SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ :૭૦] જ્ઞાનાંજલિ જૈન સંપ્રદાયમાં આજે એક એવો મહાન વર્ગ છે અને પ્રાચીન કાળમાં પણ હતો, જે “નિર્યુક્તિએના પ્રણેતા ચતુર્દશ પૂર્વવિદ્દ છેદસૂત્રકાર સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામી જ છે” એ પરંપરાને માન્ય રાખે છે અને પિષે છે. એ વર્ગની માન્યતાને લગતાં અર્વાચીન પ્રમાણોને–નિરર્થક લેખનું સ્વરૂપ મોટું થઈ ન જાય એ માટે—જતાં કરી, એ વિષેના જે પ્રાચીન ઉલ્લેખો મળે છે એ સૌનો ઉલ્લેખ કર્યા પછી “નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી, ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી નથી પણ તે કરતાં કોઈ જુદા જ સ્થવિર છે.” એ અમારી પ્રામાણિક માન્યતાને લગતાં પ્રમાણ અને વિચારસરણી રજૂ કરવામાં આવશે. અમે અહીં અમારી નવીન છતાં પ્રામાણિક માન્યતાને અંગે જે પ્રમાણે અને વિચારો રજૂ કરીએ છીએ તેને વિદ્વાને ધ્યાનપૂર્વક વિચારે અને તેની સાધક-બાધતાને લાગતા વિચારો તેમ જ પ્રમાણેને સૌમ્યતાથી પ્રગટ કરે. અહીં ખેંધવામાં આવતી નવીન વિચારસરણીને અંગે કઈ પણ મહાશય પ્રામાણિક દલીલ તેમ જ ઐતિહાસિક પ્રમાણે દ્વારા ઊહાપોહ કરશે તો અમે તેના ઉપર જરૂર વિચાર કરીશું. અમારી માન્યતા વિદ્વર્ગમાં ચર્ચાઈને તેને વાસ્તવિક નિર્ણય ન આવે ત્યાં સુધી અમે એના ઉપર નિર્ભર રહેવા નથી ઇચ્છતા. અને એ જ કારણથી “છેદસૂત્રકાર ભદુબાહુસ્વામી” કરતાં નિર્યુક્તિકાર આચાર્ય તદ્દન ભિન્ન હોવાની અમારી દૃઢ માન્યતા હોવા છતાં અમે અમારા તરફથી પ્રકાશન પામેલા બહકલ્પસૂત્ર ગ્રન્થનાં શીર્ષકમાં લાંબા વખતથી ચાલી આવતી રૂઢ માન્યતા મુજબ “qશ્રીમદ્રવદુવામિવિનિર્મિતત્ત્વોપજ્ઞનિર્યું તે ગૃહજ્જબૂત્ર’ એ પ્રમાણે જ લખ્યું છે. હવે અમે અમારી પ્રતિજ્ઞા અનુસાર પ્રારંભમાં “નિયુક્તિકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુવામી છેએ માન્યતાને લગતા પ્રાચીન ૩જોવો આપીએ છીએ? १. " अनुयोगदायिनः-सुधर्मस्वामिप्रभृतयः यावदस्य भगवतो नियुक्तिकारस्य भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वधरस्याचार्योऽतस्तान् सर्वानिति।" प्राचाराङ्गसूत्र शीलाङ्काचार्यकृत टीका, પત્ર ૪. २. " न च केषाञ्चिदिहोदाहरणानां नियुक्तिकालादाक्कालभाविता इत्यन्योक्तत्वमाशङ्कनीयम , स हि भगवाँश्चतुर्दशपूर्ववित् श्रुतकेवली कालत्रयविषयं वस्तु पश्यत्येवेति कथमन्यकृतत्वाशङ्का ? इति ।" उत्तराध्ययन शान्तिसूरिकृता पाइयटीका, पत्र १३६. - રૂ. “Twifધસ્ય વન્દ્રનં વાર્તધ્યમ્ ૨ સ્વમસ્ય, યત ૩ –TIf a ” | भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वधरत्वाद् दशपूर्वधरादीनां च न्यूनत्वात् किं तेषां नमस्कारमसौ करोति ? इति । अत्रोच्यते गुणाधिका एव ते, अव्यवच्छितिगुणाधिक्यात् , अतो न दोष इति ।" अोधनियुक्ति द्रोणाचार्यकृतटीका, पत्र ३. ४. “ इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मकश्रुतस्कन्धरूपमावश्यकं तावदर्थतस्तीर्थकरैः सूत्रतस्तुगणधरैविरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधुश्रावकवर्गस्य नित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुनैतव्याख्यानरूपा “આમિrળવોહિયાળ” ત્યવિજેતા થા નિવૃત્તિ તા.” વિશેષાવર માधारिहेमचन्द्रसूरिकृत टीका, पत्र १. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy