SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મગનલાલ ડી. શાહ : મરજીવે। મહાવિ ૧૫૯ કિવ એટલે મહાસ`વેદનશીલ આત્મા. એ તે મડામાં પણ પ્રાણ ફૂંકીને સ્વાભિમાનની ભાવનાને સજીવન કરે. કવિના અંતસ્તાપ અને પુણ્યપ્રાપ એના પ્રત્યેક શબ્દમાં રણકવા લાગે, અને એવા એક એક શબ્દ જનતામાં ચેતનાની જ્યેાતને જલતી રાખવા માટે તેલનું કામ કરે! એવા જ એક સ્વમાની મસ્ત કવિની આ ગૌરવંતી કહાણી છે. બ્રાહ્મણ તા પ્રભુનુ પ્રથમ સર્જન; બ્રાહ્મણ જૈન ન બની શકે; બ્રાહ્મણુ અને જૈન વચ્ચે અભેદ ન સંભવે—એવી એવી કલેશ-દ્વેષ ભરી માન્યતા લઈ ને અજયપાળ ગાદીએ આવ્યા હતા. એમની આ ગેરસમજણુમાંથી જ ગૂર્જરભૂમિની સુખશાંતિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિના વિનાશ કરનારું તાંડવનૃત્ય આરંભાયું હતું. હેમાચાય અને કુમારપાળદેવે અંતરનાં અમી સી`ચી સીંચીને ગુજ પ્રજામાં ભ્રાતૃભાવ અને મૈત્રીની જે ભાવના રેલાવી હતી એને સમજવાનું કે સાચવવાનું અજયપાલનુ કાઈ ગળુ ન હતું. ઉદારરારિત આત્માએની ઉદારતાને ખાપડું સોંકુચિત માનસ કેવી રીતે સમજી શકે ? એટલે જ અજયપાળ મહારાજા કુમારપાળ અને હેમચંદ્રચાર્યનું કર્યું –કારવ્યુ ધૂળમાં મેળવવા તૈયાર થયા હતા. રજનીદેવી રૂપેરી આભલાના ભરતકામથી શૈાલતી સાડી પહેરી આભની અટારીએ ડોકિયુ` કરી રહી હતી. કાળાં કામના કરનારા માનવીએ પેાતાનાં કુંકૃત્યાને કાજળકાળી રાત્રિના અંધકારમાં છુપાવવા મથતા હતા. ત્યારે જાણે રૂપેરી આભલા સમા ટમટમતા તારલિયાએ માનવીની મૂર્ખાઈ પર હસી રહ્યા હતા ! પાટણ નિદ્રાદેવીને ખેાળે પાઢી ગયુ હતુ, નગરની શેરીએ સૂમસામ બની હતી, ત્યારે ઉપાશ્રયમાં એક સાધુરાજ ધ્યાનસ્થ દશામાં બેસી ધચિંતન કરી રહ્યા હતા. આખું નગર ઊંઘતુ' હતુ' ત્યારે આ અપ્રમત્ત સાધુરાજ જાગતા રહીને આત્મભાવની ખેાજ કરી અંતરને અજવાળી રહ્યા હતા. એવામાં એક ગુપ્તચરે દખાતે પગલે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને સાધુરાજની પાસે જઈ ને તુમાખી ભર્યા સ્વરે જાણે પડકાર કર્યું : “ કવિરાજ ! પાટણમાં થતી ઉથલપાથલની આપને ખખર તેા છે ને ? સાધુરાજ ! અત્યારે પાટણમાં કોનું શાસન ચાલે છે તેની આપને જાણ તેા છે ને ?” “ પાટણમાં જેનું શાસન ચાલતું હેાય તેનું ભલે ચાલે, મારે એનું શું પ્રયેાજન ? મહાનુભવ, મારે તે મારા હૃદયસામ્રાજ્યમાં કેાનું શાસન પ્રવર્તે છે, એની સાથે જ નિસ્બત છે. અને ત્યાં આત્માનું શાસન ચાલતુ' હાય એટલે. ખસ ! વળી આવતી કાલે હું' સા(૧૦૦)મું કાવ્ય રચીશ, અને પ્રમ'ધશતકર્તા'ની ઉપાધિ મેળવવા ભાગ્યશાળી અનીશ. પશુ મારા અધ્યયનમાં આવી મધ્યરાત્રિએ ખલેલ પાડનાર તમે કાણુ છે, અને અત્યારે અહીં આવવાનું પ્રયાજન શું છે ?' ગુપ્તચરના મનાભાવ જાણે બદલાઈ ગયા. એણે અજપાભર્યાં દીઘ નિ:શ્વાસ નાખ્યા. સાધુરાજની વધુ નજદીક જઈ એ ધીમે સાદે કહેવા લાગ્યું: “કવિરાજ, કવિતા અને કલા, શબ્દ અને ધ્વનિ, અલંકાર અને રસ એ બધાંને, ભે'સ ઘાસના પૂળે વાગાળે એમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230191
Book TitleMarjivo Mahakavi
Original Sutra AuthorN/A
AuthorMaganlal D Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size712 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy