________________
૧૨૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવપ્રથ
હતી અને પેાતાના હાથીઓ તેમ જ ઘેાડાએ પણ જીવજંતુની હિંસા ન કરે એ માટે એ તેમને ગાળેલુ પાણી પાવાના આગ્રહ રાખતા. વધુમાં એ લખે છે કે એના રાજ્યનાં પચાસેક વર્ષ દરમિયાન રાની પશુઓ મનુષ્યા સાથે હળીમળી જતાં ને લોકો એમને મારતા ગૂડતા નહી. ઇત્સિંગ પણ આ પ્રદેશના એક રિવાજ વર્ણવતાં કહે છે કે અહીં ગાળેલા પાણીમાંથી નીકળતાં જ તુએને પાછાં પાણીમાં નાખી જીવતાં રાખવાના રિવાજ છે. આમાં બૌદ્ધ ધર્મની અસર હેાઈ શકે. પરતુ જૈનાએ આ ભાવનાને વ્યાપક અને પ્રબળ બનાવવામાં મેાટા ફાળે આપ્યા છે. આમાં સેાલકી યુગના મહારાજા કુમારપાલને પણ આગવે ફાળા છે.
'
મહારાજા કુમારપાલની · અમારિ–ઘાષણા' એ એક મેાટી સાંસ્કૃતિક ઘાષા છે. આમાં એ અશેક કરતાં એક ડગલું આગળ વધે છે. આ વિશે શ્રી હેમચંદ્રાચાય એમના દ્વાશ્રય ’ કાવ્યમાં નોંધે છે ‘ એણે કસાઈ એથી થતી તથા શિકારીઓ દ્વારા થતી હિંસા બંધ કરી, દેવતાઓને મળતા બકરાઓના બલિ પણ ખધ કર્યો અને માંસાદિના વેચાણથી જેમની આજીવિકા ચાલતી હતી તેમની આજીવિકા બંધ થતાં તેઓને રાજાએ ત્રણ વર્ષોંનું ધાન્ય આપ્યું.’ ‘ અમારિ ઘાષણા ’ના પ્રચાર કુમારપાલે માત્ર ગુજરાતમાં જ નહીં પણ પેાતાના સામંતે મારફતે પેાતાના આખાય સામ્રાજ્યમાં ગુજતા કર્યા હતા. મારવાડના છેક દક્ષિણ ભાગમાં આવેલા રત્નપુરના શિવમ'દિરમાંથી અને જોધપુર રાજયના કિરાડુમાંથી મળતા હિસાબ`ધી ફરમાવતા લેખે। આની ગવાહી પૂરે છે. આ સિવાય કુમારપાલે રાજાએ અને રજપૂતામાં પ્રચલિત એવા મદ્યપાન અને માંસભક્ષણની અધી ફરમાવી હતી અને પરદ્વારાગમન અને વ્રતના ત્યાગ કરાવ્યેા હતેા. આથી ગુજરાતની પ્રજામાં દરેક અનાચાર પ્રત્યે સામાન્ય રીતે જોવા મળતી તિરસ્કારવૃત્તિ માટે આપણે આ રાજવીને શ્રી સહજાનંદ સ્વામી સાથે સભારવા પડે.
આ અહિંસા અને જીવદયાની ભાવના ગુજરાતની પ્રજાના હૃદયમાં સૈકા સુધી ઘૂંટાતી રહેલી છે એટલું જ નહી, વ્યવહારમાં પણ ઊતરી છે. આ પ્રદેશની એક વિભૂતિ ગાંધીજીએ તે અહિંસાની ભૂમિકા પર જ સ્વાતંત્ર્યનું આંદોલન જગાવ્યું. અહિંસા અને વીરતા એ એ બાબતાને કેટલાક વિરોધી માનતા હતા; પણ ગાંધીજીએ આ તથાકથિત વિરોધી બાબતાને ભેગી કરી એક નવું બળ જન્માવ્યું. અહિંસાથી ભરેલી વીરતાથી યુદ્ધ ખેલવાના નવા જ પાઠ ગાંધીજીએ શીખવ્યા. અળવ તરાય ઠાકારે આ ભાવનાને ચાગ્ય રીતે બિરદાવી છે—
સામા પર ઘા કર્યા વિના જીતવાના ભગવાન બુદ્ધ અને મહાવીરના પ્રયાગ ગાંધીજીએ કરી બતાવ્યા. ખરેખર તેા આખીય ગુજરાતની અહિંંસા અને કરુણામય સસ્કૃતિનું સત્ત્વ ગાંધીજી સાંગેાપાંગ વ્યવહારમાં ઉતારે છે અને આથી એમની સિદ્ધિ ગુજરાતના સત્ત્વનું સામર્થ્ય અને ખમીર પુરવાર કરે છે. આમ અશાકના શિલાલેખમાંની ધર્માજ્ઞાએ કાતરાઈ તા દેશના ઘણા ખૂણામાં, પણ તે ઊગી તે ગુજરાતના જીવનમાં જ,
મૈત્રકકાલીન ગુજરાત ' ભાગ ૧; લે. ડા. હરિપ્રસાદ શાસ્ત્રી, પૃ. ૨૭-૮૯
"
છે. જંગ સાત્ત્વિક ખળા પ્રકટાવવાના, ચારિત્ર્ય. સૌમ્ય વ્રત સાધુ ખિલવવાનો. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org