SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 1 5 5 destacadesaste stededos dochodeste desastestas se sosestadoslastestesteste stedeste-te testosteste de deste desbosstedeste dedede stedest desestesteses લેવડાવ્યું, અને છોકરાને જીવતો કર્યો. આચાર્યના પ્રભાવથી સોએ જૈન ધર્મને સ્વીકાર કર્યો અને મેટા ઉત્સવપૂર્વક મેરૂતુંગસૂરિને વડનગરમાં નગરપ્રવેશ કરાવવામાં આવ્યા. તેઓશ્રીનાં ઉપદેશથી નાગરેએ વડનગરમાં જિનમંદિર તથા ઉપાશ્રય બંધાવ્યાં. ઉપરોક્ત મહામંત્રવાદી, પ્રખર સાહિત્યકાર તથા પરમ તપસ્વી શ્રી મેરુતુંગસૂરિજીએ પિતાને જ હાથે લખેલી શ્રી સૂરિમુખ્યમંત્રકપની એક સુંદર હસ્તપ્રતિ મારા પોતાના સંગ્રહમાં છે. - પ્રતિ પરિચય : આ પ્રતિ ૪૯ પાનાની છે. તેની લંબાઈ ૫ ઇંચ અને પહોળાઈ ૨૩ ઇંચ છે. આ પ્રતિ પિતાની પાસે રાખીને, તેને નિરંતર સ્વાધ્યાય કરવા માટે, પોતાના સ્વહસ્તે જ મેરૂતુંગસૂરિએ લખેલી છે. જે વાતને સ્પષ્ટ ઉલ્લેખ, ૪૯ પાનામાં પોતે જ આ પ્રમાણે કરેલું છે • श्रीमदंचलगच्छेशः श्रीमेरुतुंगसूरयः । आलोक्यानेकसूरीदें मुख्यमंत्रोपयोगिनः ॥ १॥ ग्रंथान् गच्छोपयोगार्थ सारोद्धारं व्यधुः स्वयं ॥ श्लोकाः पंचशतान्यत्राष्टापंचाशच्चनिश्चिताः इतिश्री विधिपक्ष मुख्याभिधान श्रीमदंचलगच्छेश श्री मेरुतुंगसूरिलिखितः श्री अंचलगच्छे श्री सूरिमुख्यमंत्रकल्प छ । ગ્રંથાબં ૧૧૮ છ | અથત ઃ શ્રીમદંચલગચ્છશ શ્રી મેરૂતુંગસૂરિએ અનેક સૂચિમુખ્યમંત્રપગ કલ્પનું નિરીક્ષણ કરીને, આ ગ્રંથ પિતાના ગચ્છના ઉપયોગ માટે, અનેક સૂરિમંત્રોના સારોદ્ધારરૂપ, પાંચ અઠ્ઠાવન કલેક પ્રમાણ આ સુરિમુખ્યમંત્રકલ્પ નામનો ગ્રંથ વિધિપક્ષના મુખ્ય નામથી ઓળખાતા એવા અંચલગચ્છશ શ્રી મેતુંગસૂરિએ જાતે લખેલે છે. આ ઐતિહાસિક મહાપુરુષે લખેલી હસ્તપ્રત, પ્રાચીન તાડપત્રીય પ્રતોની માફક છેક પાનાના મધ્ય ભાગમાં ૭ છિદ્રવાળી છે. અને દરેક છિદ્રને ફરતું સુંદર લાલ શાહીથી દોરેલું કમલ પાંખડીઓ જેવું સુશોભન છે. પ્રતના અક્ષરે ગોળાકાર, મનહર અને સુવાચ્ય છે. દરેક પત્રમાં સાત અથવા લીટીઓ છે અને દરેક લીટીમાં ર૭–૨૮ અક્ષરે છે. વાંચકોની જાણ ખાતર બીજું પાનું કે જેમાં છતમાં બાંધેલા ચંદરવાની નીચે, સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા જૈનાચાર્યનું સુંદર ચિત્ર છે. આ પ્રત મે તુંગસૂરિએ પિતાના હાથે જ લખેલી હોવાથી આ ચિત્ર તેઓશ્રીના ગુરુશ્રી મહેન્દ્રસૂરિજી અને તેઓશ્રીની સામે બે હાથ જોડીને બેઠેલા શિષ્ય (શ્રી મેરુતું ગસૂરિજી) હોવાનો સંભવ છે. ચિત્રની નીચેના ભાગમાં એક ભક્ત શ્રાવક, બે સાધ્વીઓ તથા એક શ્રાવિકા બંને હસ્તની અંજલિ જોડીને સુવર્ણસિંહાસન ઉપર બેઠેલા શ્રી મહેન્દ્રસૂરિજીને ઉપદેશ સાંભળતાં બેઠેલાં છે. આ ચિત્ર સામાન્ય પ્રકારનું હોવા છતાં એતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. ચિત્રની છે. (ર) - 7. • શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથો T ( 7 8 9 : - - - - - '''''* * *. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230196
Book TitleMerutungasuri krut Shree Suri Mukhyamantrakalpa Ek Parichaya
Original Sutra AuthorN/A
Author
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Mantra Tantra
File Size637 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy