SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ · જિનાગમકથાસંગ્રહ ’ કાનજીભાઈ પટેલ • જિનાગમકથાસંગ્રહ ' એક સકલન છે અને સંકલન (compilation) પરથી સંકલનકર્તાની લેખક તરીકેની વિદ્વત્તાના ખ્યાલ ન આવી શકે, પણ તેમની ફિલસૂફી-જીવનદૃષ્ટિ અને કાર્ય પદ્ધતિના જરૂર ખ્યાલ આવી શકે. પ્રકૃતિથી એકદમ સરળ, ઉદાર અને ચિંતનશીલ, આકૃતિએ સૌમ્ય એવા પૂ. પંડિત બેચરદાસજીની સામાજિક અને ધાર્મિક ઋઢિએના બંધનમાં જકડાઈ ન રહેવું, હાથ પર લીધેલા કામમાં મક્કમતાથી આગળ વધવુ, લીધેલું કામ પૂરી શ્રદ્ધા અને શક્તિથી પાર પાડીને જંપવું, મૂળભૂત સિદ્ધાન્તા અને નીતિ-નિયમાની બાબતમાં બાંધછેડ ન કરવી—એ ફિલસૂફી રહી છે. જિનાગમકથાસ'ગ્રહ'ની કથાઆની પસદગીમાં આ ફિલસૂફીએ ભાગ ભજવ્યે! હેાય તેમ તે કથાઓનું વસ્તુ જોતાં લાગે છે, * મૂળકથાએ અને સૂક્તિએ ઉપરાંત આ સંગ્રહમાં પ્રસ્તાવના, અનુક્રમણિકા, પ્રાકૃત ભાષાના પરિચય, પ્રાકૃતનું વ્યાકરણ, ટિપ્પણા અને શબ્દકાશ આપવામાં આવ્યાં છે. આ સપાદનમાં એમનુ` કર્યું જિંદું રહ્યું છે એ પણુ ટૂંકી પ્રસ્તાવનામાં પંડિતજીએ સ્પષ્ટ કર્યું છે. પ્રાકૃત ભાષાના અભ્યાસને સુગમ બનાવવા તેમણે માર'જક અને ખેાધપ્રદ કથાએની પસંદગી કરી છે અને એથી પ્રાચીન આગમપાઠાના માત્ર શબ્દશઃ સંગ્રહ ન કરતાં તે પાડાને વિદ્યાર્થીઓની દૃષ્ટિએ પરિષ્કૃત કર્યાં છે. પ્રાકૃત કથાઓ વાંચતાં પહેલા વ્યાકરણને કઈક પરિચય થાય એ ઉદ્દેશથી પ્રારંભમાં પ્રાકૃતભાષાના પરિચય અને ત્યારબાદ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યાં છે, જે એમની વ્યાકરણ તરફની વિશેષ અભિરુચિ છતી કરે છે. પ્રાકૃત ભાષાના પરિચયમાં પ્રથમ પ્રાકૃત ભાષાના સ્વરૂપના પરિચય આપ્યા છે. જે લે! પ્રાકૃતને સ ંસ્કૃતમાંથી ઊતરી આવેલી કે સસ્કૃતને પ્રાકૃતમાંથી ઊતરી આવેલી માને છે તેમને ભ્રમ ભાંગવા કેટલીક દલીલેા રજૂ કરી છે. જૈન આ પ્રાકૃત અને બૌદ્ધ પ્રાકૃત યા પાલિતા પારસ્પરિક સંબધ સ્પષ્ટ કર્યો છે. પાણિ શબ્દની વ્યુત્પત્તિની બાબતમાં તા પડિતજીએ એક નવા જ વિચાર મૂકયો છે. આચાર્ય બુધેાષે મૂળ ત્રિપિટક ચા બુદ્ધવચનના અર્થમાં ‘પાલિ’ શબ્દના પ્રયાગ કર્યો છે. તેને આધારે આધુનિક વિદ્યાનાએ ‘ પાહિ'ની નિરુક્તિની બાબતમાં વિભિન્ન મત દર્શાવ્યા છે. ભિક્ષુ જગદીશ કાશ્યપને મતે હિ એ વયાયનું સંક્ષિપ્ત રૂપ છે (યિાયપહિયાય પાતિયાય-પત્તિ ). ભિક્ષુ સિદ્ધાર્થને મતે વાત્તિ યા પશિબ્દના મૂળ આધાર સંસ્કૃત શબ્દ 'પાટ' છે. પ', વિધુશેખરે જણાવ્યું છે કે પાહિ શબ્દના અર્થ પંક્તિ છે કે જે સંસ્કૃત વાહિ શબ્દને પર્યાયવાચી છે, જન વિદ્વાન ડૉ. મેકસ વેલેસરે વાહિયા પાહિ (પાટલિપુત્રની ભાષા)નું સંક્ષિપ્તરૂપ પાલિ બનાવ્યું છે. કેટલાક વિદ્વાનાએ પલ્હિ (ગામ) શબ્દને આધારે પાલિ શબ્દની વ્યુત્પત્તિ ખતાવી છે. પડિતજીએ પાલિ શબ્દ અંગેના આ વિવાદના સ્વીકાર કર્યાં છે અને વચરી શબ્દ ઉપરથી તદ્વૈિતાન્ત પયડ્ડી શબ્દ અને તે ઉપરથી પાલી' શબ્દ ઊતરી આવ્યાની કલ્પના કરી છે. તેમને આ વિચાર નવીત અને સ ંશોધનજ઼િની સૂઝના દ્યોતક છે, . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230099
Book TitleJinagam katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanji Patel
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size503 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy