SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાધુસસ્થા અને શિક્ષણ વર્તમાન જૈન સાધુસમુદાયની જ્ઞાનના વિષયમાં અતિ મંદ અથવા અતિ દરિદ્ર સમાજના અનેકાઅનેક હિતૈષી સમજુ મનુષ્યેાના હૃદયમાં આજે એ વિચાર સ્ફુરી સાધુઓની જ્ઞાનના ક્ષેત્રમાં કેવી અને કેટલી યાગ્યતા હાવી જેઈ એ ? અર્થાત્ જૈન કયા ધારણે અને કઈ જાતનું હોવુ જોઈ એ ? ઉપર્યુંક્ત પ્રશ્નને અંગે સ્વતંત્ર વિચારો પ્રગટ કરવા કરતાં આપણે આપણી પ્રાચીન જૈન સાધુસંસ્થાના શિક્ષણ તરફ સહજ દષ્ટિપાત કરી લઈએ, જેથી વમાન જૈન શ્રમણુસંસ્થાના શિક્ષણને આદર્શો કેવા હવે જોઈ એ એ પ્રશ્નના ઊહાપેાહ અગર ઉકેલ આપેાઆપ જ થઈ જાય. દશા જોઈ તે જૈન રહ્યો છે કે, જૈન શ્રમણાનુ શિક્ષણ આજે જ નહિ પરંતુ અતિ પ્રાચીન કાળથી પણ વૈદિક અને બૌદ્ધ ધર્માવલંબી કરતાં અપ સંખ્યામાં રહેલ જૈનધર્મે આજ સુધી જગત સમક્ષ પેાતાનું વ્યક્તિત્વ તેમ જ અસ્તિત્વ જાળવી રાખેલ છે એ કાના અને શાના પ્રભાવથી ? એને જો આપણે સ્થિર ચિત્તે વિચાર કરીશું તેા ઉત્તર એ જ મળશે કે, સાધુથ્વી જૈન શ્રમણુસંસ્થા અને તેના વિશાળ શિક્ષણના પ્રભાવથી જે ધમે, જે શ્રમણુસ સ્થા અને તેના જે ઉદાત્ત શિક્ષણના ધેારણથી, આજ પર્યંત પેાતાનું પ્રભાવશાળીપણુ ટકાવી રાખ્યું છે, એટલુ જ નહિ, પણ તે સાથે જગતભરના ધર્માંને પેાતાના વિશિષ્ટ સંસ્કારાને વારસાય અર્પણ કર્યાં છે એ જ ધર્મ, આજે આપણે ચામેર નજર નાંખીશું' તેા, દિન પ્રતિદિન પ્રત્યેકેપ્રત્યેક બાબતમાં નિસ્તેજ અને પ્રભાવહીન થતા નજરે આવે છે. આ ઉપરથી આપણે એ વિચારવું અતિ આવશ્યક છે કે, આપણી પ્રાચીન શ્રમણસંસ્થાના શિક્ષણમાં એવી કઈ વિશેષતા હતી ? અને આજે એમાં કયાં ઊણપ આવી છે ? તેમ જ એ ઊણપ દૂર કરવા માટે આપણે શુ કરવુ જોઈ એ ? જગત તરફ નજર કરીશુ તેા જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલા વિદ્યાના વિશાળ આદશ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શોમાં સંકુચિતતા કે એછાશ હશે એટલી એના વ્યક્તિત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણસંસ્થાનુ દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું? આજે એ વ્યક્તિત્વ કયા પાતાળમાં જઈ રહ્યું છે? એ સમજવાની કે વિચારવાની શક્તિ પણ આપણે સૌ ગુમાવી ખેડા છીએ. અસ્તુ. હવે આપણે મુખ્ય વિષય તરફ આવીએ. આપણી સમક્ષ વિદ્યમાન પૂર્વાચાર્યાંના જીવતા જીવન સમા પ્રાચીન ગ્રંથાનું આપણે સક્ષમ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230125
Book TitleJain Sadhu Samstha ane Shikshan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Education
File Size418 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy