SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] aaaaaaaaaaaa chahahah જીર્ણોદ્ધાર થયેલા, ભવ્યતાથી શાભતા શ્રી શાંતિનાજીના દહેરાસરને નિહાળી, તે સમયના પ્રતિષ્ઠિત આગેવાન શ્રાવક શ્રી નેણશી શાહ અને તેમના પુત્રો સશ્રી રામસિંહ, સામસિહ, કર્માસિંહ ઇત્યાદિ મળીને એક શિખરબંધ દહેરાસરનું નિર્માણકાર્ય શરૂ કરાવ્યું. તેમાં ચૌમુખ પ્રાસાદ વગેરે તૈયાર કરાવ્યા અને તૈયાર થયેલા દહેરાસરને પેાતાના ભાઈ રાજિસંહ શાહના (નેસિંહ શાહના ભાઈ ) બંધાવેલા દહેરાસરા સાથે જોડી દેવામાં આવ્યુ. આ દહેરાસરમાં ભગવાન શ્રી સંભવનાથજીની સમાન પ્રમાણવાળી ચાર મૂર્તિઓની પ્રતિષ્ઠા ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક કરવામાં આવી. રાજિસંહ શાહના દહેરાસરમાં જવા માટે જે પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું, તેની નજીક નેસિંહ શાહે પ્રવેશદ્વાર તૈયાર કરાવી એક જ પ્રવેશદ્વારમાંથી બંને મદિરમાં જવાય એ રીતનુ’ બાંધકામ કરી, બંને દહેરાસરને એક કરી નાખ્યાં. શ્રી નેસહ શાહ અને તેમના પુત્રોએ એ દહેરાસરના આંધકામમાં ત્રણ લાખ મુદ્રિકા ખરચી હતી. teste sa sta da sta sadastastase રાજિસંહ શાહે આ ઉપરાંત હાલારમાં માંઢા તથા ભલસાણ ગામમાં એ જૈન દહેરાસરે ખધાવેલાં હતાં, તેમ જ મયાંતર અને કાસાવડમાં એ ઉપાશ્રયેા બંધાવી આપેલા હતા. વિ. સ’. ૧૬૫૦ માં કચ્છના રહેવાસી શાહ સાદાગર શેઠ વર્ધમાન શાહ અને તેમના લઘુ અંધુ પદ્મસિંહ શાહે ભદ્રાવતી (કચ્છ)ના એક મેાટા સંઘ કાઢવો. આ સ'ઘ વહાણેામાં બેસી નાગનાથ બંદરે ( નવાનગર-જામનગર ) ઊતર્યા. આ સંઘ સાથે મહાન જ્ઞાની આચાર્ય ભગવંત કલ્યાણસાગરસૂરિજી અને તેમનું શિષ્યવૃંદ પણ જમીનમાગે–રણમાર્ગેથી ભળીને સાથે ગયું હતું. તેએ તમામ પગે ચાલતાં ચાલતાં કચ્છનું રણ પાર કરીને જામનગર આવી પહેાંચ્યા. આ સંઘ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની યાત્રા પૂરી કરી જામનગર પાછા ફર્યા, ત્યારે મહારાધિરાજ જામસાહેબ શ્રી જશવંતસિંહજીએ સંધનુ ભવ્ય સ્વાગત કર્યું.... શહેરનુ વાતાવરણુ આ સંઘના મ’ગલ પ્રવેશથી ભવ્ય લાગવા માંડયું. રાજવીએ અને સ'ધપતિએ નગરની પ્રજાને ભાવતાં ભાજન જમાડયાં. આ મંગલ પ્રસંગે નામદાર જામશ્રીએ વમાન શાહુ અને પસિંહ શાહને મૂલ્યવાન વસ્તુઓની પહેરામણી આપી અને તેની સામે બન્ને ભાઈઓએ જામશ્રીને ચરણે એથી યે વધુ કિંમતી વસ્તુ ધરી. જામનગરમાં રહી વર્ધમાન શાહ તથા પદ્મસિંહ શાહ કરોડો રૂપિયા વ્યાપારમાં કમાયા. આથી જામસાહેબે તેમને રાજ્યના પ્રમુખ મત્રીઓના હાા અર્પણ કર્યા. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230094
Book TitleJamnagarna Chandi Bazarna Jain Derasaro
Original Sutra AuthorN/A
AuthorMahendra D Sheth
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Tirth Pratima
File Size550 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy