SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ babhi baharshidhhhhhhhhhhhhhhhhhhsht [$3] જેવી રીતે હાલની ઊંચાઇ ા થી ૪ હાથ, તેના કરતાં ચેાથા આરાના અંતિમ સમયની ઊંચાઈ ૭ હાથની છે, તે હાલની ઊંચાઈ કરતાં લગભગ બમણી છે, તે કારણે તે વખતની ચાલવાની શક્તિ પણ લગભગ બેવડી માનવામાં આવે છે. તેવી જ રીતે હાલના છઠ્ઠા સંધયણ, સેવા સંઘયણને પહેલાં વઋષભનારાચ સંધયણુ હતુ, તેની શક્તિ પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. છેલ્લા, છેવટ્ટ' ( છઠ્ઠું સેવા) સંધયણુ કરતાં પહેલા વઋષભનારાચ સંધયણને કારણે ચાલવાની શક્તિ અનેકગણી વધી જાય છે. છઠ્ઠા સંઘયણુ કરતાં પાંચમા સંઘયણની, પાંચમા કરતાં ચેાથાની, ચેાથા કરતાં ત્રીાની, ત્રીજા કરતાં બીજાની અને બીજા કરતાં પહેલાની ચાલવાની શક્તિ ઉત્તરાત્તર વધતી જાય છે. અને તેથી છઠ્ઠા સંઘયણ કરતાં પહેલા સંઘયણની ચાલવાની શક્તિ લગભગ ૨૦ થી ૨૫ ગણી હાવાના સંભવ માની શકાય અને તેથી તે કાળમાં મનુષ્યની ચાલવાની શક્તિ દરરોજ ૧,૦૦૦થી ૧,૨૦૦ માઈલની સામાન્યપણે માની શકાય. હાલમાં, ( વિ. સં. ૨૦૩૩, ઈ. સ. ૧૯૭૭ ) મનુષ્યની દરરેાજની ચાલવાની શક્તિ ૪૦ માઈલની રહેલી જ છે. (અલબત, બધા મનુષ્યે દરરોજના ૪૦ માઈલ ચાલતા નથી કે ચાલવાની શક્તિ ધરાવતા ચે નથી. (પરંતુ અત્યારે પણ, કેટલાક મનુષ્યે એવા છે કે, જેઓ દરરોજના ૪૦-૫૦ માઈલ ચાલવાની શક્તિ ધરાવે છે. ) દરરોજ ૨૫ થી ૪૦ માઈલ સુધીના વિદ્ગાર કરનારા મુનિરાજો હાલમાં પણ વિદ્યમાન છે. જ્યારે આજથી ૫૦-૬૦ વરસ પહેલાં એક જ દિવસમાં ૭૦-૮૦ માઈલ ચાલવાના બનાવે અનેલા છે. કેટલાક ચેાર, લૂટારાએ તે એક જ રાત્રિમાં ૧૦૦ માઈલ દૂર નાસી ગયાના બનાવે અનેલા છે. તદુપરાંત, (૧) ઈ. સ. ૧૯૬૦ લગભગમાં એક માણસ કેરળથી મુંબઈ ( લગભલ ૧,૦૦૦ માઈલ ) ૧૪ દિવસ પગે ચાલીને પહાંચી ગયેલ હતા. ( ૨) મેન્સન એહસ્ટ નામના એક નેવેજિયન ઈ. સ. ૧૮૩૩માં મુનચેનથી ગ્રીસ સુધીનું ૨,૦૦૦ માઈલનું અંતર ૨૪ દિવસમાં તથા ઈસ્તંબુલથી કલકત્તા સુધીનું આવવાનું અને જવાનુ` મળીને ૬,૨૫૦ માઇલનું અંતર ૫૯ દિવસમાં કાપી ગયેલા. [‘સંદેશ’. તા. ૨-૭૧-૬૪] (૩) હાલમાં ઇ. સ. ૧૯૬૬માં પાટણ પાસે કુણગેર ગામમાં રહેતા શ્રી ત્રિકમલાલ કરસનદાસ નાયક ૯૦ વર્ષની ઉમ્મરે પણ કુણુગેરથી અંબાજી (૯૦ થી ૧૦૦ માઈલ) ત્રણ દિવસમાં પગે ચાલતા જાય છે અને ત્રણ દિવસમાં પગે ચાલતા પાછા ઘેર આવે છે. (૪ ) હાલમાં, ( ૧૩ જાન્યુઆરી, ૧૯૭૭ ) સુરત તરફના શ્રી ઝીણાભાઈ નાયક અમદાવાદના સાબરમતી આશ્રમથી દિલ્હી તફ દોડી રહ્યા છે, અને તા. ૧૫-૨-૭૭ સુધીના પદર દિવસમાં ૫૮૦ લેમીટરનું (આશરે ૨૫ માઈલ ) શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230161
Book TitlePanchma Arani Sharuatma Manushyani Chalwani Shakti Maryada
Original Sutra AuthorN/A
AuthorRamanbhai B Shah
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size620 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy