SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ રમણીક રાહ જેમાં બેાધક કથાઓ, ચરિત્ર આદિ સમાવેશ થાય છે. ૩. ગણિતાનુયાગ—જેમાં ગણિત-જ્યાતિષ આદિ વિષયક સાહિત્યા સમાવેશ થાય છે અને ૪, દ્રવ્યાનુયોગ - જેમાં દનવિષયક સાહિત્યના સમાવેશ થાય છે. આમ ધ કથાનુયાગરૂપે એક સમગ્ર વિભાગનું નિરૂપણ કર્યું છે જે દર્શાવે છે, કે જૈન સાહિત્યમાં ધર્મકથાનું કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. જ્ઞાતાધર્મકથા અને ઉપાસકદશા આ બન્ને ગ્ર ંથા ઉપરોક્ત ધ કથાનુયોગના પ્રાચીનતમ ગ્રંથ ગણી શકાય. વળી એ મને ભગવાન મહાવીરના ઉપદેશ અને જીવન સાથે સંકળાયેલા છે. બન્નેનુ વિષયવસ્તુ ક્રમે જોઈએ— નાધમ્મકહા ( સં. જ્ઞાતાધર્મકથા અથવા સાતૃધર્મકથા)ના નામની સમજૂતી એ રીતે આપી શકાય. એક તા જ્ઞાત એટલે દૃષ્ટાંતા કે ઉદાહરા અને ધર્મકથાએ એ બન્ને જેમાં છે તે નાતધર્મ કથા. બીજી સમજૂતી પડિતજીએ આપેલ નામ મુજબ જ્ઞાતૃ કે જ્ઞાતા એટલે મહાવીર અને તેમણે કહેલી ધ કથાએ એટલે જ્ઞાતુ કે જ્ઞાતાધર્મકથા. ખતે અહીં સરખી રીતે ઘટાવી શકાય છે. ૫ જ્ઞાતાધર્મકથા અથવા ભગવાન મહાવીરની ધર્મકથાઓના એ શ્રુતસ્ક ંધ એટલે કે ભાગ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયનામાં નાનીમોટી ૧૯ કથાએ કે દૃષ્ટાંતા આપેલાં છે. આમાં શ્રમણુજીવનના આવશ્યક ગુણા જેવાં કે સમભાવ અને સહનશક્તિ કેળવવા શા માટે જરૂરી છે અને કેમ કેળવવા એને લગતી ત્રણ કથાએ (૧લી પગ ઊંચા કર્યાં, ૧૧ મી દાવવના ઝાડ અને ૧૭ મી ઘેાડા ), શ્રમણ્ણાએ સાવધાન રહી, અપ્રમત્તપણે માત્ર શરીરના પાષણને માટે જ આહાર-સેવન કરવું એને લગતી ત્રણુ કથા ( રજી એ સાથે ખાંધ્યા, ૪ થી ખે કાચબા, ૧૮ મી સુંસુમા), અહિંસા આદિ મૂળ ગુણામાં શંકા ન કરવાનો ઉપદેશ આપતી એ કથાએ ( ૩ જી એ ઈંડા, ૯ મી માંદી ), આચારની શિથિલતાથી થતા અન વિશે એક કથા ( ૫ મી શૈલક ઋષિ), આત્માની ઉન્નતિ અને અધોગતિના કારણેા આપતું દૃષ્ટાંત (૬ ઠ્ઠું અધ્યયન-તુ ંબડું), શ્રમણાને યાગ્ય ગુણેાની સમજૂતી આપતી એ કથાએ (૭ રાહિણી, ૧૦ ચંદ્રમા), સ્ત્રીજીવનમાં ચરમ આત્માતિની શકચતા દર્શાવતી મલ્લિની કથા ( ૮ મલ્લિ ), સદાચાર અને ગૃહસ્થ ધર્મ દર્શાવતી એક કથા (૧૨ પાણી ), આસક્તિ અને અના સક્તિ વિષે ૪ કથાએક ( ૧૩ દેડકા, ૧૪ અમાત્ય તૈયલિ, ૧૫ નદીફળ અને ૧૬-અવરક કા-દ્રૌપદીની કથા ). આમ મોટા ભાગે શ્રમણેાના જીવનમાં ઉપયાગી ગુણ્ણા અને તે કેળવવા માટેના મેધ આપતી કથાએ કાઈ રૂપક, દષ્ટાંત કે કથાનક દ્વારા આપવા ધારેલે ખાધ સહજ રીતે આપી દે છે. ખીજા શ્રુતસ્ક ંધમાં સ્ત્રીઓ દ્વારા સચમપાલનની શિથિલતા અને તેના માઠાં પરિણામે વિશે એક જ સરખી અનેક કથાએ આપવામાં આવી છે. વાસગદસા’ના અનુવાદ પંડિતજીએ ‘ભગવાન મહાવીરના દશ ઉપાસા' એ શીર્ષક તળે આપ્યા છે. પ્રાકૃત વાસગ' એટલે ઉપાસક', પ્રાચીન સમયમાં ગૃહસ્થ ધર્માનુયાયીને માટે ઉપાસક શબ્દ વપરાતા, બૌદ્ધોમાં પણુ એ જ શબ્દ એ જ અર્થમાં વપરાયેલ છે. પછીના સમયમાં ઉપાસકને માટે શ્રાવક શબ્દ પ્રચલિત થયા, જે અત્યારે પણ વપરાશમાં છે. ( ઉવાસગદસાએ' અથવા ભગવાન મહાવીરના દશ ઉપાસા'માં ભગવાનના અનુયાયી એવા દૃશ ઉપાસ (શ્રાવા કે ગૃહસ્થા )ના જીવનની ધાર્મિક બાજુની ઝાંખી કરાવવામાં આવી છે. પ્રત્રજિત થઈને જે સંસાર ત્યાગી શકે નહીં અથવા જે ગૃહસ્થજીવન છેડયા વિના પણ ધર્મમય આચરણ કરવા માગતા હેય તેમને માટે જૈન ધર્મીમાં સ્થૂળતાની યાજના છે. અહિંસા, સત્ય આદિ મહાવ્રતાનુ’ મર્યાતિ પાલન તે સ્થૂળન્નત. આવાં પાંચ સ્થૂળત્રતાની સાથે જ ગૃહસ્થજીવનના ભોગપભાગને મર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230181
Book TitleMahavirni Dharmkathao ane Mahavirna Dash Upasako
Original Sutra AuthorN/A
AuthorRamniklal M Shah
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size409 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy