SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ રત્ના લેખક : શ્રી સુરેશ ગાંધી યુવાન વયે મગધની ગાદીએ આવેલ રાજા શ્રેણિક પેાતાના નવા ગેાઠિયાએ અને વાહવાહ કરનારા સામત-સરદારાના ર'ગમાં રંગાઈને વ્યભિચારી અને વ્યસની બની ગયા હતાં. નવવસ'તનાં ફૂલાએ જ્યારે ફાગણ પર પ્રેમને અભિષેક કર્યો અને વારાંગનાઓએ એમના મધુર કઠે બિહાગના રાગ છેડી દીધા, ત્યારે શ્રેણિકે એના ગાઠિયાને કહ્યુ : “ આજ તેા ખેરસલીની ગંધથી યૌવનનુ' પાનેતર ભીંજાઈ ગયું છે. મલય પવનના હિલેાળે ચંચલ મન ડોલી ઊઠયું છે. ચાલે શિકારે જઈ એ. ” અને એ ચાંદની રાતે શ્રેણિકની ટાળી વેણુવનમાં તૂટી પડી. મૃગલાં અને ખીજા' જે પશુએ હાથ આવ્યાં એમને મારીમારીને ધરતીને લાલ લેાહીથી રંગી દીધી! પણ શ્રેણિકને મન હજુ શાંતિ નથી. જૂઈની સુગધથી પાગલ બનેલા ભમરાની જેમ એ વિહવળ થઈ ને ચારેકાર ઘૂમી રહ્યો છે. ગોડિયાએની નજર ચુકાવી એણે રૂપની લાલસા છિપાવવા પેાતાના ઘેાડા દોડાવી મૂકચો. એને એના ગુપ્તચરાએ બાતમી આપી હતી કે દૂર એક ખેતરમાં એક ખેડૂત ઝૂંપડી બાંધીને ખેતી કરે છે અને તેની યુવાન પુત્રીને કામાંધ શિકારીઓની નજરથી બચાવી રહ્યો છે. મધરાતે જઈ શ્રેણિકે ખેડૂતની ઝૂંપડીનું બારણું ખખડાવ્યુ. ખેડૂતની યુવાન કન્યા નંદાએ બહાર આવીને પૂછ્યું : “ અત્યારે શા માટે આવ્યા છે, અતિથિ ? ” યૌવનમાં હિલેાળા લેતી આ કિસાન કન્યાને જોઈને શ્રેણિક પાગલ બની ગયા. એને કંઈ પણ ખેલવાની ઈચ્છા થઈ નહિ. માત્ર ધરાઈ ધરાઈને એ એનું રૂપ જોતા રહ્યો. શરમાઈને ના અંદર ચાલી ગઈ ત્યારે જ એને ભાન થયું કે વસ ંતે ધરતી પર ફૂલનાં પગલાં સૂકાં છે અને કેસૂડાના રંગે એનું પાનેતર રંગાઈ ગયુ છે. ઝૂંપડીની અંદર જઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230137
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorSuresh Gandhi
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size514 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy