________________
ક્ષેમરાજ
લેખક : શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે
ગુર્જરેશ્ર્વર ભીમદેવ સાલકીને આજી-ચંદ્રાવતીના પરમાર રાજા સાથે અનેક વાર લડવુ પડયુ હતું અને તેણે તેમની પાસે ગુજરેશ્વરનું માંડલિક પદ કબુલાવ્યું હતુ; તેમ છતાં તેઓએ મનસ્વીપણુ' છેયુ નહતુ. આથી કટાળેલા ભીમદેવે એક વાર જ્યારે રાજા કૃષ્ણદેવ પરમારને હાર આપી, ત્યારે તે તેણે કૃષ્ણદેવને પકડીને પાટણમાં લાવી તુરંગમાં પૂર્યાં હતા. ભીમદેવની ઉત્તર વયના એ કાળ હતા.
થોડાં વર્ષ પછી નાડોલના ઢાકાર ખાલપ્રસાદે પાટણ આવી, ભીમદેવને મળી, કૃષ્ણદેવને મુક્ત કરવા તેને વિનંતિ કરી, ત્યારે કૃષ્ણદેવે ગુજરેશ્વરના માંડલિક તરીકે રહેવા મૌખિક સ્વીકાર કર્યાં, એટલા પરથી જાણે દયાથી પ્રેરાયેા હાય તેમ ભીમદેવે તેને મુક્ત કરવાની તુરંગાધ્યક્ષને આજ્ઞા કરી, (સાંવત ૧૧૧૭), તેથી ભીમદેવના બેઉ કુમારને ક્ષેમરાજ તથા કર્ણદેવને આશ્ચય થયા વિના રહ્યું નહિ.
ભીમદેવે પુત્રાને સમજાવ્યું: “ ગમે તેવા તાયે તે આપણા પડોશી રાજા છે. આજ્ઞાંકિત રહીને તે પેાતાની વસતીનુ રક્ષણ કરતા હોય તેા પાટણ પરના એટલે ભાર છે. ”
ક્ષેમરાજ કશું ન ખેલ્યા, પણ કણે તત્ક્ષણ કહ્યું : “ ભૂતકાળના અનુભવ આપ વીસર્યા તેા નહિ હૈ. આબુના પરમારો માળવાના પરમારોની સેાડમાં ભરાતાં વાર લગાડતા નથી.”
“ છતાં આપણી પ્રત્યે આજ્ઞાંકિત રહેવાના શપથ લેનાર શત્રુનેય તક આપવી જોઈ એ.” એ પ્રત્યુત્તર સાંભળી કને લાગ્યુ કે નાડોલના ઢાકાર પિતાની વીર પ્રકૃતિને ભુલાવવામાં ફાવી ગયા છે. ક્ષેમરાજને લાગ્યું કે વાકયમાં સ્વાભાવિક રીતે આવતી માનસિક દુળતા ઉદારતારૂપે પિતાજીમાં દર્શન આપવા લાગી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org