાનામાં નાનું છે. આ ચિત્રની પાશ્વ ભૂમિકા લાલ રંગની છે. ચિત્રમાં સાધુઓનાં વસ્ત્ર સફેદ છે અને માત્ર મહેન્દ્રપ્રભસૂરિજે સિંહાસન ઉપર બેઠેલા છે, તે સિંહાસનમાં જ ચિત્રકારે સોનાની શાહીને ઉપયોગ કરે છે. શ્રી મહેન્દ્રપ્રભસૂરિજી અને શ્રી મેતુંગસૂરિજીની વચ્ચે સ્થાપનાચાર્યજી છે. ગુજરાતની જ નાશ્રિત કલાના ચૌદમા સૈકાના અંતિમ સમયનું આ ચિત્ર હોવાથી, તે સમયના પુરુષ અને સ્ત્રીઓનો પહેરવેશ આ ચિત્ર રજૂ કરે છે. અગાઉ જણાવી ગયા પ્રમાણે સૂરિમંત્રક૯૫ સારો દ્વાર”ની રચના મેરૂતુંગસૂરિએ વિક્રમ સંવત ૧૪૫૩ માં કરેલી છે. વળી સૂરિમંત્રકલપના સારે દ્વાર રૂપ આ ગ્રંથનું ખરું નામ “શ્રી સૂચિમુખ્ય મંત્રક૫” હેવાનું ગ્રંથકારે પોતે જ અંત ભાગમાં જણાવેલ છે. વળી આવા પ્રકાંડ વિદ્વાન અને મંત્રવાદી તથા દેવોને પણ માન્ય પ્રાતઃસ્મરણીય શ્રી મેરુતુંગરિ જેવા મહાપુરુષે પિતાની પાસે અનેક શિ તથા પ્રશિષ્ય હાજર એ ગ્રાઆર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230196
Book TitleMerutungasuri krut Shree Suri Mukhyamantrakalpa Ek Parichaya
Original Sutra AuthorN/A
Author
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Mantra Tantra
File Size637 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy