________________ જ્ઞાનપ્રભા તપસ્વિની [ 225 તેમની યોગ્યતા, પ્રભાવ, ઓજસ વગેરે વિષે પ્રત્યક્ષ જ અનુભવ છે. હું તો આ સાધીથી સામે નાના બાળકભાવે જ ખેલે છું. જેમ ધર્મનાં સાધને કેટલાંક સર્વવ્યાપી હોય છે અને કેટલાંક દેશવ્યાપી; મહાનુભાવ મહાપુરુષોનાં જીવનચરિત્ર વિષે પણ આ જ હકીકત છે. સર્વવ્યાપી સાધનને સૌ કોઈ એકસરખી રીતે જાણતા હોય છે, જ્યારે ઇતર સાધન માટે તેમ નથી હોતું. મહાનુભાવ મહાપુરુષ વિષે પણ આ જ વાત છે. તે સાથે એ પણ એક હકીકત છે કે કઈ પણ મહાપુરુષનું જીવનચરિત્ર એ શ્રદ્ધાળુ તેમ જ તટસ્થ આત્માઓ માટે એક જીવનની જડીબુટ્ટી સમાન વસ્તુ છે. આ બધું ગમે તેમ હો, તે છતાં “શ્રીમતી દાનશ્રીજી મહારાજ એક સુયોગ્ય વિભૂતિ સ્વરૂપ હતાં” એ હું શ્રદ્ધાપૂર્વક માનું છું અને કહું છું. તેમનું જીવનચરિત્ર શ્રદ્ધાળુ તેમ જ તટસ્થ આ બન્ને પ્રકારના આત્માઓને જીવનપ્રેરણા આપનાર જરૂર નીવડશે. [ “જ્ઞાનપ્રભાપ્રવર્તિની સાધ્વી શ્રી દાનશ્રીજી' નું આમુખ, ઈ. સ. ૧૯૫ર ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org