SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાધુસ`મેલન અને પ'ચાંગી આધારે પ્રશ્નોના નિર્ણય (!) | વસ થયેલી પાંચાંગી વિદ્યમાન છે, એ પ્રત્યેક નથી આગમ કે નથી શાસ્ત્ર, કિન્તુ તેમાં આમિક એટલે તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રીય એટલે આપણા માનવજીવન સાથે સંબંધ ધરાવતા બાથ આચારાદિને લગતાં નિયમનેનું નિરૂપણ હાઈ એ દરેક ગ્રંથ મિશ્રરૂપ છે. એટલે આના દ્વારા આગામી જૈત સાધુસ ંમેલન સમક્ષ ઉપસ્થિત થનાર વિવિધ ધાર્મિક-સામાજિક પ્રશ્નોને ઉકેલ કરતાં પહેલાં ઉપર।ક્ત બન્નેય પ્રકારના અર્થાત્ આગમિક અને શાસ્ત્રીય પ્રશ્નોને વિભાગ કરી લેવા જ જોઈએ. આ એ વિભાગાને નિષ્ણુય નહિ થાય અને આપણે સૌ માત્ર એમ જ કથા કરીશુ કે, “ બધાય પ્રશ્નોને ઉકેલ પઅંગી આધારે લાવવા.” તા સૌએ યાદ રાખવું કે, આજના સળગતા ભીષણ પ્રશ્નોના ઉકેલ કયારેય પણ આવવાના નથી. અને એ જ કારણથી સાધુસમેલન માટે સત્પ્રવૃત્તિ કરનાર અને તે માટે અનુમેદન આપનાર દરેકેદરેક પ્રત્યે મારી નમ્ર વિનંતી છે કે, પંચાંગી આધારે દરેક પ્રશ્નોના ઉકેલ આણવાની માહક જાળમાં કેઈ ન મૂઝાય, તેમ જ વાસ્તવિક હિતને વિચાર કરી, આ માટે આગ્રહ પણ કાઈ ન રાખે. ,, પંચાંગી આધારે દરેક પ્રશ્નોને ઉકેલ લાવવાની વાતેા કરતાં પહેલાં આપણે એ જ વિચારવુ જોઈ એ કે, જૈન આગમ અને તેને લક્ષીને નિર્માણ કરાયેલ પંચાંગી પૈકીના એક પણ અક્ષરને અત્યારના આપણા જીવન-પ્રસંગા સાથે કાય મેળ છે? આજે આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસ્ત્ર આદિ પ્રમાણે આપણામાંને કયો જૈન સાધુ જીવન વિતાવે છે? પિતૈષણા ધ્યયન, પિંડનિયુક્તિ આદિ શાસ્ત્રાનુસાર કયા જૈન મુનિ ગૌચરચર્ચા ચરે છે અર્થાત્ ભિક્ષા લે છે? બૃહત્કલ્પસૂત્ર, વ્યવહાર, નિશીથ, દશાકલ્પ આદિ છેદશાસ્ત્રા મુજબ કયા જૈન ભિક્ષુ પેાતાના અતિચારા અને પાપેાની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત લે છે ? અત્યારે વિદ્યમાન આચાર્યાં, ઉપાધ્યાય, પ્રવા, અનુયે ગાચાર્યાં, ગણિ અને દરેકેદરેક જૈન મુનિને હુ' વીનવું છું કે, ઉપરોક્ત શાસ્ત્રાનુસાર જીવન વિતાડવાના કોઈ તા પણ દાવા હોય તે તે જાહેર થાય, અને નહિ તે સૌએ એ કબૂલ કરવું જ રહ્યું કે, અત્યારે આપણા જીવનમાં ઉપરોક્ત શાસ્ત્રોમાંનું કશું જ નથી. આજે કેઈ એમ કહે કે “વદુરત્ના વસુંધરા ” અર્થાત્ જગતમાં કોઈ ને કોઈ એવા હોય” તે તે વાત માનવાને હું તૈયાર નથી. અત્યારે જે આપણે ૫ચાંગી આધારે દરેક પ્રશ્નોના નિર્ણય લાવવાની વાતા કરીએ છીએ, તેમાંને તે એક પશુ એવે નથી દેખાતા કે જે ઉપરોક્ત શાસ્ત્રાનુસાર પેાતાનું જીવન કયારેય પણ વિતાડતા હાય. વધારે તે। શું, પણ અત્યારના મેટામાં મેટા મનાતા કાઈ પણુ જૈન આચાય આદિને પૂછ્યુંામાં આવે કે તમારા ગોચરચર્યાંના દેષ કયા એનું વર્ણન કરી, તેા તેનું વર્ણન કરવું તે। દૂર રહે પણુ એ દેષાનાં નામ લેતા પણ તેઓ વિચારના વમળમાં ગેાથાં ખાતાં હશે, અને એ જ દશા ખીન્ન અનેકાનેક વિષયમાં પણ આપણે જોઈશુ. આ સ્થિતિમાં એ શાસ્ત્રાનુસાર જીવનચર્યાની આશા હાય જ કયાંથી ? હું તા એટલે સુધી કહું છું કે, વર્તમાન સમયમાં જેને શકય સાધુ–જીવનના આદર્શો ગણી શકાય, એવુ વિશુદ્ધ અને નિષ્કપટ જીવન વિતાડનાર વિરલ સંત પણ આપણામાંથી જડવા મુશ્કેલ છે. આજના આપણા સાધુથ્વીઓની જીવનચર્યાં, આચાર અને વ્યવહાર, આહાર, વિહાર અને નિહાર, વાણી અને વન, સમિતિ અને ગુપ્તિ, પ્રતિક્રમણ–પડિલેહણા, જવુ’–આવવુ ઇત્યાદિ પ્રત્યેક ક્રિયા તરફ નજર કરીશુ તા એક પણ ક્રિયા અણીશુદ્ધ નજરે નહિ જ આવે. આજની પ્રતિક્રમણક્રિયાને કોઈ ગમે તેટલી વ્યવસ્થિત રીતે કરવાના દાવા કરે, તેમ છતાં એ પ્રતિક્રમણ દ્વારા જે વાસ્તવિક દોષ અને અતિયારે તો ક્રમ ગાડવવા અને પ્રાયશ્ચિત્તાદિ દ્વારા તેનું સંશોધન કરવું એ તેા નથી જ હતું. આ ઠેકાણે હું એટલું કબૂલ કરુ છું. કે—કેટલાક મુનિ મહાનુભાવા એવા સલહૃદયી, ગુણા ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230124
Book TitleJain Sadhu Sammelan ane Panchangi Adhare Prashnona Nirnay
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages6
LanguageGujarati
ClassificationArticle, Tithi, Devdravya, & History
File Size483 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy